બિહાર:કેન્દ્રીય મંત્રી ગુસ્સે થયા,વ્યક્તિ પાસેથી માઈક છીનવી લીધું અને ધક્કો માર્યો:જુઓ વિડિઓ


  • Published By :
  • Published Date : 2022-11-14 14:52:56

કાર્યક્રમમાં ભાષણ દરમિયાન માઈક ગમે ત્યારે બગડી શકે છે. ટેક્નિકલ પ્રોબ્લેમ આવી શકે છે, પરંતુ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેને આ નાની વાત પર એટલો ગુસ્સો આવ્યો કે તેઓ ગુસ્સાથી ભડકી ગયા. એટલું જ નહીં, તેણે સ્ટેજ પર હાજર એક વ્યક્તિના હાથમાંથી બીજું માઈક પણ છીનવી લીધું. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.


ઘટના બિહારના બક્સર જિલ્લાની છે. અહીરૌલીમાં સંત સમાગમ દરમિયાન જ્યારે મંત્રી કંઈક બોલવા સ્ટેજ પર આવે છે ત્યારે તેમનું માઈક બગડી જાય છે.અને પછી મંત્રી ગુસ્સે થાય છે.


એક વ્યક્તિને ધક્કો માર્યો

ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે માઈક બગડી જાય છે ત્યારે મંત્રીની પાસે ઉભેલી વ્યક્તિ બીજું માઈક લઈને આવે છે. જો કે, તે તેના હાથમાંથી માઈક છીનવી લે છે અને તે માણસને ધક્કો મારે છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.