ડમી કાંડ - તોડ કાંડમાં થયો મોટો ખુલાસો! યુવરાજસિંહે પૈસાનું રોકાણ દહેગામમાં કર્યું! સામે આવ્યા સીસીટીવી ફૂટેજ!


  • Published By :
  • Published Date : 2023-05-02 12:39:29

ડમી કાંડ તોડ કાંડ મામલે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ડમી કાંડમાં નામ ન લેવા માટે યુવરાજસિંહે પૈસા લીધા હતા તેવા આક્ષેપો લાગ્યા હતા. જે બાદ .યુવરાજસિંહને પોલીસે સમન્સ જાહેર કર્યા હતા અને જે બાદ યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર રહ્યા ત્યારે લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. ત્યારે વધુ એક ખુલાસો આ કેસમાં થયો છે. એસઆઈટીની ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી જેમાં સામે આવ્યું કે ધોળકાના રુપિયાનું રોકાણ યુવરાજસિંહે દહેગામમાં કર્યું હતું. . યુવરાજસિંહના સસરા અને શિવભાના પિતાએ ભાવનગરના આંગડિયામાંથી દહેગામ 6 લાખ રુપિયા મોકલ્યા હતા. આ અંગેના સીસીટીવી સામે આવ્યા છે.      


યુવરાજસિંહને કરાયા જેલ હવાલે!

સમગ્ર રાજ્યમાં ડમી કાંડને લઈ ચર્ચાઓ થઈ રહી છે. યુવરાજસિંહ વિરૂદ્ધ એક કરોડની ખંડણી ઉઘરાવવનો આરોપ લાગ્યો છે. આ મામલે યુવરાજસિંહ, તેમના સાળા સહિત 6 લોકો વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસની કસ્ટડીમાં આવ્યા બાદ યુવરાજસિંહના સાળા પાસેથી પોલીસે પૈસા રિકવર કર્યા છે. યુવરાજસિંહના રિમાન્ડ પૂર્ણ થયા બાદ ગઈકાલે તેમને કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. પરંતુ રિમાન્ડને વધારવામાં આવ્યા ન હતા. જે બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.


જેલ જતાં પહેલા યુવરાજસિંહે આપ્યું હતું નિવેદન!

કોર્ટમાં જ્યારે યુવરાજસિંહને હાજર કરવામાં આવ્યા હતા ત્યારે તેમણે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે આ તો માત્ર હજૂ એક શરૂઆત છે, અંત હજુ બાકી છે. આ તો હજુ અલ્પવિરામ છે પૂર્ણવિરામ નથી. સમય જવા દો, પાંચ પાંડવો આવશે અને હજું બીજું ઘણું બધુ સામે આવશે. 


સીસીટીવી આવ્યા સામે!  

મહત્વનું છે કે આ મામલે પોલીસ દ્વારા એકદમ ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક કરોડની રકમમાંથી અનેક લાખો પોલીસે રિકવર કરી લીધા છે. ત્યારે આ મામલે વધુ એક પુરાવો મળ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે યુવરાજસિંહે દહેગામમાં રોકાણ કર્યું હતું. યુવરાજસિંહના સસરા અને તેમના સાળાએ 6 લાખ આંગડિયામાંથી દહેગામ મોકલ્યા હતા. આના સીસીટીવી પણ સામે આવ્યા છે.         



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે