માન સરકારનો મોટો નિર્ણયઃ પંજાબમાં નવા હથિયાર લાઇસન્સ પર પ્રતિબંધ મુકાયો


  • Published By :
  • Published Date : 2022-11-13 16:36:50

પંજાબની ભગવંત માન સરકારે નવા હથિયાર લાઇસન્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ડીસી વ્યક્તિગત રીતે સંતુષ્ટ ન થાય ત્યાં સુધી કોઈ નવું લાઇસન્સ આપવામાં આવશે નહીં. અત્યાર સુધી જારી કરાયેલા શસ્ત્ર લાયસન્સની આગામી 3 મહિનામાં સમીક્ષા કરવામાં આવશે.

Punjab CM Bhagwant Mann warns singers promoting gun culture through songs

આ સિવાય શસ્ત્રોના જાહેર પ્રદર્શન પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આગામી દિવસોમાં રેન્ડમ ચેકીંગ થશે.


પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને કારણે ટીકાઓનો સામનો કરી રહેલી પંજાબ સરકાર આકરા નિર્ણયો લઈ રહી છે. શનિવારે જ પોલીસ અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી હતી. સરકારે ત્રણ CP સહિત આઠ SSP સહિત કુલ 30 IPS અને ત્રણ PPS અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા હતા. હિન્દુ નેતા સુધીર સૂરી હત્યા કેસમાં અમૃતસરના પોલીસ કમિશનર અરુણ પાલ સિંહથી નારાજ સરકારે તેમને આઈજી પ્રોવિઝનિંગ તરીકે નિયુક્ત કર્યા છે.



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...