BJP સામે આદિવાસીઓની નારાજગી વચ્ચે AAPમાં કદ્દાવર આદિવાસી નેતા જોડાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 18:51:36

પાર તાપી લિંક પ્રોજેક્ટના કારણે અને બુલેટ ટ્રેનમાં જમીન સંપાદન મામલે અનેક ગુજરાત આદિવાસીઓ સરકારથી નારાજ છે ત્યારે આમ આદમી પાર્ટીમાં આજે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ઉપસ્થિતિમાં દાહોદના આદિવાસી નેતા પૂનાભાઈ બારિયા જોડાયા હતા. 


કોણ છે પૂના બારિયા?  

આદિવાસીઓ ભાજપ સરકારના યોજનાના કારણે નારાજ છે ત્યારે લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી તેનો ભરપૂર ફાયદો લેવા માગે છે. દાહોદ વિસ્તારના આદિવાસી ચહેરા એટલે કે પૂના બારિયાને આપે પોતાની પાર્ટીમાં સામેલ કર્યા હતા. પૂના બારિયા ભૂતપૂર્વ આદિવાસી અગ્રણી અને લીમખેડા વિધાનસભામાં જૂના ઉમેદવાર છે. તેમણે 2012ની વિધાનસભા ચૂંટણીમાં 52 હજારથી વધુ મત મેળવ્યા હતા. 


ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું?

પૂના બારિયાને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી ગોપાલ ઈટાલિયા(Gopal Italia)એ જણાવ્યું હતું કે, ભાજપના લોકો હિંસાની રાજનીતિ પર ઉતરી આવ્યા છે. અનેક આગેવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. ભાજપની અંદર ડરનો માહોલ છવાઈ ગયો છે માટે લોકો આપમાં જોડાઈ રહ્યા છે, જનતાએ પણ ઝાડુ ચલાવવાનું નક્કી કરી લીધું છે.   


પૂના બારિયાએ શું પ્રતિક્રિયા આપી?

મારી વિધાનસભા લિમખેડા છે. તો મને લાગ્યું કે આપનું કામ અને કાર્યશૈલી અમને પસંદ આવી. અમને પણ લાગી રહ્યું છે કે ગુજરાતને પરિવર્તનની જરૂર છે. વિકાસના કામો આપ જ કરી શકશે કારણ કે તમામ સમાજોને સાથે લઈને ચાલે છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.