ભાવનગરમાં હાર્ટ એટેકને કારણે ભૂવાજી મોતને ભેટ્યા! સતત વધી રહ્યા છે હાર્ટ એટેક આવવાના કિસ્સા!


  • Published By :
  • Published Date : 2023-03-27 13:28:26

કોરોના કાળ બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો એટેક આવવાને કારણે મોતને ભેટી રહ્યા છે. કોઈ યોગા કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ સ્પોર્ટસ કરતી વખતે એટેકનો ભોગ બનતા હોય છે. ત્યારે ભાવનગરમાં પણ હાર્ટ એટેક આવવાને કારણે ધૂણી રહેલા ભૂવાનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર ભૂવાએ ધૂણવાનું શરૂ કર્યું હતું. જેને લઈ લોકોને માતાજીનો પવન આવવાની વાત થઈ રહી હતી. પરંતુ ભૂવા પછી ઉભા જ ન થયા. જે બાદ તપાસ કરવામાં આવી જ્યારે ખબર પડી કે ભૂવા મોતને ભેટ્યા છે. જેને પગલે ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. 


નથી ખબર આવનાર ક્ષણ શું લઈને આવશે...   

અનેક દિવસોથી હાર્ટ એટેક આવવાની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. નાની નાની ઉંમરે લોકો એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. ઘણા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં એટેક આવવાને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. કોઈ ક્રિકેટ રમતા રમતા તો કોઈ બેડમિંટન રમતા રમતા કાળનો કોળિયો બની રહ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ વાતો કરતા કરતા અચાનક ઢળી પડે છે અને મોતને ભેટી રહ્યા છે. 


ધૂણતા ધૂણતા ભૂવાજી મોતને ભેટ્યા 

ત્યારે ભાવનગરમાં પણ હાર્ટ એટેકને કારણે એક ભૂવાજીનું મોત થયું છે તેવી માહિતી મળી રહી છે. હાર્ટ એટેક આવવાને કારણે ધૂણી રહેલા ભૂવા મોતને ભેટ્યા છે. મળતી માહિતી અનુસાર ભાવનગરના કુડા ગામમાં માતાજીના માંડવામાં ભૂવાજીએ ધૂણવાનું શરૂ કર્યું. 65 વર્ષના મકાભાઈ ગોહિલ નામના ભૂવા ધૂણી રહ્યા હતા. ધૂણતા ધૂણતા તેઓ જમીન પર પાથરેલા ગાદલા પર બેસી જાય છે અને પછી અચાનક ઢળી પડે છે. ઢળી પડ્યા બાદ થોડા સમય બાદ પણ ભૂવા ઉભા ન થયા. જે બાદ તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા ખબર પડી કે તેમનું મોત થઈ ગયું છે. જેને પગલે ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. 


અનેક યુવાનો બની રહ્યા છે હાર્ટ એટેકનો ભોગ 

તે પહેલા એવી ઘટના સામે આવી છે જેમાં પિતા સાથે વાત કરતા દીકરાનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. તે પહેલા ડાન્સ કરતા યુવક ઢળી પડ્યો હતો અને મોતને ભેટ્યો હતો. તે પહેલા કોઈ ક્રિકેટ રમતા રમતા ઢળી પડ્યો તો તે પહેલા બેડમિનટન રમતા રમતા યુવક કાળનો કોળિયો બન્યો હતો. ત્યારે મળતી માહિતી પ્રમાણે 2 મહિનામાં 10થી વધુ યુવકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. કોરોનાને બાદ યુવાનો પર હાર્ટ એટેકનું સંકટ સતત વધી રહ્યું છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.