Bhavnagar : ડુંગળી પકવતા ખેડૂતોનો વિરોધ યથાવત, કોઈ વખત ડુંગળીનો હાર પહેરે છે તો કોઈ વખત આવી રીતે નોંધાવે છે વિરોધ


  • Published By :
  • Published Date : 2023-12-29 15:04:26

સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારના આ નિર્ણયને કારણે ડુંગળી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતો આ નિર્યણનો વિરોધ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જગતના તાતે વિરોધ દર્શાવ્યો છે. કોઈ વખત રસ્તા પર ખેડૂતો ડુંગળી ફેંકે છે તો કોઈ વખત ગળામાં ડુંગળીનો હાર પહેરી પોતાનો વિરોધ નોંધાવે છે. ત્યારે ભાવનગરના સિહોર તાલુકામાં ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી. નિકાસ બંધ થવાને કારણે ડુંગળીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

 

News18

ડુંગળી પકવતા ખેડૂતોને આવ્યો છે રડવાનો વારો 

ખેડૂતોને આપણે જગતના તાત કહીએ છીએ. ખેડૂતો ખેતરમાં મહેનત કરે છે તેથી જ આપણી થાળીમાં જમવાનું પહોંચે છે. ભારતના અર્થતંત્રમાં ખેડૂતો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. પરંતુ જ્યારે ખેડૂતોના આર્થિક સ્થિતિ અંગેની વાત આવે છે ત્યારે તેમની સ્થિતિ કફોડી બનતી દેખાય છે. અનેક એવા કિસ્સાઓ છે આપણી સામે જેમાં ખેડૂતોને રડવાનો વારો આવે છે. ત્યારે ડુંગળી પકવતા ખેડૂતો પર મુસીબત આવી પડી છે કારણ કે સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને કારણે ડુંગળીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

News18

ખેડૂતોએ કાઢી ડુંગળીની અંતિમ યાત્રા 

ડુંગળી પકવતા ખેડૂતો સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરી રહ્યા છે. અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ડુંગળીને રસ્તા પર ખેડૂતો ફેંકી રહ્યા છે. નિકાસબંધીનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે અને તેવી માગ કરી રહ્યા છે કે સરકાર આ નિર્ણયને પરત લે. ભાવનગરમાં સિહોર તાલુકામાં પહેલા ખેડૂતોએ વિરોધ કર્યો હતો ત્યારે હવે ઘોઘા તાલુકામાં પણ ખેડૂતોએ ડુંગળીને લઈ વિરોધ કર્યો. ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી. અંતિમ યાત્રા તો કાઢી પરંતુ સાથે સાથે સરકાર પર આરોપ પણ લગાવ્યા કે સરકારે ડુંગળીનો પાક બગાડી નાખ્યો.    



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .