Bhavnagar Loksabha બેઠકમાં કોળી ચહેરો Ambarish Der માટે વિધાનસભામાં કરશે જગ્યા? અંબરીશ ડેરને ભાજપમાં લાવવા પાછળનું સમજો ગણિત..!


  • Published By :
  • Published Date : 2024-03-04 10:07:53

લોકસભા ચૂંટણીને લઈ માહોલ ધીરે ધીરે બની રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તો ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી. 15 બેઠકોમાંથી 10 બેઠકો પર ચહેરાને રિપીટ કરવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં બાકીના ઉમેદવારોના નામની જાહેરાત પણ થઈ શકે છે. ત્યારે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે રાજુલાના પૂર્વ ધારાસભ્ય ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. અંબરીષ ડેર ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. 

અંબરીશ ડેર ગમે ત્યારે કરી શકે છે કેસરિયો ધારણ!  

ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે છેલ્લા ઘણા સમયમાં કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના અનેક ધારાસભ્યો, હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. એવી ચર્ચાઓ ક્યારની થતી હતી કે અંબરીષ ડેર ગમે ત્યારે કોંગ્રેસને રામ રામ કહી ભાજપમાં જઈ શકે છે. અનેક વખત સી.આર.પાટીલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે બસની સીટ પર અંબરીશ ડેર માટે રૂમાલ રાખ્યો છે. ત્યારે હવે રાજકીય વર્તુળમાં ચર્ચાઓ થઈ રહી છે કે અંબરીષ ડેર ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે ભાવનગર લોકસભા સીટ માટે ભાજપ કોળી સમાજનો ચહેરો મેદાનમાં ઉતારી શકે છે. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને ભાવનગર બેઠક માટે ઉમેદવાર તરીકે જ્યારે રાજુલા બેઠક માટે પેટાચૂંટણી યોજાય ત્યારે અંબરીશ ડેર ત્યાંના ઉમેદવાર હોય એવી સંભાવના દેખાઈ રહી છે.  

આવનાર દિવસોમાં જોવા મળી શકે છે રાજનીતિના નવા નવા રંગ!

મહત્વનું છે કે જ્યારથી સી.આર.પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા છે ત્યારથી અનેક નેતાઓ, હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા હજારો કાર્યકર્તાઓ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા તે વખતે જે દ્રશ્યો જોયા હતા તેની કલ્પના તો કદાચ ભાજપે પોતે પણ નહીં કરી હોય! હજી તો ચૂંટણીનો તો માત્ર શંખનાદ થયો ત્યારે આવનાર દિવસોમાં રાજકારણમાં નવા-નવા ખેલો જોવા મળે તો નવાઈ નહીં.   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે