યુવરાજસિંહ પર આક્ષેપ કરનાર બિપીન ત્રિવેદીને કરાયો ડિટેઈન! ડમી કાંડ મામલે થઈ શકે છે મોટા ખુલાસા! શું યુવરાજસિંહ વિરૂદ્ધ પણ થઈ શકે છે કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-04-17 10:52:15

છેલ્લા ઘણા સમયથી ડમી ઉમેદવાર કાંડને લઈ સમાચારો સામે આવી રહ્યા છે. ભાવનગર પોલીસે આ મામલે 36 આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી અને ચાર જેટલા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે આ મામલે થોડા દિવસો પહેલા એક મોટો ઘટસ્ફોટ થયો હતો. જે મુજબ નામ ન લેવા માટે યુવરાજસિંહે લાખો રુપિયા છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર પોલીસે બિપિન ત્રિવેદીને ડિટેન કરી લીધો છે. ત્યારે આવનાર સમયમાં આ મામલે અનેક મોટા ખુલાસા થઈ શકે છે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. આ મામલે એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે જે આ મામલે તપાસ કરવાની છે. 


બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો થયો હતો વાયરલ!

સ્પાર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાનો મોટો ઘટસ્ફોટ યુવરાજસિંહ દ્વારા થોડા સમય પહેલા કરવામાં આવ્યો હતો. જેમાં અનેક પૂરાવા સાથે યુવરાજસિંહના નામ લીધા હતા. આ મામલે ભાવનગર પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે 36 આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી જ્યારે અનેક આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારે આ મામલે યુવરાજસિંહ વિરૂદ્ધ બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે ડમી કાંડમાં નામ ન જાહેર કરવા માટે યુવરાજસિંહે લાખો રૂપિયા છે. 


ડમી ઉમેદવાર બની બેઠેલા સંજય પંડ્યા વિરૂદ્ધ પણ કરાઈ કાર્યવાહી! 

ત્યારે આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે બિપિન ત્રિવેદીને ડિટેઈન કરી દીધો છે અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે બિપિન ત્રિવેદી સરકારી અધિકારી હોવા છતાં પણ કોચિંગ ક્લાસીસ ચલાવતો હતો. ઉપરાંત ડમી કાંડ મામલે વધુ એક સમાચાર પણ સામે આવ્યા છે જેમાં ભાવનગર એસઆઈટીની ટીમ દ્વારા કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાંથી પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહેલા સંજય પંડ્યાની અટકાયત કરી લીધી છે. સંજય પંડ્યાએ 2021માં લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં અક્ષય નામના ઉમેદવારની જગ્યાએ ડમી ઉમેદવાર બની પરીક્ષા આપી હતી. 


આવનાર દિવસમાં આ મામલે આવી શકે છે મોટા ખુલાસા! 

ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે જો યુવરાજસિંહના નામની સંડોવણી હશે તો યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. બિપીન ત્રિવેદીની પૂછપરછના આધારે યુવરાજસિંહ સામે એફઆઈઆર નોંધવા તજવીજ હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે બિપીન ત્રિવેદીની પૂછપરછ દરમિયાન અનેક બીજા મોટા ખુલાસાઓ સામે આવી શકે છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.