ભૂપેન્દ્ર પટેલ કાલે લેશે CM તરીકેના શપથ, PM મોદી પણ રહેશે હાજર


  • Published By :
  • Published Date : 2022-12-11 15:18:07

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ગઈ કાલે કમલમ ખાતે વિધાયક દળની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરાઈ હતી. આવતી કાલે એટલે કે 12 ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી  તરીકેના શપથ લેવાના છે. આ શપથ વિધી સમારોહમાં વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ હાજર રહેવાના છે. ત્યારે વડાપ્રધાન મોદી આજે ગુજરાત આવવાના છે.

Image


12 ડિસેમ્બરે યોજાશે શપથ સમારોહ   

182માંથી ભાજપે 156 સીટો પર જીત હાંસલ કરી છે. આ ઐતિહાસિક જીત બાદ ભાજપે જોરશોરથી વિજયની ઉજવણી કરી હતી. ગુજરાતના અનેક સ્થળો પર તેમજ દિલ્હીના મુખ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે 12 ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલ ફરી એક વખત મુખ્યમંત્રી બની ગુજરાતની કમાન સંભાળવાના છે. ગાંધીનગર ખાતે શપથ વિધી સમારોહ યોજાવાનો છે. 


PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ 28મીએ ગુજરાતની મુલાકાતે, PM કચ્છમાં વિકાસ  કામોનું લોકાર્પણ કરશે, તો અમિત શાહ નેશનલ ફોરેન્સિક યુનિ.ના પદવીદાનમાં ...

PM મોદી અને અમિત શાહ રહેશે હાજર

આ સમારોહને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ પણ હાજરી આપવાના છે. વડાપ્રધાન આવતી કાલે ગુજરાત આવવાના હતા પરંતુ તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે અને તેઓ આજ સુધીમાં ગુજરાત આવવાના છે. આ પહેલા ગઈ કાલે વિધાયક દળની બેઠક બાદ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલને દિલ્હીનું તેળું આવ્યું હતું. અને એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી ખાતે થયેલી બેઠકમાં મંત્રીમંડળને લઈ ચર્ચા કરવામાં આવી છે અને નામો પર મોહર લગાવામાં આવી છે.       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.