BJP સામે આદિવાસીઓની નારાજગી વચ્ચે AAPમાં કદ્દાવર આદિવાસી નેતા જોડાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 18:51:36

પાર તાપી લિંક પ્રોજેક્ટના કારણે અને બુલેટ ટ્રેનમાં જમીન સંપાદન મામલે અનેક ગુજરાત આદિવાસીઓ સરકારથી નારાજ છે ત્યારે આમ આદમી પાર્ટીમાં આજે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ઉપસ્થિતિમાં દાહોદના આદિવાસી નેતા પૂનાભાઈ બારિયા જોડાયા હતા. 


કોણ છે પૂના બારિયા?  

આદિવાસીઓ ભાજપ સરકારના યોજનાના કારણે નારાજ છે ત્યારે લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી તેનો ભરપૂર ફાયદો લેવા માગે છે. દાહોદ વિસ્તારના આદિવાસી ચહેરા એટલે કે પૂના બારિયાને આપે પોતાની પાર્ટીમાં સામેલ કર્યા હતા. પૂના બારિયા ભૂતપૂર્વ આદિવાસી અગ્રણી અને લીમખેડા વિધાનસભામાં જૂના ઉમેદવાર છે. તેમણે 2012ની વિધાનસભા ચૂંટણીમાં 52 હજારથી વધુ મત મેળવ્યા હતા. 


ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું?

પૂના બારિયાને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી ગોપાલ ઈટાલિયા(Gopal Italia)એ જણાવ્યું હતું કે, ભાજપના લોકો હિંસાની રાજનીતિ પર ઉતરી આવ્યા છે. અનેક આગેવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. ભાજપની અંદર ડરનો માહોલ છવાઈ ગયો છે માટે લોકો આપમાં જોડાઈ રહ્યા છે, જનતાએ પણ ઝાડુ ચલાવવાનું નક્કી કરી લીધું છે.   


પૂના બારિયાએ શું પ્રતિક્રિયા આપી?

મારી વિધાનસભા લિમખેડા છે. તો મને લાગ્યું કે આપનું કામ અને કાર્યશૈલી અમને પસંદ આવી. અમને પણ લાગી રહ્યું છે કે ગુજરાતને પરિવર્તનની જરૂર છે. વિકાસના કામો આપ જ કરી શકશે કારણ કે તમામ સમાજોને સાથે લઈને ચાલે છે.  



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.