ભાવનગર યુનિવર્સિટી પેપર લીક મામલે થયો મોટો ખુલાસો! આ વ્યક્તિના ફોનમાંથી પેપર થયું હતું લીક?


  • Published By :
  • Published Date : 2023-04-04 13:21:32

ગુજરાતમાં પેપર લીક થવાનું જાણે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કનું પેપર લીક થયું હતું. તેની ચર્ચાઓ શાંત થઈ ન હતી ત્યારે રવિવારે ભાવનગર યુનિવર્સિટીનું પેપર લીક થયા હોવાના સમાચાર મળ્યા હતા.બી.કોમના છઠ્ઠા સેમેસ્ટરનું પેપર લીક થયું હોવાનો દાવો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. જે બાદ યુનિવર્સિટીના સત્તાધીશો હરકતમાં આવ્યા હતા. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલે 24 કલાક બાદ કમિટીની રચના કરવામાં આવી હતી. 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જેમાં બે ઈસી અને સબરજીસ્ટરનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર જી.એલ.કાકડિયા કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવામાં આવ્યું છે. 


આ મામલે 3 સભ્યોની ટીમ કરશે તપાસ   

માર્ચ દરમિયાન અનેક યુનિવર્સિટીમાં પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. ત્યારે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં પણ પરીક્ષા ચાલી રહી હતી. પરંતુ એ બધા વચ્ચે છઠ્ઠા સેમેસ્ટરનું બીકોમ પેપર લીક થયું હતું તેવો દાવો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. પેપર શરૂ થાય તેના થોડા કલાકો પહેલા મોબાઈલમાં આ પેપર વાયરલ થયું હતું તેવો દાવો કરવામાં આવ્યો હતો. સ્ક્રીનશોર્ટના ફોટા તેમણે ટ્વિટ કર્યા હતા. આ મામલે સરકારને પણ રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. અને પેપર કઈ રીતે ફૂટ્યા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.


આ વ્યક્તિના ફોનમાંથી પેપર થયું હતું લીક!

આ મામલે એક સમાચાર મળી રહ્યા છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે જી.એલ. કાકડીયા કોમર્સ કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપલના ફોનમાંથી પેપરનો ફોટો લીક થયો છે. આ વાત અને આ સમચાર હાલ મળી રહ્યા છે. જે બાદ પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર પોલીસે સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટના સંચાલન હેઠળ ચાલતી જી.એલ.કાકડિયા કોલેજના અમિત ગાલાણીની અટકાયત કરી લીધી છે. ઉપરાંત ભરતનગરના વિદ્યાર્થીઓની પણ અટકાયત કરી લેવામાં આવી છે.  ત્યારે આવનાર સમયમાં પેપર ના ફૂટે તેવી વ્યવસ્થા તેમજ આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.