Big Breaking: તલાટીની પરીક્ષા હવે 7મી મેના રોજ લેવાશે


  • Published By :
  • Published Date : 2023-04-12 17:27:29

તલાટીની પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે. જે તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજાવાની હતી તે હવે 7 મેના રોજ યોજાવાની છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા હસમુખ પટેલે કહ્યું કે જો વર્ગ ખંડની વ્યવસ્થા નહીં થાય તો પરીક્ષાઓ નહીં યોજાય. ત્યારે આ તલાટીને લઈ મહત્વની માહિતી મળી હતી.

        

30 એપ્રિલના રોજ યોજાવાની હતી પરીક્ષા 

જુનિયર ક્લાર્કની પરીક્ષા અનેક વર્ષો બાદ યોજાઈ હતી. લાખો ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તે સમયે હસમુખ પટેલે તલાટી અંગે નિવેદન આપ્યું હતું. ત્યારે તલાટીની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 30 એપ્રિલના રોજ આ તલાટીની પરીક્ષા યોજાવાની હતી પરંતુ હવે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. 


ઋષિકેશ પટેલેે આપી આ અંગે જાણકારી

30 એપ્રિલના રોજ આ પરીક્ષા યોજાવાની હતી પરંતુ હવે આ પરીક્ષા 7 મેના રોજ યોજાવાની છે. ઋષિકેશ પટેલે આ અંગેની જાહેરાત કરી છે. પરીક્ષાની તારીખમાં ફેરફર થવાની જાણકારી ઋષિકેશ પટેલે આપી છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે તલાટીની પરીક્ષા લેવા માટે પૂરતી સંખ્યામાં કેન્દ્રો ન મળતા પરીક્ષા પાછળ ખસેડવામાં આવી છે. ત્યારે પ્રશ્નએ થાય છે કે શું ખરેખર 7 મેના રોજ પરીક્ષાનું આયોજન થશે? શું પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ રીતે આ પરીક્ષા આપી શકશે? આ બધા વચ્ચે એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે 7 મેના રોજ NEETની પરીક્ષા પણ યોજાવાની છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.