ભૂપેન્દ્ર પટેલ કાલે લેશે CM તરીકેના શપથ, PM મોદી પણ રહેશે હાજર


  • Published By :
  • Published Date : 2022-12-11 15:18:07

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ગઈ કાલે કમલમ ખાતે વિધાયક દળની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરાઈ હતી. આવતી કાલે એટલે કે 12 ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી  તરીકેના શપથ લેવાના છે. આ શપથ વિધી સમારોહમાં વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ હાજર રહેવાના છે. ત્યારે વડાપ્રધાન મોદી આજે ગુજરાત આવવાના છે.

Image


12 ડિસેમ્બરે યોજાશે શપથ સમારોહ   

182માંથી ભાજપે 156 સીટો પર જીત હાંસલ કરી છે. આ ઐતિહાસિક જીત બાદ ભાજપે જોરશોરથી વિજયની ઉજવણી કરી હતી. ગુજરાતના અનેક સ્થળો પર તેમજ દિલ્હીના મુખ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે 12 ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલ ફરી એક વખત મુખ્યમંત્રી બની ગુજરાતની કમાન સંભાળવાના છે. ગાંધીનગર ખાતે શપથ વિધી સમારોહ યોજાવાનો છે. 


PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ 28મીએ ગુજરાતની મુલાકાતે, PM કચ્છમાં વિકાસ  કામોનું લોકાર્પણ કરશે, તો અમિત શાહ નેશનલ ફોરેન્સિક યુનિ.ના પદવીદાનમાં ...

PM મોદી અને અમિત શાહ રહેશે હાજર

આ સમારોહને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ પણ હાજરી આપવાના છે. વડાપ્રધાન આવતી કાલે ગુજરાત આવવાના હતા પરંતુ તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે અને તેઓ આજ સુધીમાં ગુજરાત આવવાના છે. આ પહેલા ગઈ કાલે વિધાયક દળની બેઠક બાદ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલને દિલ્હીનું તેળું આવ્યું હતું. અને એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી ખાતે થયેલી બેઠકમાં મંત્રીમંડળને લઈ ચર્ચા કરવામાં આવી છે અને નામો પર મોહર લગાવામાં આવી છે.       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.