ભૂપેન્દ્ર પટેલ કાલે લેશે CM તરીકેના શપથ, PM મોદી પણ રહેશે હાજર


  • Published By :
  • Published Date : 2022-12-11 15:18:07

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ગઈ કાલે કમલમ ખાતે વિધાયક દળની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરાઈ હતી. આવતી કાલે એટલે કે 12 ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી  તરીકેના શપથ લેવાના છે. આ શપથ વિધી સમારોહમાં વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ હાજર રહેવાના છે. ત્યારે વડાપ્રધાન મોદી આજે ગુજરાત આવવાના છે.

Image


12 ડિસેમ્બરે યોજાશે શપથ સમારોહ   

182માંથી ભાજપે 156 સીટો પર જીત હાંસલ કરી છે. આ ઐતિહાસિક જીત બાદ ભાજપે જોરશોરથી વિજયની ઉજવણી કરી હતી. ગુજરાતના અનેક સ્થળો પર તેમજ દિલ્હીના મુખ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે 12 ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલ ફરી એક વખત મુખ્યમંત્રી બની ગુજરાતની કમાન સંભાળવાના છે. ગાંધીનગર ખાતે શપથ વિધી સમારોહ યોજાવાનો છે. 


PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ 28મીએ ગુજરાતની મુલાકાતે, PM કચ્છમાં વિકાસ  કામોનું લોકાર્પણ કરશે, તો અમિત શાહ નેશનલ ફોરેન્સિક યુનિ.ના પદવીદાનમાં ...

PM મોદી અને અમિત શાહ રહેશે હાજર

આ સમારોહને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ પણ હાજરી આપવાના છે. વડાપ્રધાન આવતી કાલે ગુજરાત આવવાના હતા પરંતુ તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે અને તેઓ આજ સુધીમાં ગુજરાત આવવાના છે. આ પહેલા ગઈ કાલે વિધાયક દળની બેઠક બાદ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલને દિલ્હીનું તેળું આવ્યું હતું. અને એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી ખાતે થયેલી બેઠકમાં મંત્રીમંડળને લઈ ચર્ચા કરવામાં આવી છે અને નામો પર મોહર લગાવામાં આવી છે.       



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.