ભૂપેન્દ્ર પટેલની સાસુનું થયું નિધન, પરિવારજનોની હાજરીમાં સાદગીથી કરાઈ અંતિમવિધી


  • Published By :
  • Published Date : 2023-01-23 12:28:07

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસુમાનું અવસાન થયું છે. ગાંધીનગરના નિવાસ સ્થાને મુખ્યમંત્રીના સાસુમા શાંતાબેનનું મોડી રાત્રે અવસાન થઈ ગયું છે. સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારજનોની હાજરીમાં સાદગી અને શાસ્ત્રોક્ત વિધીથી તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.  


94 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ 

સીએમના સાસુ મુખ્યમંત્રીની સાથે ગાંધીનગરના સીએમ હાઉસ ખાતે રહેતા હતા. મોડી રાત્રે શાંતાબેનનું નિધન થઈ ગયું હતું. ગાંધીનગરના સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારજનોની હાજરીમાં સાદગી પૂર્ણ રીતે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. 1984માં ભૂપેન્દ્ર પટેલના લગ્ન હેતલબેન સાથે થયા હતા. હેતલબેન તેમના માતા પિતાના એક માત્ર સંતાન હતા. એકના એક સંતાન હોવાથી પિતાના અવસાન બાદ હેતલબેનની માતા તેમની સાથે રહેતા હતા. ભૂપેન્દ્ર પટેલના સાસુ છેલ્લા 15 વર્ષથી તેમની સાથે રહેતા હતા. 94 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે.       



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.