યુવરાજસિંહ પર આક્ષેપ કરનાર બિપીન ત્રિવેદીને કરાયો ડિટેઈન! ડમી કાંડ મામલે થઈ શકે છે મોટા ખુલાસા! શું યુવરાજસિંહ વિરૂદ્ધ પણ થઈ શકે છે કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-04-17 10:52:15

છેલ્લા ઘણા સમયથી ડમી ઉમેદવાર કાંડને લઈ સમાચારો સામે આવી રહ્યા છે. ભાવનગર પોલીસે આ મામલે 36 આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી અને ચાર જેટલા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે આ મામલે થોડા દિવસો પહેલા એક મોટો ઘટસ્ફોટ થયો હતો. જે મુજબ નામ ન લેવા માટે યુવરાજસિંહે લાખો રુપિયા છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર પોલીસે બિપિન ત્રિવેદીને ડિટેન કરી લીધો છે. ત્યારે આવનાર સમયમાં આ મામલે અનેક મોટા ખુલાસા થઈ શકે છે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. આ મામલે એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે જે આ મામલે તપાસ કરવાની છે. 


બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો થયો હતો વાયરલ!

સ્પાર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાનો મોટો ઘટસ્ફોટ યુવરાજસિંહ દ્વારા થોડા સમય પહેલા કરવામાં આવ્યો હતો. જેમાં અનેક પૂરાવા સાથે યુવરાજસિંહના નામ લીધા હતા. આ મામલે ભાવનગર પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે 36 આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી જ્યારે અનેક આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારે આ મામલે યુવરાજસિંહ વિરૂદ્ધ બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે ડમી કાંડમાં નામ ન જાહેર કરવા માટે યુવરાજસિંહે લાખો રૂપિયા છે. 


ડમી ઉમેદવાર બની બેઠેલા સંજય પંડ્યા વિરૂદ્ધ પણ કરાઈ કાર્યવાહી! 

ત્યારે આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે બિપિન ત્રિવેદીને ડિટેઈન કરી દીધો છે અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે બિપિન ત્રિવેદી સરકારી અધિકારી હોવા છતાં પણ કોચિંગ ક્લાસીસ ચલાવતો હતો. ઉપરાંત ડમી કાંડ મામલે વધુ એક સમાચાર પણ સામે આવ્યા છે જેમાં ભાવનગર એસઆઈટીની ટીમ દ્વારા કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાંથી પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહેલા સંજય પંડ્યાની અટકાયત કરી લીધી છે. સંજય પંડ્યાએ 2021માં લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં અક્ષય નામના ઉમેદવારની જગ્યાએ ડમી ઉમેદવાર બની પરીક્ષા આપી હતી. 


આવનાર દિવસમાં આ મામલે આવી શકે છે મોટા ખુલાસા! 

ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે જો યુવરાજસિંહના નામની સંડોવણી હશે તો યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. બિપીન ત્રિવેદીની પૂછપરછના આધારે યુવરાજસિંહ સામે એફઆઈઆર નોંધવા તજવીજ હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે બિપીન ત્રિવેદીની પૂછપરછ દરમિયાન અનેક બીજા મોટા ખુલાસાઓ સામે આવી શકે છે.     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.