રાજ્યના બહુચર્ચિત ડમીકાંડમાં ભાવનગર SOGની કાર્યવાહી, પ્રથમવાર એક યુવતી અને સગીર ઝડપાયા


  • Published By :
  • Published Date : 2023-06-26 22:56:52

ગુજરાતના બહુચર્ચિત એવા ભાવનગર ડમીકાંડમાં હવે વધુ એક ધરપકડ થઇ છે. ભાવનગર પોલીસે આજે એક મહિલા અને એક સગીરની ધરપકડ  કરી છે. ભાવનગર SOGની ટીમે આ કાર્યવાહી કરી છે જેમાં જે મહિલાની ધરપકડ થઇ છે તે તળાજા તાલુકાના સથરા ગામના જીજ્ઞાબેન ધાંધલા છે. અને તે એક સગીર છે. બંનેના નામ ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં છે. 


સંડોવણી કઈ રીતે સામે આવી?


આખા કાવતરમાં બંનેની સંડોવણી એ પ્રકારની છે કે જીજ્ઞાબેનની જગ્યાએ 2022માં ધોરણ 10ની પરીક્ષા મિલન બારૈયાએ આપી હતી, અને જે એક સગીર પકડાયો છે, તેની ધોરણ-12ની પરીક્ષા પણ મિલન બારૈયાએ આપી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે, અને જેમ જેમ તપાસ વધી રહી છે તેમ તેમ આરોપીઓની સંખ્યા વધતી જાય છે. હવે આરોપીઓની સંખ્યા 60ની આસપાસ પહોંચી છે.


સત્તાના સ્થાને બેસેલા લોકોને સમન્સ ક્યારે ?


આ સમગ્ર ડમીકાંડને ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે સમન્સ પાઠવ્યું હતું અને તે પછીથી ડમીકાંડના આરોપીઓ પાસેથી ઉમેદવારો પાસેથી તોડ કરવાના આરોપસર જેલમાં છે. જો કે તેમના જામીન અંગેના કોઇ સમાચાર નથી. ત્યારે ભાવનગરની પોલીસને એક સવાલ બિલકુલ કરવો છે કે જ્યારે આ કાંડ ચાલી રહ્યું હતું ત્યારે જે લોકો સત્તાના સ્થાને બેસેલા હતા તેમને ક્યારે સમન્સ પાઠવશો?



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.