કિંજલ દવેને ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ગીતના કોપીરાઇટ કેસમાં મોટી રાહત, કોર્ટે આરોપો ફગાવ્યા


  • Published By :
  • Published Date : 2024-01-30 21:14:40

ખ્યાતનામ ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેને "ચાર ચાર બંગડી વાળી ગાડી..." ગીત કેસમાં રાહત મળી છે. તેની સામે ચાલી રહેલા ગીતના કેસને આજે અમદાવાદ સિટી સિવિલ કોર્ટે રદબાતલ કરી દીધો છે. રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી. નામની કંપનીએ આ ગીતના કોપી રાઈટના હક્કો પર પોતાનો દાવો રજુ કરી કિંજલ દલે પર કેસ કર્યો હતો. જો કે આ કંપની કેસ આજે અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમર્શિયલ કોર્ટમાં  ગીતના કોપી રાઈટના હક્કો સાબિત ન કરી શકતા કોર્ટે આ કોપી રાઈટનો કેસ રદબાતલ કરી દીધો છે.


શું છે સમગ્ર મામલો?


કિંજલ દવેના આ કેસના એડવોકેટ પ્રતિક ચૌધીર અને જતીન ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું હતુ કે, કિંજલ દવેને “ચાર ચાર બંગડી વાળી ગાડી” ગીત ગાતા રોકવા માટે રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી. નામની કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટનો કેસ ફાઇલ કર્યો હતો. જે કેસ કિંજલ દવે સિવિલ કોર્ટમાં જીતી ગઈ છે. આ કેસ અંગે માહિતી આપતા એડવોકેટએ જણાવ્યું કે, ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતના કોપીરાઇટના હક્કો તેઓ (રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી)એ કોઈ કાર્તિક પટેલ પાસેથી ખરીદેલા છે અને તે ગીતના કોપીરાઇટના હક્કો તેઓની (રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી.) પાસે છે અને તે ગીત તેમની રજા પરવાનગી વગર કિંજલ દવે કે અન્ય કોઈપણ વ્યક્તિ ગાઈ શકે નહીં કે કોઈપણ કંપની કે વ્યક્તિ ડિજિટલ પ્લૅટફૉર્મ ઉપર મૂકી શકે નહીં તેવી દાદ માંગી હતી. પરંતુ તે હક્કો અમદાવાદ સિટી સિવિલના કોમર્શિયલ કોર્ટ સમક્ષ કેસમાં રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી. પોતાના જણાવેલા ગીતના કોપીરાઇટના હક્કો સાબિત કરી શક્યા નહી. જેથી કોર્ટે તેમના દ્વારા કિંજલ દવે સામે કરેલ કોપીરાઇટનો કેસ ખર્ચ સાથે રદ બાતલ કરી કાઢી નાખ્યો હતો.


અગાઉ રૂ.1 લાખનો દંડ ફટકાર્યો હતો


કિંજલ દવે પર  ચાર ચાર બંગળી વાળી ગાડી ગીત કોપી કરવાનો આરોપ હતો. જે કેસ થયા બાદ કોર્ટ આ ગીત ન ગાવવાનું જણાવ્યું હતું, પરંતુ છતા કિંજલ દવે આ ગીત ગાયું હતું. જે મામલે કિંજલ દવેને કોર્ટમાં માફી પણ માંગી હતી. જોકે કોર્ટે કિંજલની માફી ન સ્વીકારીને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જે મુદ્દે કિંજલને 1 લાખ દંડ ચૂકવવાનો વારો આવ્યો હતો. જો કે, હવે કિંજલ દવેને અમદાવાદ સિટી સિવિલ કોર્ટે મોટી રાહત આપી છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે