શપથ વિધી પહેલા ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ કમિટી ખારીજ, 12 ડિસેમ્બરે બનશે નવી સરકાર


  • Published By :
  • Published Date : 2022-12-09 15:37:54

પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં મતદાન યોજાયું હતું. જેનું પરિણામ આઠમી ડિસેમ્બરના રોજ આવ્યું હતું. ભાજપે પ્રચંડ બહુમતી સાથે તમામ રેકોર્ડ તોડી દીધા છે. ત્યારે આવનાર સમયમાં ગુજરાતમાં નવી સરકાર બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ સાથે પોતાનું રાજીનામું આચાર્ય દેવવ્રતને સુપ્રત કર્યું હતું. અને 12 ડિસેમ્બરના રોજ નવા મંત્રી મંડળની શપથ વિધી સમારોહ યોજાવાનો છે.

કેબિનેટ મંત્રીઓએ પણ આપ્યું રાજીનામું 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. ભાજપને 156 સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને 17 સીટો મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતુ ખોલ્યું હતું. નવી સરકાર બને તે પહેલા મુખ્યમંત્રી પદેથી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ સાથે રાજીનામું આપી દીધું છે. ઉપરાંત આવતી કાલે કમલમ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે જેમાં મંત્રીમંડળ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.