ભાવનગરના ડોક્ટરનો ગળેફાંસો ખાઈ આપઘાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 12:44:25

થોડા સમય પહેલા અમદાવાદમાં પોલીસ કર્મચારીએ પરિવાર સાથે આપઘાત કર્યો હતો ત્યારે આજે ભાવનગરથી વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ભાવનગરના સિંહોર ખાતે ખાનગી ક્લિનિક ચલાવતા ડોક્ટર યુવરાજસિંહ રાઠોડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.  


હરીઓમ સોસાયટી લુવારવાવ રોડ મોરલા પાસે બાપા સીતારામ ક્લિનિક ચલાવતા ડોક્ટર યુવરાજસિંહ રાઠોડે દવાખાના અંદર ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સ્થાનિકોને આપઘાતનું કારણ પૂછતા કોઈ માહિતી નથી મળી. ડોક્ટરે અગમ્ય કારણોસર આપઘાત કર્યાની માહિતી અત્યારે મળી રહી છે. ડોક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સર માનસિંહ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. પોલીસ મોતના કારણની માહિતી મેળવી રહી છે. ડોક્ટરે આપઘાત કર્યાના કારણો પોલીસ તપાસમાં બહાર આવી શકે તેવી સંભાવના છે. આપઘાત કરનાર યુવક ઢૂંઢસર ગામના વતની હોવાની માહિતી મળી રહી છે.  


ગુજરાતમાં આપઘાતની ઘટનાઓ વધી રહી છે થોડા દિવસ પહેલા જ ચારિત્ર્ય પર શંકા કરવાથી કંટાળી સુરતમાં 8 વર્ષના દિકરા સાથે માતાએ કૂદીને આપઘાત કર્યો હતો, વડોદરાના મુજમહુડા વિસ્તારમાં 26 વર્ષની પરિણીતાએ આપઘાત કર્યો હતો. અઠવાડિયા પહેલા બનાસકાંઠામાં નર્મદા નદીમાં કૂદીને સામૂહિક આપઘાતની ઘટના બની હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.