BJP સામે આદિવાસીઓની નારાજગી વચ્ચે AAPમાં કદ્દાવર આદિવાસી નેતા જોડાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 18:51:36

પાર તાપી લિંક પ્રોજેક્ટના કારણે અને બુલેટ ટ્રેનમાં જમીન સંપાદન મામલે અનેક ગુજરાત આદિવાસીઓ સરકારથી નારાજ છે ત્યારે આમ આદમી પાર્ટીમાં આજે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ઉપસ્થિતિમાં દાહોદના આદિવાસી નેતા પૂનાભાઈ બારિયા જોડાયા હતા. 


કોણ છે પૂના બારિયા?  

આદિવાસીઓ ભાજપ સરકારના યોજનાના કારણે નારાજ છે ત્યારે લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી તેનો ભરપૂર ફાયદો લેવા માગે છે. દાહોદ વિસ્તારના આદિવાસી ચહેરા એટલે કે પૂના બારિયાને આપે પોતાની પાર્ટીમાં સામેલ કર્યા હતા. પૂના બારિયા ભૂતપૂર્વ આદિવાસી અગ્રણી અને લીમખેડા વિધાનસભામાં જૂના ઉમેદવાર છે. તેમણે 2012ની વિધાનસભા ચૂંટણીમાં 52 હજારથી વધુ મત મેળવ્યા હતા. 


ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું?

પૂના બારિયાને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી ગોપાલ ઈટાલિયા(Gopal Italia)એ જણાવ્યું હતું કે, ભાજપના લોકો હિંસાની રાજનીતિ પર ઉતરી આવ્યા છે. અનેક આગેવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. ભાજપની અંદર ડરનો માહોલ છવાઈ ગયો છે માટે લોકો આપમાં જોડાઈ રહ્યા છે, જનતાએ પણ ઝાડુ ચલાવવાનું નક્કી કરી લીધું છે.   


પૂના બારિયાએ શું પ્રતિક્રિયા આપી?

મારી વિધાનસભા લિમખેડા છે. તો મને લાગ્યું કે આપનું કામ અને કાર્યશૈલી અમને પસંદ આવી. અમને પણ લાગી રહ્યું છે કે ગુજરાતને પરિવર્તનની જરૂર છે. વિકાસના કામો આપ જ કરી શકશે કારણ કે તમામ સમાજોને સાથે લઈને ચાલે છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.