ડમી કાંડ - તોડ કાંડમાં થયો મોટો ખુલાસો! યુવરાજસિંહે પૈસાનું રોકાણ દહેગામમાં કર્યું! સામે આવ્યા સીસીટીવી ફૂટેજ!


  • Published By :
  • Published Date : 2023-05-02 12:39:29

ડમી કાંડ તોડ કાંડ મામલે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ડમી કાંડમાં નામ ન લેવા માટે યુવરાજસિંહે પૈસા લીધા હતા તેવા આક્ષેપો લાગ્યા હતા. જે બાદ .યુવરાજસિંહને પોલીસે સમન્સ જાહેર કર્યા હતા અને જે બાદ યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર રહ્યા ત્યારે લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. ત્યારે વધુ એક ખુલાસો આ કેસમાં થયો છે. એસઆઈટીની ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી જેમાં સામે આવ્યું કે ધોળકાના રુપિયાનું રોકાણ યુવરાજસિંહે દહેગામમાં કર્યું હતું. . યુવરાજસિંહના સસરા અને શિવભાના પિતાએ ભાવનગરના આંગડિયામાંથી દહેગામ 6 લાખ રુપિયા મોકલ્યા હતા. આ અંગેના સીસીટીવી સામે આવ્યા છે.      


યુવરાજસિંહને કરાયા જેલ હવાલે!

સમગ્ર રાજ્યમાં ડમી કાંડને લઈ ચર્ચાઓ થઈ રહી છે. યુવરાજસિંહ વિરૂદ્ધ એક કરોડની ખંડણી ઉઘરાવવનો આરોપ લાગ્યો છે. આ મામલે યુવરાજસિંહ, તેમના સાળા સહિત 6 લોકો વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસની કસ્ટડીમાં આવ્યા બાદ યુવરાજસિંહના સાળા પાસેથી પોલીસે પૈસા રિકવર કર્યા છે. યુવરાજસિંહના રિમાન્ડ પૂર્ણ થયા બાદ ગઈકાલે તેમને કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. પરંતુ રિમાન્ડને વધારવામાં આવ્યા ન હતા. જે બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.


જેલ જતાં પહેલા યુવરાજસિંહે આપ્યું હતું નિવેદન!

કોર્ટમાં જ્યારે યુવરાજસિંહને હાજર કરવામાં આવ્યા હતા ત્યારે તેમણે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે આ તો માત્ર હજૂ એક શરૂઆત છે, અંત હજુ બાકી છે. આ તો હજુ અલ્પવિરામ છે પૂર્ણવિરામ નથી. સમય જવા દો, પાંચ પાંડવો આવશે અને હજું બીજું ઘણું બધુ સામે આવશે. 


સીસીટીવી આવ્યા સામે!  

મહત્વનું છે કે આ મામલે પોલીસ દ્વારા એકદમ ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક કરોડની રકમમાંથી અનેક લાખો પોલીસે રિકવર કરી લીધા છે. ત્યારે આ મામલે વધુ એક પુરાવો મળ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે યુવરાજસિંહે દહેગામમાં રોકાણ કર્યું હતું. યુવરાજસિંહના સસરા અને તેમના સાળાએ 6 લાખ આંગડિયામાંથી દહેગામ મોકલ્યા હતા. આના સીસીટીવી પણ સામે આવ્યા છે.         



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.