બિપોરજોય ઈફેક્ટ: એસટી વિભાગે સૌરાષ્ટ્ર તરફ જતી 350થી વધુ બસો કરી રદ


  • Published By :
  • Published Date : 2023-06-13 19:59:39

વિનાશક વાવાઝોડું બિપોરજોય ગુજરાતના સમુદ્ર કિનારા તરફ ધસી રહ્યું છે. વાવાઝોડાની ભયાનક અસરને લઈ રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આ જ કારણે એસટી વિભાગે પણ ઘણી બસોના રુટ ટૂંકાવ્યા છે જ્યારે અનેક બસો રદ કરી છે. એસટી વિભાગે સૌરાષ્ટ્ર તરફ જતી 350થી વધુ એસટી બસો રદ કરવામાં આવી છે.  60 બસના રૂટ ટૂંકાવાયા છે. જામનગર, પોરબંદર, સોમનાથ, દ્વારકા જિલ્લાના રૂટ પર એસટી વ્યવહાર સદંતર ઠપ્પ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વાવાઝોડાની અસરના કારણે રેલવે વિભાગે અનેક ટ્રેનો રદ કરી છે. 


જામનગર ST વિભાગે 16 રૂટ બંધ કરી


બિપરજોય વાવાઝોડાના પગલે જામનગર એસટી વિભાગે મોટો નિર્ણય કર્યો છે.  વાવાઝોડાની સંભવિત અસરના કારણે જામનગર એસટી વિભાગે 16 રૂટ બંધ કરી છે.  જામનગરથી, દ્વારકા, વેરાવળ, પોરબંદર રૂટ સદંતર બંધ કરવામાં આવ્યા છે.  ઉપરાંત કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે. 


બે દિવસ એસટી બસોના રૂટ રદ


બિપોરજોય વાવઝોડાને પગલે હિંમતનગર વિભાગીય એસટી કચેરી દ્વારા એસટી બસોના રુટો રદ કરવામાં આવ્યા છે.  એસટી વિભાગીય કચેરીના 8 ડેપોના 18 એસટી બસોના રુટ રદ કરાયા છે.  સાબરકાંઠા,અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના 8 ડેપોના 18 એસટી બસોના રુટ રદ કરાયા છે. 14 અને 15 જૂન બે દિવસ એસટી બસોના રૂટ રદ કરાયા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.