બિપોરજોય આફટરઈફેક્ટ: વાવાઝોડાને કારણે આવેલા વરસાદે ગુજરાતને ધમરોળ્યું, આટલા તાલુકાઓમાં વરસ્યો વરસાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-16 09:44:27

ગુજરાતના દરિયાકાંઠાથી પસાર થઈ બિપોરજોય આગળ વધી રહ્યું છે. ગઈકાલ રાત્રે બિપોરજોય ટકરાયું હતું. બિપોરજોયને કારણે તેજ હવાઓ વહી હતી તેમજ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાની અસર થવાની શરૂ થઈ હતી ત્યારથી વરસાદને લઈ આગાહી કરવામાં આવી રહી હતી. અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો તે સિવાય અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસવાના સમાચાર પણ સામે આવ્યા હતા. ત્યારે વાવાઝોડાની અસરને કારણે અંદાજીત 171 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. મળતી માહિતી અનુસાર કચ્છના ગાંધીધામમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો.      


આટલા તાલુકાઓમાં વરસ્યો વરસાદ!

છેલ્લા ઘણા દિવસોથી વાવાઝોડાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી. પોરબંદર,કચ્છ, દ્વારકા સહિતના વિસ્તારો માટે વાવાઝોડાને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેજગતિથી વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતું જઈ રહ્યું હતું પરંતુ ગઈકાલે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાઈ ગયું હતું. જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું હતું તેમ તેમ પવનની ગતિ પણ સતત વધતી જઈ રહી હતી. અનેક જિલ્લાઓમાં વાવાઝોડાની અસરને કારણે ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો. મળતી માહિતી અનુસાર ગુજરાતના 171 તાલુકાઓમાં વરસાદ થયો હતો. કચ્છમાં સૌથી વધારે અસર વાવાઝોડાને કારણે થઈ છે.


આજે પણ વરસાદને લઈ કરાઈ છે આગાહી!

બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ ગુજરાતના દરિયાકાંઠે ગઈકાલે થઈ ગયું હતું. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા હતા. વાવાઝોડાને કારણે ભારે પવનની સાથે વરસાદે પણ ગુજરાતને ધમરોળ્યું હતું. બિપોરજોયને કારણે લગભગ 171 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. કચ્છના ગાંધીધામમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. તે સિવાય ભુજમાં પણ વરસાદને કારણે જનજીવન પર અસર પડી હતી. કચ્છના મુંદ્રામાં તેમજ અંજારમાં લગભગ પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તે જામનગર તેમજ ખંભાળિયામાં ચાર ઈંચ જેટલો વરસાદ થયો હતો. મહત્વનું છે કે વરસાદને લઈ આજે પણ આગાહી કરવામાં આવી છે. 


વાવાઝોડા બાદ વરસાદનું સંકટ!

ઉલ્લેખનિય છે કે બિપોરજોય તો પસાર થઈ ગયું પરંતુ દરિયાકાંઠા વિસ્તાર માટે આગામી કલાકો ભારે રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગાહી મુજબ મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. કચ્છ, પાટણ તેમજ બનાસકાંઠામાં આજે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડા બાદ વરસાદ તબાહી મચાવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.         




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.