શપથ વિધી પહેલા ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ કમિટી ખારીજ, 12 ડિસેમ્બરે બનશે નવી સરકાર


  • Published By :
  • Published Date : 2022-12-09 15:37:54

પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં મતદાન યોજાયું હતું. જેનું પરિણામ આઠમી ડિસેમ્બરના રોજ આવ્યું હતું. ભાજપે પ્રચંડ બહુમતી સાથે તમામ રેકોર્ડ તોડી દીધા છે. ત્યારે આવનાર સમયમાં ગુજરાતમાં નવી સરકાર બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ સાથે પોતાનું રાજીનામું આચાર્ય દેવવ્રતને સુપ્રત કર્યું હતું. અને 12 ડિસેમ્બરના રોજ નવા મંત્રી મંડળની શપથ વિધી સમારોહ યોજાવાનો છે.

કેબિનેટ મંત્રીઓએ પણ આપ્યું રાજીનામું 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. ભાજપને 156 સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને 17 સીટો મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતુ ખોલ્યું હતું. નવી સરકાર બને તે પહેલા મુખ્યમંત્રી પદેથી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ સાથે રાજીનામું આપી દીધું છે. ઉપરાંત આવતી કાલે કમલમ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે જેમાં મંત્રીમંડળ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.