Bhavnagar Loksabha બેઠકમાં કોળી ચહેરો Ambarish Der માટે વિધાનસભામાં કરશે જગ્યા? અંબરીશ ડેરને ભાજપમાં લાવવા પાછળનું સમજો ગણિત..!


  • Published By :
  • Published Date : 2024-03-04 10:07:53

લોકસભા ચૂંટણીને લઈ માહોલ ધીરે ધીરે બની રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તો ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી. 15 બેઠકોમાંથી 10 બેઠકો પર ચહેરાને રિપીટ કરવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં બાકીના ઉમેદવારોના નામની જાહેરાત પણ થઈ શકે છે. ત્યારે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે રાજુલાના પૂર્વ ધારાસભ્ય ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. અંબરીષ ડેર ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. 

અંબરીશ ડેર ગમે ત્યારે કરી શકે છે કેસરિયો ધારણ!  

ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે છેલ્લા ઘણા સમયમાં કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના અનેક ધારાસભ્યો, હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. એવી ચર્ચાઓ ક્યારની થતી હતી કે અંબરીષ ડેર ગમે ત્યારે કોંગ્રેસને રામ રામ કહી ભાજપમાં જઈ શકે છે. અનેક વખત સી.આર.પાટીલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે બસની સીટ પર અંબરીશ ડેર માટે રૂમાલ રાખ્યો છે. ત્યારે હવે રાજકીય વર્તુળમાં ચર્ચાઓ થઈ રહી છે કે અંબરીષ ડેર ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે ભાવનગર લોકસભા સીટ માટે ભાજપ કોળી સમાજનો ચહેરો મેદાનમાં ઉતારી શકે છે. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને ભાવનગર બેઠક માટે ઉમેદવાર તરીકે જ્યારે રાજુલા બેઠક માટે પેટાચૂંટણી યોજાય ત્યારે અંબરીશ ડેર ત્યાંના ઉમેદવાર હોય એવી સંભાવના દેખાઈ રહી છે.  

આવનાર દિવસોમાં જોવા મળી શકે છે રાજનીતિના નવા નવા રંગ!

મહત્વનું છે કે જ્યારથી સી.આર.પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા છે ત્યારથી અનેક નેતાઓ, હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા હજારો કાર્યકર્તાઓ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા તે વખતે જે દ્રશ્યો જોયા હતા તેની કલ્પના તો કદાચ ભાજપે પોતે પણ નહીં કરી હોય! હજી તો ચૂંટણીનો તો માત્ર શંખનાદ થયો ત્યારે આવનાર દિવસોમાં રાજકારણમાં નવા-નવા ખેલો જોવા મળે તો નવાઈ નહીં.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.