બિહાર:કેન્દ્રીય મંત્રી ગુસ્સે થયા,વ્યક્તિ પાસેથી માઈક છીનવી લીધું અને ધક્કો માર્યો:જુઓ વિડિઓ


  • Published By :
  • Published Date : 2022-11-14 14:52:56

કાર્યક્રમમાં ભાષણ દરમિયાન માઈક ગમે ત્યારે બગડી શકે છે. ટેક્નિકલ પ્રોબ્લેમ આવી શકે છે, પરંતુ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેને આ નાની વાત પર એટલો ગુસ્સો આવ્યો કે તેઓ ગુસ્સાથી ભડકી ગયા. એટલું જ નહીં, તેણે સ્ટેજ પર હાજર એક વ્યક્તિના હાથમાંથી બીજું માઈક પણ છીનવી લીધું. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.


ઘટના બિહારના બક્સર જિલ્લાની છે. અહીરૌલીમાં સંત સમાગમ દરમિયાન જ્યારે મંત્રી કંઈક બોલવા સ્ટેજ પર આવે છે ત્યારે તેમનું માઈક બગડી જાય છે.અને પછી મંત્રી ગુસ્સે થાય છે.


એક વ્યક્તિને ધક્કો માર્યો

ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે માઈક બગડી જાય છે ત્યારે મંત્રીની પાસે ઉભેલી વ્યક્તિ બીજું માઈક લઈને આવે છે. જો કે, તે તેના હાથમાંથી માઈક છીનવી લે છે અને તે માણસને ધક્કો મારે છે. 



બનાસકાંઠા અને પાટણ લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે પ્રિયંકા ગાંધી પ્રચાર કરવાના છે.. બનાસકાંઠાના લાખણીમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...