ડમીકાંડને લઈ મોટી અપડેટ, આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ કરાઈ દાખલ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-14 17:09:32

રાજ્યના ખૂબ ચર્ચિત ડમીકાંડમાં અપડેટ આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડી પરીક્ષાઓ પાસ કરનાર કૌભાંડ યુવરાજસિંહ દ્વારા બહાર લાવવામાં આવ્યું હતું. ચકચાર મચાવનાર કાંડમાં ભાવનગર પોલીસ તેમજ એસઓજી દ્વારા અનેક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. 61 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. યુવરાજસિંહ દ્વારા કરવામાં આવેલા ઘટસ્ફોટ બાદ પોલીસ પોતે ફરિયાદી બની હતી. ત્યારે આ મામલે કોર્ટમાં 1527 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી. 61 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.     

1527 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ

થોડા સમય પહેલા એક એવું કૌભાંડ સામે આવ્યું હતું જેણે આખા ગુજરાતને હચમચાવી દીધું હતું. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવે છે તેવા પુરાવા સાથે યુવરાજસિંહે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તે બાદ પોલીસે જાતે ફરિયાદી બની અનેક લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. આ મામલે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી. પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમાં અનેક આરોપીઓના નામનો સમાવેશ થયો હતો. સમયાંતરે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હજી સુધી 64 આરોપીની ધરપકડ કરી છે. કોર્ટ સમક્ષ એક સાથે 61 લોકોને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. 1527 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે ચાર્જશીટમાં 56 જેટલા સાક્ષીઓનો ઉલ્લેખ છે.    


થોડા પૈસાની લાલચમાં બગડે છે અનેક યુવાનોનું ભવિષ્ય 

60 આરોપીઓને એકસાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. આરોપીઓ કરતા તેમના મા બાપ આવા કિસ્સાઓમાં વધારે દોષી હોય છે. થોડા પૈસાની લાલચમાં પોતાના છોકરાઓને ગેરમાર્ગે અમુક માતા પિતા દોરતા હોય છે. ગેરરીતિથી આપવામાં આવતી પરીક્ષાઓને કારણે અનેક યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. આમાંથી કેટલાય એવા છોકરાઓ છે જે સારામાં સારી સરકારી નોકરી મેળવી શકે છે. પોતાના જીવનને સાર્થક કરી શકે છે. ખેર હવે આ લોકો દુનિયા માટે આરોપી છે અને તેમનું ભવિષ્ય અંધકારમાં છે કારણકે હવે તેમને સરકારી નોકરીતો છોડો પરંતુ તેમને કોઈ પ્રાઈવેટ કંપનીમાં પણ નોકરી નહીં મળે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.