ડમી કાંડ - તોડ કાંડમાં થયો મોટો ખુલાસો! યુવરાજસિંહે પૈસાનું રોકાણ દહેગામમાં કર્યું! સામે આવ્યા સીસીટીવી ફૂટેજ!


  • Published By :
  • Published Date : 2023-05-02 12:39:29

ડમી કાંડ તોડ કાંડ મામલે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ડમી કાંડમાં નામ ન લેવા માટે યુવરાજસિંહે પૈસા લીધા હતા તેવા આક્ષેપો લાગ્યા હતા. જે બાદ .યુવરાજસિંહને પોલીસે સમન્સ જાહેર કર્યા હતા અને જે બાદ યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર રહ્યા ત્યારે લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. ત્યારે વધુ એક ખુલાસો આ કેસમાં થયો છે. એસઆઈટીની ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી જેમાં સામે આવ્યું કે ધોળકાના રુપિયાનું રોકાણ યુવરાજસિંહે દહેગામમાં કર્યું હતું. . યુવરાજસિંહના સસરા અને શિવભાના પિતાએ ભાવનગરના આંગડિયામાંથી દહેગામ 6 લાખ રુપિયા મોકલ્યા હતા. આ અંગેના સીસીટીવી સામે આવ્યા છે.      


યુવરાજસિંહને કરાયા જેલ હવાલે!

સમગ્ર રાજ્યમાં ડમી કાંડને લઈ ચર્ચાઓ થઈ રહી છે. યુવરાજસિંહ વિરૂદ્ધ એક કરોડની ખંડણી ઉઘરાવવનો આરોપ લાગ્યો છે. આ મામલે યુવરાજસિંહ, તેમના સાળા સહિત 6 લોકો વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસની કસ્ટડીમાં આવ્યા બાદ યુવરાજસિંહના સાળા પાસેથી પોલીસે પૈસા રિકવર કર્યા છે. યુવરાજસિંહના રિમાન્ડ પૂર્ણ થયા બાદ ગઈકાલે તેમને કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. પરંતુ રિમાન્ડને વધારવામાં આવ્યા ન હતા. જે બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.


જેલ જતાં પહેલા યુવરાજસિંહે આપ્યું હતું નિવેદન!

કોર્ટમાં જ્યારે યુવરાજસિંહને હાજર કરવામાં આવ્યા હતા ત્યારે તેમણે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે આ તો માત્ર હજૂ એક શરૂઆત છે, અંત હજુ બાકી છે. આ તો હજુ અલ્પવિરામ છે પૂર્ણવિરામ નથી. સમય જવા દો, પાંચ પાંડવો આવશે અને હજું બીજું ઘણું બધુ સામે આવશે. 


સીસીટીવી આવ્યા સામે!  

મહત્વનું છે કે આ મામલે પોલીસ દ્વારા એકદમ ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક કરોડની રકમમાંથી અનેક લાખો પોલીસે રિકવર કરી લીધા છે. ત્યારે આ મામલે વધુ એક પુરાવો મળ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે યુવરાજસિંહે દહેગામમાં રોકાણ કર્યું હતું. યુવરાજસિંહના સસરા અને તેમના સાળાએ 6 લાખ આંગડિયામાંથી દહેગામ મોકલ્યા હતા. આના સીસીટીવી પણ સામે આવ્યા છે.         



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.