ભાવનગરમાં હાર્ટ એટેકને કારણે ભૂવાજી મોતને ભેટ્યા! સતત વધી રહ્યા છે હાર્ટ એટેક આવવાના કિસ્સા!


  • Published By :
  • Published Date : 2023-03-27 13:28:26

કોરોના કાળ બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો એટેક આવવાને કારણે મોતને ભેટી રહ્યા છે. કોઈ યોગા કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ સ્પોર્ટસ કરતી વખતે એટેકનો ભોગ બનતા હોય છે. ત્યારે ભાવનગરમાં પણ હાર્ટ એટેક આવવાને કારણે ધૂણી રહેલા ભૂવાનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર ભૂવાએ ધૂણવાનું શરૂ કર્યું હતું. જેને લઈ લોકોને માતાજીનો પવન આવવાની વાત થઈ રહી હતી. પરંતુ ભૂવા પછી ઉભા જ ન થયા. જે બાદ તપાસ કરવામાં આવી જ્યારે ખબર પડી કે ભૂવા મોતને ભેટ્યા છે. જેને પગલે ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. 


નથી ખબર આવનાર ક્ષણ શું લઈને આવશે...   

અનેક દિવસોથી હાર્ટ એટેક આવવાની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. નાની નાની ઉંમરે લોકો એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. ઘણા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં એટેક આવવાને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. કોઈ ક્રિકેટ રમતા રમતા તો કોઈ બેડમિંટન રમતા રમતા કાળનો કોળિયો બની રહ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ વાતો કરતા કરતા અચાનક ઢળી પડે છે અને મોતને ભેટી રહ્યા છે. 


ધૂણતા ધૂણતા ભૂવાજી મોતને ભેટ્યા 

ત્યારે ભાવનગરમાં પણ હાર્ટ એટેકને કારણે એક ભૂવાજીનું મોત થયું છે તેવી માહિતી મળી રહી છે. હાર્ટ એટેક આવવાને કારણે ધૂણી રહેલા ભૂવા મોતને ભેટ્યા છે. મળતી માહિતી અનુસાર ભાવનગરના કુડા ગામમાં માતાજીના માંડવામાં ભૂવાજીએ ધૂણવાનું શરૂ કર્યું. 65 વર્ષના મકાભાઈ ગોહિલ નામના ભૂવા ધૂણી રહ્યા હતા. ધૂણતા ધૂણતા તેઓ જમીન પર પાથરેલા ગાદલા પર બેસી જાય છે અને પછી અચાનક ઢળી પડે છે. ઢળી પડ્યા બાદ થોડા સમય બાદ પણ ભૂવા ઉભા ન થયા. જે બાદ તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા ખબર પડી કે તેમનું મોત થઈ ગયું છે. જેને પગલે ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. 


અનેક યુવાનો બની રહ્યા છે હાર્ટ એટેકનો ભોગ 

તે પહેલા એવી ઘટના સામે આવી છે જેમાં પિતા સાથે વાત કરતા દીકરાનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. તે પહેલા ડાન્સ કરતા યુવક ઢળી પડ્યો હતો અને મોતને ભેટ્યો હતો. તે પહેલા કોઈ ક્રિકેટ રમતા રમતા ઢળી પડ્યો તો તે પહેલા બેડમિનટન રમતા રમતા યુવક કાળનો કોળિયો બન્યો હતો. ત્યારે મળતી માહિતી પ્રમાણે 2 મહિનામાં 10થી વધુ યુવકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. કોરોનાને બાદ યુવાનો પર હાર્ટ એટેકનું સંકટ સતત વધી રહ્યું છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.