ભાવનગર SOGએ યુવરાજસિંહને ડમી કાંડ મામલે પાઠવ્યું સમન્સ, પોલીસ સામે હાજર થતા પહેલા યુવરાજસિંહે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું યુવરાજસિંહે


  • Published By :
  • Published Date : 2023-04-19 10:09:17

ડમી કાંડ મામલામાં પ્રતિદિન નવા વળાંકો આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા ભાવનગર પોલીસ દ્વારા ડમી કાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને આ મામલે આરોપીઓ પણ ઝડપાયા છે. આ મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે. આ મામલે એસઆઈટીની પણ રચના કરવામાં  આવી છે. આ બધા વચ્ચે યુવરાજસિંહ પર નામ છૂપાવવા માટે પૈસા લીધા હોવાના આક્ષેપો પણ લગાડવામાં આવી રહ્યા છે. ત્યારે એસઓજીએ યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું છે જેને લઈ પોલીસ સમક્ષ યુવરાજસિંહ હાજર થશે. 

  

પોલીસની સમક્ષ હાજર થતાં પહેલા યુવરાજસિંહે કર્યું ટ્વિટ!

ત્યારે ભાવનગર એસઓજીએ આ મામલે યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું છે. યુવરાજસિંહને પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા યુવરાજસિંહે એક વીડિયો ટ્વિટ કર્યો છે. તેમણે કટાક્ષ કર્યો છે કે ચાલો અધિકૃત રીતે ઘરે મામાનું તેડું આવી ગયું છે. ભાવેણાના જમાઈની સ્વાગતની તૈયારીઓ થઈ ચૂકી છે. સાથે સાથે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ભલે મને જેલમાં નાખી દો, હું સત્ય સાબિત કરીને બતાવીશ.      



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.