રાજ્યના બહુચર્ચિત ડમીકાંડમાં ભાવનગર SOGની કાર્યવાહી, પ્રથમવાર એક યુવતી અને સગીર ઝડપાયા


  • Published By :
  • Published Date : 2023-06-26 22:56:52

ગુજરાતના બહુચર્ચિત એવા ભાવનગર ડમીકાંડમાં હવે વધુ એક ધરપકડ થઇ છે. ભાવનગર પોલીસે આજે એક મહિલા અને એક સગીરની ધરપકડ  કરી છે. ભાવનગર SOGની ટીમે આ કાર્યવાહી કરી છે જેમાં જે મહિલાની ધરપકડ થઇ છે તે તળાજા તાલુકાના સથરા ગામના જીજ્ઞાબેન ધાંધલા છે. અને તે એક સગીર છે. બંનેના નામ ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં છે. 


સંડોવણી કઈ રીતે સામે આવી?


આખા કાવતરમાં બંનેની સંડોવણી એ પ્રકારની છે કે જીજ્ઞાબેનની જગ્યાએ 2022માં ધોરણ 10ની પરીક્ષા મિલન બારૈયાએ આપી હતી, અને જે એક સગીર પકડાયો છે, તેની ધોરણ-12ની પરીક્ષા પણ મિલન બારૈયાએ આપી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે, અને જેમ જેમ તપાસ વધી રહી છે તેમ તેમ આરોપીઓની સંખ્યા વધતી જાય છે. હવે આરોપીઓની સંખ્યા 60ની આસપાસ પહોંચી છે.


સત્તાના સ્થાને બેસેલા લોકોને સમન્સ ક્યારે ?


આ સમગ્ર ડમીકાંડને ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે સમન્સ પાઠવ્યું હતું અને તે પછીથી ડમીકાંડના આરોપીઓ પાસેથી ઉમેદવારો પાસેથી તોડ કરવાના આરોપસર જેલમાં છે. જો કે તેમના જામીન અંગેના કોઇ સમાચાર નથી. ત્યારે ભાવનગરની પોલીસને એક સવાલ બિલકુલ કરવો છે કે જ્યારે આ કાંડ ચાલી રહ્યું હતું ત્યારે જે લોકો સત્તાના સ્થાને બેસેલા હતા તેમને ક્યારે સમન્સ પાઠવશો?



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.