Big Breaking: તલાટીની પરીક્ષા હવે 7મી મેના રોજ લેવાશે


  • Published By :
  • Published Date : 2023-04-12 17:27:29

તલાટીની પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે. જે તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજાવાની હતી તે હવે 7 મેના રોજ યોજાવાની છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા હસમુખ પટેલે કહ્યું કે જો વર્ગ ખંડની વ્યવસ્થા નહીં થાય તો પરીક્ષાઓ નહીં યોજાય. ત્યારે આ તલાટીને લઈ મહત્વની માહિતી મળી હતી.

        

30 એપ્રિલના રોજ યોજાવાની હતી પરીક્ષા 

જુનિયર ક્લાર્કની પરીક્ષા અનેક વર્ષો બાદ યોજાઈ હતી. લાખો ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તે સમયે હસમુખ પટેલે તલાટી અંગે નિવેદન આપ્યું હતું. ત્યારે તલાટીની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 30 એપ્રિલના રોજ આ તલાટીની પરીક્ષા યોજાવાની હતી પરંતુ હવે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. 


ઋષિકેશ પટેલેે આપી આ અંગે જાણકારી

30 એપ્રિલના રોજ આ પરીક્ષા યોજાવાની હતી પરંતુ હવે આ પરીક્ષા 7 મેના રોજ યોજાવાની છે. ઋષિકેશ પટેલે આ અંગેની જાહેરાત કરી છે. પરીક્ષાની તારીખમાં ફેરફર થવાની જાણકારી ઋષિકેશ પટેલે આપી છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે તલાટીની પરીક્ષા લેવા માટે પૂરતી સંખ્યામાં કેન્દ્રો ન મળતા પરીક્ષા પાછળ ખસેડવામાં આવી છે. ત્યારે પ્રશ્નએ થાય છે કે શું ખરેખર 7 મેના રોજ પરીક્ષાનું આયોજન થશે? શું પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ રીતે આ પરીક્ષા આપી શકશે? આ બધા વચ્ચે એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે 7 મેના રોજ NEETની પરીક્ષા પણ યોજાવાની છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.