BJP સામે આદિવાસીઓની નારાજગી વચ્ચે AAPમાં કદ્દાવર આદિવાસી નેતા જોડાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 18:51:36

પાર તાપી લિંક પ્રોજેક્ટના કારણે અને બુલેટ ટ્રેનમાં જમીન સંપાદન મામલે અનેક ગુજરાત આદિવાસીઓ સરકારથી નારાજ છે ત્યારે આમ આદમી પાર્ટીમાં આજે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ઉપસ્થિતિમાં દાહોદના આદિવાસી નેતા પૂનાભાઈ બારિયા જોડાયા હતા. 


કોણ છે પૂના બારિયા?  

આદિવાસીઓ ભાજપ સરકારના યોજનાના કારણે નારાજ છે ત્યારે લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી તેનો ભરપૂર ફાયદો લેવા માગે છે. દાહોદ વિસ્તારના આદિવાસી ચહેરા એટલે કે પૂના બારિયાને આપે પોતાની પાર્ટીમાં સામેલ કર્યા હતા. પૂના બારિયા ભૂતપૂર્વ આદિવાસી અગ્રણી અને લીમખેડા વિધાનસભામાં જૂના ઉમેદવાર છે. તેમણે 2012ની વિધાનસભા ચૂંટણીમાં 52 હજારથી વધુ મત મેળવ્યા હતા. 


ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું?

પૂના બારિયાને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી ગોપાલ ઈટાલિયા(Gopal Italia)એ જણાવ્યું હતું કે, ભાજપના લોકો હિંસાની રાજનીતિ પર ઉતરી આવ્યા છે. અનેક આગેવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. ભાજપની અંદર ડરનો માહોલ છવાઈ ગયો છે માટે લોકો આપમાં જોડાઈ રહ્યા છે, જનતાએ પણ ઝાડુ ચલાવવાનું નક્કી કરી લીધું છે.   


પૂના બારિયાએ શું પ્રતિક્રિયા આપી?

મારી વિધાનસભા લિમખેડા છે. તો મને લાગ્યું કે આપનું કામ અને કાર્યશૈલી અમને પસંદ આવી. અમને પણ લાગી રહ્યું છે કે ગુજરાતને પરિવર્તનની જરૂર છે. વિકાસના કામો આપ જ કરી શકશે કારણ કે તમામ સમાજોને સાથે લઈને ચાલે છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.