વીડિયો બનાવી આપના ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવા અંગે ચાલતી અફવા પર આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2022-12-12 09:55:53

ગુજરાત વિધાનસભાના પરિણામમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. ભાજપે 156 સીટ પર જીત હાંસલ કરી છે જ્યારે આમ આદમી પાર્ટીએ 5 સીટો હાંસલ કરી છે જ્યારે કોંગ્રેસે 17 સીટો મેળવી છે. આજે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ શપથ લેવાનું છે. ત્યારે કાલે એવી વાતો સામે આવી રહી હતી કે વિસાવદરના આપના નેતા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભૂપત ભાયાણીએ વાતનો ઈન્કાર કર્યો છે. ઉપરાંત આ અંગે વીડિયો બનાવી પોતાની પ્રતિક્રિયા આપી છે.



હું આમ આદમી પાર્ટીનો વફાદાર સૈનિક છું - ભૂપત ભાયાણી 

આ વખતે ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. દરેક પાર્ટીએ પોતાની રીતે મહેનત કરી હતી. ભાજપને આ વખતે ઐતિહાસિક જીત મેળવી તમામ રેકોર્ડ તોડી દીધા છે. 182માંથી 156 ભાજપને ફાળે ગઈ છે. આપે પણ ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી કરી લીધી છે. ત્યારે એવી વાતો ચર્ચાઈ રહી હતી કે વિસાવદરથી આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી કેસરિયો ધારણ કરી શકે છે. પરંતુ આ વાતને ભૂપત ભાયાણીએ અફવા ગણાવી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે હું આમ આદમી પાર્ટીનો વફાદાર સૈનિક છું. હું કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી. 



વીડિયો બનાવી આપી પોતાની પ્રતિક્રિયા 

આમ આદમી પાર્ટીએ ટ્વિટર પર આ અંગે વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ભૂપત ભાયાણી કહી રહ્યા છે કે સોશિયલ મીડિયામાં મારા વિશે ખોટા સમાચાર વહેતા થયા છે. જનતાએ વિશ્વાસ રાખી મને જીત અપાવી છે. મેં જનતા કે પાર્ટી સાથે દ્રોહ કરવાનું સપનામાં પણ વિચાર્યું નથી



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.