Big Breaking: તલાટીની પરીક્ષા હવે 7મી મેના રોજ લેવાશે


  • Published By :
  • Published Date : 2023-04-12 17:27:29

તલાટીની પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે. જે તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજાવાની હતી તે હવે 7 મેના રોજ યોજાવાની છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા હસમુખ પટેલે કહ્યું કે જો વર્ગ ખંડની વ્યવસ્થા નહીં થાય તો પરીક્ષાઓ નહીં યોજાય. ત્યારે આ તલાટીને લઈ મહત્વની માહિતી મળી હતી.

        

30 એપ્રિલના રોજ યોજાવાની હતી પરીક્ષા 

જુનિયર ક્લાર્કની પરીક્ષા અનેક વર્ષો બાદ યોજાઈ હતી. લાખો ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તે સમયે હસમુખ પટેલે તલાટી અંગે નિવેદન આપ્યું હતું. ત્યારે તલાટીની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 30 એપ્રિલના રોજ આ તલાટીની પરીક્ષા યોજાવાની હતી પરંતુ હવે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. 


ઋષિકેશ પટેલેે આપી આ અંગે જાણકારી

30 એપ્રિલના રોજ આ પરીક્ષા યોજાવાની હતી પરંતુ હવે આ પરીક્ષા 7 મેના રોજ યોજાવાની છે. ઋષિકેશ પટેલે આ અંગેની જાહેરાત કરી છે. પરીક્ષાની તારીખમાં ફેરફર થવાની જાણકારી ઋષિકેશ પટેલે આપી છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે તલાટીની પરીક્ષા લેવા માટે પૂરતી સંખ્યામાં કેન્દ્રો ન મળતા પરીક્ષા પાછળ ખસેડવામાં આવી છે. ત્યારે પ્રશ્નએ થાય છે કે શું ખરેખર 7 મેના રોજ પરીક્ષાનું આયોજન થશે? શું પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ રીતે આ પરીક્ષા આપી શકશે? આ બધા વચ્ચે એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે 7 મેના રોજ NEETની પરીક્ષા પણ યોજાવાની છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે