ભાવનગરના ડોક્ટરનો ગળેફાંસો ખાઈ આપઘાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 12:44:25

થોડા સમય પહેલા અમદાવાદમાં પોલીસ કર્મચારીએ પરિવાર સાથે આપઘાત કર્યો હતો ત્યારે આજે ભાવનગરથી વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ભાવનગરના સિંહોર ખાતે ખાનગી ક્લિનિક ચલાવતા ડોક્ટર યુવરાજસિંહ રાઠોડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.  


હરીઓમ સોસાયટી લુવારવાવ રોડ મોરલા પાસે બાપા સીતારામ ક્લિનિક ચલાવતા ડોક્ટર યુવરાજસિંહ રાઠોડે દવાખાના અંદર ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સ્થાનિકોને આપઘાતનું કારણ પૂછતા કોઈ માહિતી નથી મળી. ડોક્ટરે અગમ્ય કારણોસર આપઘાત કર્યાની માહિતી અત્યારે મળી રહી છે. ડોક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સર માનસિંહ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. પોલીસ મોતના કારણની માહિતી મેળવી રહી છે. ડોક્ટરે આપઘાત કર્યાના કારણો પોલીસ તપાસમાં બહાર આવી શકે તેવી સંભાવના છે. આપઘાત કરનાર યુવક ઢૂંઢસર ગામના વતની હોવાની માહિતી મળી રહી છે.  


ગુજરાતમાં આપઘાતની ઘટનાઓ વધી રહી છે થોડા દિવસ પહેલા જ ચારિત્ર્ય પર શંકા કરવાથી કંટાળી સુરતમાં 8 વર્ષના દિકરા સાથે માતાએ કૂદીને આપઘાત કર્યો હતો, વડોદરાના મુજમહુડા વિસ્તારમાં 26 વર્ષની પરિણીતાએ આપઘાત કર્યો હતો. અઠવાડિયા પહેલા બનાસકાંઠામાં નર્મદા નદીમાં કૂદીને સામૂહિક આપઘાતની ઘટના બની હતી.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .