વીડિયો બનાવી આપના ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવા અંગે ચાલતી અફવા પર આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2022-12-12 09:55:53

ગુજરાત વિધાનસભાના પરિણામમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. ભાજપે 156 સીટ પર જીત હાંસલ કરી છે જ્યારે આમ આદમી પાર્ટીએ 5 સીટો હાંસલ કરી છે જ્યારે કોંગ્રેસે 17 સીટો મેળવી છે. આજે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ શપથ લેવાનું છે. ત્યારે કાલે એવી વાતો સામે આવી રહી હતી કે વિસાવદરના આપના નેતા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભૂપત ભાયાણીએ વાતનો ઈન્કાર કર્યો છે. ઉપરાંત આ અંગે વીડિયો બનાવી પોતાની પ્રતિક્રિયા આપી છે.



હું આમ આદમી પાર્ટીનો વફાદાર સૈનિક છું - ભૂપત ભાયાણી 

આ વખતે ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. દરેક પાર્ટીએ પોતાની રીતે મહેનત કરી હતી. ભાજપને આ વખતે ઐતિહાસિક જીત મેળવી તમામ રેકોર્ડ તોડી દીધા છે. 182માંથી 156 ભાજપને ફાળે ગઈ છે. આપે પણ ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી કરી લીધી છે. ત્યારે એવી વાતો ચર્ચાઈ રહી હતી કે વિસાવદરથી આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી કેસરિયો ધારણ કરી શકે છે. પરંતુ આ વાતને ભૂપત ભાયાણીએ અફવા ગણાવી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે હું આમ આદમી પાર્ટીનો વફાદાર સૈનિક છું. હું કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી. 



વીડિયો બનાવી આપી પોતાની પ્રતિક્રિયા 

આમ આદમી પાર્ટીએ ટ્વિટર પર આ અંગે વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ભૂપત ભાયાણી કહી રહ્યા છે કે સોશિયલ મીડિયામાં મારા વિશે ખોટા સમાચાર વહેતા થયા છે. જનતાએ વિશ્વાસ રાખી મને જીત અપાવી છે. મેં જનતા કે પાર્ટી સાથે દ્રોહ કરવાનું સપનામાં પણ વિચાર્યું નથી



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.