ભાવનગર યુનિવર્સિટી પેપર લીક મામલે થયો મોટો ખુલાસો! આ વ્યક્તિના ફોનમાંથી પેપર થયું હતું લીક?


  • Published By :
  • Published Date : 2023-04-04 13:21:32

ગુજરાતમાં પેપર લીક થવાનું જાણે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કનું પેપર લીક થયું હતું. તેની ચર્ચાઓ શાંત થઈ ન હતી ત્યારે રવિવારે ભાવનગર યુનિવર્સિટીનું પેપર લીક થયા હોવાના સમાચાર મળ્યા હતા.બી.કોમના છઠ્ઠા સેમેસ્ટરનું પેપર લીક થયું હોવાનો દાવો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. જે બાદ યુનિવર્સિટીના સત્તાધીશો હરકતમાં આવ્યા હતા. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલે 24 કલાક બાદ કમિટીની રચના કરવામાં આવી હતી. 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જેમાં બે ઈસી અને સબરજીસ્ટરનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર જી.એલ.કાકડિયા કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવામાં આવ્યું છે. 


આ મામલે 3 સભ્યોની ટીમ કરશે તપાસ   

માર્ચ દરમિયાન અનેક યુનિવર્સિટીમાં પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. ત્યારે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં પણ પરીક્ષા ચાલી રહી હતી. પરંતુ એ બધા વચ્ચે છઠ્ઠા સેમેસ્ટરનું બીકોમ પેપર લીક થયું હતું તેવો દાવો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. પેપર શરૂ થાય તેના થોડા કલાકો પહેલા મોબાઈલમાં આ પેપર વાયરલ થયું હતું તેવો દાવો કરવામાં આવ્યો હતો. સ્ક્રીનશોર્ટના ફોટા તેમણે ટ્વિટ કર્યા હતા. આ મામલે સરકારને પણ રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. અને પેપર કઈ રીતે ફૂટ્યા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.


આ વ્યક્તિના ફોનમાંથી પેપર થયું હતું લીક!

આ મામલે એક સમાચાર મળી રહ્યા છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે જી.એલ. કાકડીયા કોમર્સ કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપલના ફોનમાંથી પેપરનો ફોટો લીક થયો છે. આ વાત અને આ સમચાર હાલ મળી રહ્યા છે. જે બાદ પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર પોલીસે સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટના સંચાલન હેઠળ ચાલતી જી.એલ.કાકડિયા કોલેજના અમિત ગાલાણીની અટકાયત કરી લીધી છે. ઉપરાંત ભરતનગરના વિદ્યાર્થીઓની પણ અટકાયત કરી લેવામાં આવી છે.  ત્યારે આવનાર સમયમાં પેપર ના ફૂટે તેવી વ્યવસ્થા તેમજ આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.