વીડિયો બનાવી આપના ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવા અંગે ચાલતી અફવા પર આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2022-12-12 09:55:53

ગુજરાત વિધાનસભાના પરિણામમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. ભાજપે 156 સીટ પર જીત હાંસલ કરી છે જ્યારે આમ આદમી પાર્ટીએ 5 સીટો હાંસલ કરી છે જ્યારે કોંગ્રેસે 17 સીટો મેળવી છે. આજે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ શપથ લેવાનું છે. ત્યારે કાલે એવી વાતો સામે આવી રહી હતી કે વિસાવદરના આપના નેતા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભૂપત ભાયાણીએ વાતનો ઈન્કાર કર્યો છે. ઉપરાંત આ અંગે વીડિયો બનાવી પોતાની પ્રતિક્રિયા આપી છે.



હું આમ આદમી પાર્ટીનો વફાદાર સૈનિક છું - ભૂપત ભાયાણી 

આ વખતે ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. દરેક પાર્ટીએ પોતાની રીતે મહેનત કરી હતી. ભાજપને આ વખતે ઐતિહાસિક જીત મેળવી તમામ રેકોર્ડ તોડી દીધા છે. 182માંથી 156 ભાજપને ફાળે ગઈ છે. આપે પણ ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી કરી લીધી છે. ત્યારે એવી વાતો ચર્ચાઈ રહી હતી કે વિસાવદરથી આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી કેસરિયો ધારણ કરી શકે છે. પરંતુ આ વાતને ભૂપત ભાયાણીએ અફવા ગણાવી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે હું આમ આદમી પાર્ટીનો વફાદાર સૈનિક છું. હું કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી. 



વીડિયો બનાવી આપી પોતાની પ્રતિક્રિયા 

આમ આદમી પાર્ટીએ ટ્વિટર પર આ અંગે વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ભૂપત ભાયાણી કહી રહ્યા છે કે સોશિયલ મીડિયામાં મારા વિશે ખોટા સમાચાર વહેતા થયા છે. જનતાએ વિશ્વાસ રાખી મને જીત અપાવી છે. મેં જનતા કે પાર્ટી સાથે દ્રોહ કરવાનું સપનામાં પણ વિચાર્યું નથી



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.