ભાવનગરમાં હાર્ટ એટેકને કારણે ભૂવાજી મોતને ભેટ્યા! સતત વધી રહ્યા છે હાર્ટ એટેક આવવાના કિસ્સા!


  • Published By :
  • Published Date : 2023-03-27 13:28:26

કોરોના કાળ બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો એટેક આવવાને કારણે મોતને ભેટી રહ્યા છે. કોઈ યોગા કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ સ્પોર્ટસ કરતી વખતે એટેકનો ભોગ બનતા હોય છે. ત્યારે ભાવનગરમાં પણ હાર્ટ એટેક આવવાને કારણે ધૂણી રહેલા ભૂવાનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર ભૂવાએ ધૂણવાનું શરૂ કર્યું હતું. જેને લઈ લોકોને માતાજીનો પવન આવવાની વાત થઈ રહી હતી. પરંતુ ભૂવા પછી ઉભા જ ન થયા. જે બાદ તપાસ કરવામાં આવી જ્યારે ખબર પડી કે ભૂવા મોતને ભેટ્યા છે. જેને પગલે ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. 


નથી ખબર આવનાર ક્ષણ શું લઈને આવશે...   

અનેક દિવસોથી હાર્ટ એટેક આવવાની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. નાની નાની ઉંમરે લોકો એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. ઘણા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં એટેક આવવાને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. કોઈ ક્રિકેટ રમતા રમતા તો કોઈ બેડમિંટન રમતા રમતા કાળનો કોળિયો બની રહ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ વાતો કરતા કરતા અચાનક ઢળી પડે છે અને મોતને ભેટી રહ્યા છે. 


ધૂણતા ધૂણતા ભૂવાજી મોતને ભેટ્યા 

ત્યારે ભાવનગરમાં પણ હાર્ટ એટેકને કારણે એક ભૂવાજીનું મોત થયું છે તેવી માહિતી મળી રહી છે. હાર્ટ એટેક આવવાને કારણે ધૂણી રહેલા ભૂવા મોતને ભેટ્યા છે. મળતી માહિતી અનુસાર ભાવનગરના કુડા ગામમાં માતાજીના માંડવામાં ભૂવાજીએ ધૂણવાનું શરૂ કર્યું. 65 વર્ષના મકાભાઈ ગોહિલ નામના ભૂવા ધૂણી રહ્યા હતા. ધૂણતા ધૂણતા તેઓ જમીન પર પાથરેલા ગાદલા પર બેસી જાય છે અને પછી અચાનક ઢળી પડે છે. ઢળી પડ્યા બાદ થોડા સમય બાદ પણ ભૂવા ઉભા ન થયા. જે બાદ તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા ખબર પડી કે તેમનું મોત થઈ ગયું છે. જેને પગલે ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. 


અનેક યુવાનો બની રહ્યા છે હાર્ટ એટેકનો ભોગ 

તે પહેલા એવી ઘટના સામે આવી છે જેમાં પિતા સાથે વાત કરતા દીકરાનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. તે પહેલા ડાન્સ કરતા યુવક ઢળી પડ્યો હતો અને મોતને ભેટ્યો હતો. તે પહેલા કોઈ ક્રિકેટ રમતા રમતા ઢળી પડ્યો તો તે પહેલા બેડમિનટન રમતા રમતા યુવક કાળનો કોળિયો બન્યો હતો. ત્યારે મળતી માહિતી પ્રમાણે 2 મહિનામાં 10થી વધુ યુવકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. કોરોનાને બાદ યુવાનો પર હાર્ટ એટેકનું સંકટ સતત વધી રહ્યું છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.