ડમીકાંડને લઈ મોટી અપડેટ, આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ કરાઈ દાખલ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-14 17:09:32

રાજ્યના ખૂબ ચર્ચિત ડમીકાંડમાં અપડેટ આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડી પરીક્ષાઓ પાસ કરનાર કૌભાંડ યુવરાજસિંહ દ્વારા બહાર લાવવામાં આવ્યું હતું. ચકચાર મચાવનાર કાંડમાં ભાવનગર પોલીસ તેમજ એસઓજી દ્વારા અનેક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. 61 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. યુવરાજસિંહ દ્વારા કરવામાં આવેલા ઘટસ્ફોટ બાદ પોલીસ પોતે ફરિયાદી બની હતી. ત્યારે આ મામલે કોર્ટમાં 1527 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી. 61 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.     

1527 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ

થોડા સમય પહેલા એક એવું કૌભાંડ સામે આવ્યું હતું જેણે આખા ગુજરાતને હચમચાવી દીધું હતું. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવે છે તેવા પુરાવા સાથે યુવરાજસિંહે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તે બાદ પોલીસે જાતે ફરિયાદી બની અનેક લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. આ મામલે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી. પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમાં અનેક આરોપીઓના નામનો સમાવેશ થયો હતો. સમયાંતરે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હજી સુધી 64 આરોપીની ધરપકડ કરી છે. કોર્ટ સમક્ષ એક સાથે 61 લોકોને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. 1527 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે ચાર્જશીટમાં 56 જેટલા સાક્ષીઓનો ઉલ્લેખ છે.    


થોડા પૈસાની લાલચમાં બગડે છે અનેક યુવાનોનું ભવિષ્ય 

60 આરોપીઓને એકસાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. આરોપીઓ કરતા તેમના મા બાપ આવા કિસ્સાઓમાં વધારે દોષી હોય છે. થોડા પૈસાની લાલચમાં પોતાના છોકરાઓને ગેરમાર્ગે અમુક માતા પિતા દોરતા હોય છે. ગેરરીતિથી આપવામાં આવતી પરીક્ષાઓને કારણે અનેક યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. આમાંથી કેટલાય એવા છોકરાઓ છે જે સારામાં સારી સરકારી નોકરી મેળવી શકે છે. પોતાના જીવનને સાર્થક કરી શકે છે. ખેર હવે આ લોકો દુનિયા માટે આરોપી છે અને તેમનું ભવિષ્ય અંધકારમાં છે કારણકે હવે તેમને સરકારી નોકરીતો છોડો પરંતુ તેમને કોઈ પ્રાઈવેટ કંપનીમાં પણ નોકરી નહીં મળે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.