બિહાર:કેન્દ્રીય મંત્રી ગુસ્સે થયા,વ્યક્તિ પાસેથી માઈક છીનવી લીધું અને ધક્કો માર્યો:જુઓ વિડિઓ


  • Published By :
  • Published Date : 2022-11-14 14:52:56

કાર્યક્રમમાં ભાષણ દરમિયાન માઈક ગમે ત્યારે બગડી શકે છે. ટેક્નિકલ પ્રોબ્લેમ આવી શકે છે, પરંતુ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેને આ નાની વાત પર એટલો ગુસ્સો આવ્યો કે તેઓ ગુસ્સાથી ભડકી ગયા. એટલું જ નહીં, તેણે સ્ટેજ પર હાજર એક વ્યક્તિના હાથમાંથી બીજું માઈક પણ છીનવી લીધું. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.


ઘટના બિહારના બક્સર જિલ્લાની છે. અહીરૌલીમાં સંત સમાગમ દરમિયાન જ્યારે મંત્રી કંઈક બોલવા સ્ટેજ પર આવે છે ત્યારે તેમનું માઈક બગડી જાય છે.અને પછી મંત્રી ગુસ્સે થાય છે.


એક વ્યક્તિને ધક્કો માર્યો

ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે માઈક બગડી જાય છે ત્યારે મંત્રીની પાસે ઉભેલી વ્યક્તિ બીજું માઈક લઈને આવે છે. જો કે, તે તેના હાથમાંથી માઈક છીનવી લે છે અને તે માણસને ધક્કો મારે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે