ભાવનગર SOGએ યુવરાજસિંહને ડમી કાંડ મામલે પાઠવ્યું સમન્સ, પોલીસ સામે હાજર થતા પહેલા યુવરાજસિંહે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું યુવરાજસિંહે


  • Published By :
  • Published Date : 2023-04-19 10:09:17

ડમી કાંડ મામલામાં પ્રતિદિન નવા વળાંકો આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા ભાવનગર પોલીસ દ્વારા ડમી કાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને આ મામલે આરોપીઓ પણ ઝડપાયા છે. આ મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે. આ મામલે એસઆઈટીની પણ રચના કરવામાં  આવી છે. આ બધા વચ્ચે યુવરાજસિંહ પર નામ છૂપાવવા માટે પૈસા લીધા હોવાના આક્ષેપો પણ લગાડવામાં આવી રહ્યા છે. ત્યારે એસઓજીએ યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું છે જેને લઈ પોલીસ સમક્ષ યુવરાજસિંહ હાજર થશે. 

  

પોલીસની સમક્ષ હાજર થતાં પહેલા યુવરાજસિંહે કર્યું ટ્વિટ!

ત્યારે ભાવનગર એસઓજીએ આ મામલે યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું છે. યુવરાજસિંહને પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા યુવરાજસિંહે એક વીડિયો ટ્વિટ કર્યો છે. તેમણે કટાક્ષ કર્યો છે કે ચાલો અધિકૃત રીતે ઘરે મામાનું તેડું આવી ગયું છે. ભાવેણાના જમાઈની સ્વાગતની તૈયારીઓ થઈ ચૂકી છે. સાથે સાથે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ભલે મને જેલમાં નાખી દો, હું સત્ય સાબિત કરીને બતાવીશ.      



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.