માન સરકારનો મોટો નિર્ણયઃ પંજાબમાં નવા હથિયાર લાઇસન્સ પર પ્રતિબંધ મુકાયો


  • Published By :
  • Published Date : 2022-11-13 16:36:50

પંજાબની ભગવંત માન સરકારે નવા હથિયાર લાઇસન્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ડીસી વ્યક્તિગત રીતે સંતુષ્ટ ન થાય ત્યાં સુધી કોઈ નવું લાઇસન્સ આપવામાં આવશે નહીં. અત્યાર સુધી જારી કરાયેલા શસ્ત્ર લાયસન્સની આગામી 3 મહિનામાં સમીક્ષા કરવામાં આવશે.

Punjab CM Bhagwant Mann warns singers promoting gun culture through songs

આ સિવાય શસ્ત્રોના જાહેર પ્રદર્શન પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આગામી દિવસોમાં રેન્ડમ ચેકીંગ થશે.


પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને કારણે ટીકાઓનો સામનો કરી રહેલી પંજાબ સરકાર આકરા નિર્ણયો લઈ રહી છે. શનિવારે જ પોલીસ અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી હતી. સરકારે ત્રણ CP સહિત આઠ SSP સહિત કુલ 30 IPS અને ત્રણ PPS અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા હતા. હિન્દુ નેતા સુધીર સૂરી હત્યા કેસમાં અમૃતસરના પોલીસ કમિશનર અરુણ પાલ સિંહથી નારાજ સરકારે તેમને આઈજી પ્રોવિઝનિંગ તરીકે નિયુક્ત કર્યા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.