ભૂપેન્દ્ર પટેલની સાસુનું થયું નિધન, પરિવારજનોની હાજરીમાં સાદગીથી કરાઈ અંતિમવિધી


  • Published By :
  • Published Date : 2023-01-23 12:28:07

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસુમાનું અવસાન થયું છે. ગાંધીનગરના નિવાસ સ્થાને મુખ્યમંત્રીના સાસુમા શાંતાબેનનું મોડી રાત્રે અવસાન થઈ ગયું છે. સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારજનોની હાજરીમાં સાદગી અને શાસ્ત્રોક્ત વિધીથી તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.  


94 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ 

સીએમના સાસુ મુખ્યમંત્રીની સાથે ગાંધીનગરના સીએમ હાઉસ ખાતે રહેતા હતા. મોડી રાત્રે શાંતાબેનનું નિધન થઈ ગયું હતું. ગાંધીનગરના સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારજનોની હાજરીમાં સાદગી પૂર્ણ રીતે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. 1984માં ભૂપેન્દ્ર પટેલના લગ્ન હેતલબેન સાથે થયા હતા. હેતલબેન તેમના માતા પિતાના એક માત્ર સંતાન હતા. એકના એક સંતાન હોવાથી પિતાના અવસાન બાદ હેતલબેનની માતા તેમની સાથે રહેતા હતા. ભૂપેન્દ્ર પટેલના સાસુ છેલ્લા 15 વર્ષથી તેમની સાથે રહેતા હતા. 94 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે.       



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.