ભૂપેન્દ્ર પટેલ કાલે લેશે CM તરીકેના શપથ, PM મોદી પણ રહેશે હાજર


  • Published By :
  • Published Date : 2022-12-11 15:18:07

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ગઈ કાલે કમલમ ખાતે વિધાયક દળની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરાઈ હતી. આવતી કાલે એટલે કે 12 ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી  તરીકેના શપથ લેવાના છે. આ શપથ વિધી સમારોહમાં વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ હાજર રહેવાના છે. ત્યારે વડાપ્રધાન મોદી આજે ગુજરાત આવવાના છે.

Image


12 ડિસેમ્બરે યોજાશે શપથ સમારોહ   

182માંથી ભાજપે 156 સીટો પર જીત હાંસલ કરી છે. આ ઐતિહાસિક જીત બાદ ભાજપે જોરશોરથી વિજયની ઉજવણી કરી હતી. ગુજરાતના અનેક સ્થળો પર તેમજ દિલ્હીના મુખ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે 12 ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલ ફરી એક વખત મુખ્યમંત્રી બની ગુજરાતની કમાન સંભાળવાના છે. ગાંધીનગર ખાતે શપથ વિધી સમારોહ યોજાવાનો છે. 


PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ 28મીએ ગુજરાતની મુલાકાતે, PM કચ્છમાં વિકાસ  કામોનું લોકાર્પણ કરશે, તો અમિત શાહ નેશનલ ફોરેન્સિક યુનિ.ના પદવીદાનમાં ...

PM મોદી અને અમિત શાહ રહેશે હાજર

આ સમારોહને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ પણ હાજરી આપવાના છે. વડાપ્રધાન આવતી કાલે ગુજરાત આવવાના હતા પરંતુ તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે અને તેઓ આજ સુધીમાં ગુજરાત આવવાના છે. આ પહેલા ગઈ કાલે વિધાયક દળની બેઠક બાદ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલને દિલ્હીનું તેળું આવ્યું હતું. અને એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી ખાતે થયેલી બેઠકમાં મંત્રીમંડળને લઈ ચર્ચા કરવામાં આવી છે અને નામો પર મોહર લગાવામાં આવી છે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.