યુવરાજસિંહ પર આક્ષેપ કરનાર બિપીન ત્રિવેદીને કરાયો ડિટેઈન! ડમી કાંડ મામલે થઈ શકે છે મોટા ખુલાસા! શું યુવરાજસિંહ વિરૂદ્ધ પણ થઈ શકે છે કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-04-17 10:52:15

છેલ્લા ઘણા સમયથી ડમી ઉમેદવાર કાંડને લઈ સમાચારો સામે આવી રહ્યા છે. ભાવનગર પોલીસે આ મામલે 36 આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી અને ચાર જેટલા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે આ મામલે થોડા દિવસો પહેલા એક મોટો ઘટસ્ફોટ થયો હતો. જે મુજબ નામ ન લેવા માટે યુવરાજસિંહે લાખો રુપિયા છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર પોલીસે બિપિન ત્રિવેદીને ડિટેન કરી લીધો છે. ત્યારે આવનાર સમયમાં આ મામલે અનેક મોટા ખુલાસા થઈ શકે છે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. આ મામલે એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે જે આ મામલે તપાસ કરવાની છે. 


બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો થયો હતો વાયરલ!

સ્પાર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાનો મોટો ઘટસ્ફોટ યુવરાજસિંહ દ્વારા થોડા સમય પહેલા કરવામાં આવ્યો હતો. જેમાં અનેક પૂરાવા સાથે યુવરાજસિંહના નામ લીધા હતા. આ મામલે ભાવનગર પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે 36 આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી જ્યારે અનેક આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારે આ મામલે યુવરાજસિંહ વિરૂદ્ધ બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે ડમી કાંડમાં નામ ન જાહેર કરવા માટે યુવરાજસિંહે લાખો રૂપિયા છે. 


ડમી ઉમેદવાર બની બેઠેલા સંજય પંડ્યા વિરૂદ્ધ પણ કરાઈ કાર્યવાહી! 

ત્યારે આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે બિપિન ત્રિવેદીને ડિટેઈન કરી દીધો છે અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે બિપિન ત્રિવેદી સરકારી અધિકારી હોવા છતાં પણ કોચિંગ ક્લાસીસ ચલાવતો હતો. ઉપરાંત ડમી કાંડ મામલે વધુ એક સમાચાર પણ સામે આવ્યા છે જેમાં ભાવનગર એસઆઈટીની ટીમ દ્વારા કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાંથી પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહેલા સંજય પંડ્યાની અટકાયત કરી લીધી છે. સંજય પંડ્યાએ 2021માં લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં અક્ષય નામના ઉમેદવારની જગ્યાએ ડમી ઉમેદવાર બની પરીક્ષા આપી હતી. 


આવનાર દિવસમાં આ મામલે આવી શકે છે મોટા ખુલાસા! 

ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે જો યુવરાજસિંહના નામની સંડોવણી હશે તો યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. બિપીન ત્રિવેદીની પૂછપરછના આધારે યુવરાજસિંહ સામે એફઆઈઆર નોંધવા તજવીજ હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે બિપીન ત્રિવેદીની પૂછપરછ દરમિયાન અનેક બીજા મોટા ખુલાસાઓ સામે આવી શકે છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે