કિંજલ દવેને ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ગીતના કોપીરાઇટ કેસમાં મોટી રાહત, કોર્ટે આરોપો ફગાવ્યા


  • Published By :
  • Published Date : 2024-01-30 21:14:40

ખ્યાતનામ ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેને "ચાર ચાર બંગડી વાળી ગાડી..." ગીત કેસમાં રાહત મળી છે. તેની સામે ચાલી રહેલા ગીતના કેસને આજે અમદાવાદ સિટી સિવિલ કોર્ટે રદબાતલ કરી દીધો છે. રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી. નામની કંપનીએ આ ગીતના કોપી રાઈટના હક્કો પર પોતાનો દાવો રજુ કરી કિંજલ દલે પર કેસ કર્યો હતો. જો કે આ કંપની કેસ આજે અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમર્શિયલ કોર્ટમાં  ગીતના કોપી રાઈટના હક્કો સાબિત ન કરી શકતા કોર્ટે આ કોપી રાઈટનો કેસ રદબાતલ કરી દીધો છે.


શું છે સમગ્ર મામલો?


કિંજલ દવેના આ કેસના એડવોકેટ પ્રતિક ચૌધીર અને જતીન ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું હતુ કે, કિંજલ દવેને “ચાર ચાર બંગડી વાળી ગાડી” ગીત ગાતા રોકવા માટે રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી. નામની કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટનો કેસ ફાઇલ કર્યો હતો. જે કેસ કિંજલ દવે સિવિલ કોર્ટમાં જીતી ગઈ છે. આ કેસ અંગે માહિતી આપતા એડવોકેટએ જણાવ્યું કે, ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતના કોપીરાઇટના હક્કો તેઓ (રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી)એ કોઈ કાર્તિક પટેલ પાસેથી ખરીદેલા છે અને તે ગીતના કોપીરાઇટના હક્કો તેઓની (રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી.) પાસે છે અને તે ગીત તેમની રજા પરવાનગી વગર કિંજલ દવે કે અન્ય કોઈપણ વ્યક્તિ ગાઈ શકે નહીં કે કોઈપણ કંપની કે વ્યક્તિ ડિજિટલ પ્લૅટફૉર્મ ઉપર મૂકી શકે નહીં તેવી દાદ માંગી હતી. પરંતુ તે હક્કો અમદાવાદ સિટી સિવિલના કોમર્શિયલ કોર્ટ સમક્ષ કેસમાં રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી. પોતાના જણાવેલા ગીતના કોપીરાઇટના હક્કો સાબિત કરી શક્યા નહી. જેથી કોર્ટે તેમના દ્વારા કિંજલ દવે સામે કરેલ કોપીરાઇટનો કેસ ખર્ચ સાથે રદ બાતલ કરી કાઢી નાખ્યો હતો.


અગાઉ રૂ.1 લાખનો દંડ ફટકાર્યો હતો


કિંજલ દવે પર  ચાર ચાર બંગળી વાળી ગાડી ગીત કોપી કરવાનો આરોપ હતો. જે કેસ થયા બાદ કોર્ટ આ ગીત ન ગાવવાનું જણાવ્યું હતું, પરંતુ છતા કિંજલ દવે આ ગીત ગાયું હતું. જે મામલે કિંજલ દવેને કોર્ટમાં માફી પણ માંગી હતી. જોકે કોર્ટે કિંજલની માફી ન સ્વીકારીને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જે મુદ્દે કિંજલને 1 લાખ દંડ ચૂકવવાનો વારો આવ્યો હતો. જો કે, હવે કિંજલ દવેને અમદાવાદ સિટી સિવિલ કોર્ટે મોટી રાહત આપી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.