માન સરકારનો મોટો નિર્ણયઃ પંજાબમાં નવા હથિયાર લાઇસન્સ પર પ્રતિબંધ મુકાયો


  • Published By :
  • Published Date : 2022-11-13 16:36:50

પંજાબની ભગવંત માન સરકારે નવા હથિયાર લાઇસન્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ડીસી વ્યક્તિગત રીતે સંતુષ્ટ ન થાય ત્યાં સુધી કોઈ નવું લાઇસન્સ આપવામાં આવશે નહીં. અત્યાર સુધી જારી કરાયેલા શસ્ત્ર લાયસન્સની આગામી 3 મહિનામાં સમીક્ષા કરવામાં આવશે.

Punjab CM Bhagwant Mann warns singers promoting gun culture through songs

આ સિવાય શસ્ત્રોના જાહેર પ્રદર્શન પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આગામી દિવસોમાં રેન્ડમ ચેકીંગ થશે.


પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને કારણે ટીકાઓનો સામનો કરી રહેલી પંજાબ સરકાર આકરા નિર્ણયો લઈ રહી છે. શનિવારે જ પોલીસ અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી હતી. સરકારે ત્રણ CP સહિત આઠ SSP સહિત કુલ 30 IPS અને ત્રણ PPS અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા હતા. હિન્દુ નેતા સુધીર સૂરી હત્યા કેસમાં અમૃતસરના પોલીસ કમિશનર અરુણ પાલ સિંહથી નારાજ સરકારે તેમને આઈજી પ્રોવિઝનિંગ તરીકે નિયુક્ત કર્યા છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે