ડમીકાંડને લઈ મોટી અપડેટ, આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ કરાઈ દાખલ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-14 17:09:32

રાજ્યના ખૂબ ચર્ચિત ડમીકાંડમાં અપડેટ આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડી પરીક્ષાઓ પાસ કરનાર કૌભાંડ યુવરાજસિંહ દ્વારા બહાર લાવવામાં આવ્યું હતું. ચકચાર મચાવનાર કાંડમાં ભાવનગર પોલીસ તેમજ એસઓજી દ્વારા અનેક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. 61 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. યુવરાજસિંહ દ્વારા કરવામાં આવેલા ઘટસ્ફોટ બાદ પોલીસ પોતે ફરિયાદી બની હતી. ત્યારે આ મામલે કોર્ટમાં 1527 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી. 61 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.     

1527 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ

થોડા સમય પહેલા એક એવું કૌભાંડ સામે આવ્યું હતું જેણે આખા ગુજરાતને હચમચાવી દીધું હતું. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવે છે તેવા પુરાવા સાથે યુવરાજસિંહે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તે બાદ પોલીસે જાતે ફરિયાદી બની અનેક લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. આ મામલે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી. પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમાં અનેક આરોપીઓના નામનો સમાવેશ થયો હતો. સમયાંતરે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હજી સુધી 64 આરોપીની ધરપકડ કરી છે. કોર્ટ સમક્ષ એક સાથે 61 લોકોને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. 1527 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે ચાર્જશીટમાં 56 જેટલા સાક્ષીઓનો ઉલ્લેખ છે.    


થોડા પૈસાની લાલચમાં બગડે છે અનેક યુવાનોનું ભવિષ્ય 

60 આરોપીઓને એકસાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. આરોપીઓ કરતા તેમના મા બાપ આવા કિસ્સાઓમાં વધારે દોષી હોય છે. થોડા પૈસાની લાલચમાં પોતાના છોકરાઓને ગેરમાર્ગે અમુક માતા પિતા દોરતા હોય છે. ગેરરીતિથી આપવામાં આવતી પરીક્ષાઓને કારણે અનેક યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. આમાંથી કેટલાય એવા છોકરાઓ છે જે સારામાં સારી સરકારી નોકરી મેળવી શકે છે. પોતાના જીવનને સાર્થક કરી શકે છે. ખેર હવે આ લોકો દુનિયા માટે આરોપી છે અને તેમનું ભવિષ્ય અંધકારમાં છે કારણકે હવે તેમને સરકારી નોકરીતો છોડો પરંતુ તેમને કોઈ પ્રાઈવેટ કંપનીમાં પણ નોકરી નહીં મળે.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.