ભાવનગર SOGએ યુવરાજસિંહને ડમી કાંડ મામલે પાઠવ્યું સમન્સ, પોલીસ સામે હાજર થતા પહેલા યુવરાજસિંહે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું યુવરાજસિંહે


  • Published By :
  • Published Date : 2023-04-19 10:09:17

ડમી કાંડ મામલામાં પ્રતિદિન નવા વળાંકો આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા ભાવનગર પોલીસ દ્વારા ડમી કાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને આ મામલે આરોપીઓ પણ ઝડપાયા છે. આ મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે. આ મામલે એસઆઈટીની પણ રચના કરવામાં  આવી છે. આ બધા વચ્ચે યુવરાજસિંહ પર નામ છૂપાવવા માટે પૈસા લીધા હોવાના આક્ષેપો પણ લગાડવામાં આવી રહ્યા છે. ત્યારે એસઓજીએ યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું છે જેને લઈ પોલીસ સમક્ષ યુવરાજસિંહ હાજર થશે. 

  

પોલીસની સમક્ષ હાજર થતાં પહેલા યુવરાજસિંહે કર્યું ટ્વિટ!

ત્યારે ભાવનગર એસઓજીએ આ મામલે યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું છે. યુવરાજસિંહને પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા યુવરાજસિંહે એક વીડિયો ટ્વિટ કર્યો છે. તેમણે કટાક્ષ કર્યો છે કે ચાલો અધિકૃત રીતે ઘરે મામાનું તેડું આવી ગયું છે. ભાવેણાના જમાઈની સ્વાગતની તૈયારીઓ થઈ ચૂકી છે. સાથે સાથે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ભલે મને જેલમાં નાખી દો, હું સત્ય સાબિત કરીને બતાવીશ.      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે