ભાવનગરના ડોક્ટરનો ગળેફાંસો ખાઈ આપઘાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 12:44:25

થોડા સમય પહેલા અમદાવાદમાં પોલીસ કર્મચારીએ પરિવાર સાથે આપઘાત કર્યો હતો ત્યારે આજે ભાવનગરથી વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ભાવનગરના સિંહોર ખાતે ખાનગી ક્લિનિક ચલાવતા ડોક્ટર યુવરાજસિંહ રાઠોડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.  


હરીઓમ સોસાયટી લુવારવાવ રોડ મોરલા પાસે બાપા સીતારામ ક્લિનિક ચલાવતા ડોક્ટર યુવરાજસિંહ રાઠોડે દવાખાના અંદર ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સ્થાનિકોને આપઘાતનું કારણ પૂછતા કોઈ માહિતી નથી મળી. ડોક્ટરે અગમ્ય કારણોસર આપઘાત કર્યાની માહિતી અત્યારે મળી રહી છે. ડોક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સર માનસિંહ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. પોલીસ મોતના કારણની માહિતી મેળવી રહી છે. ડોક્ટરે આપઘાત કર્યાના કારણો પોલીસ તપાસમાં બહાર આવી શકે તેવી સંભાવના છે. આપઘાત કરનાર યુવક ઢૂંઢસર ગામના વતની હોવાની માહિતી મળી રહી છે.  


ગુજરાતમાં આપઘાતની ઘટનાઓ વધી રહી છે થોડા દિવસ પહેલા જ ચારિત્ર્ય પર શંકા કરવાથી કંટાળી સુરતમાં 8 વર્ષના દિકરા સાથે માતાએ કૂદીને આપઘાત કર્યો હતો, વડોદરાના મુજમહુડા વિસ્તારમાં 26 વર્ષની પરિણીતાએ આપઘાત કર્યો હતો. અઠવાડિયા પહેલા બનાસકાંઠામાં નર્મદા નદીમાં કૂદીને સામૂહિક આપઘાતની ઘટના બની હતી.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .