બિપોરજોય આફટરઈફેક્ટ: વાવાઝોડાને કારણે આવેલા વરસાદે ગુજરાતને ધમરોળ્યું, આટલા તાલુકાઓમાં વરસ્યો વરસાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-16 09:44:27

ગુજરાતના દરિયાકાંઠાથી પસાર થઈ બિપોરજોય આગળ વધી રહ્યું છે. ગઈકાલ રાત્રે બિપોરજોય ટકરાયું હતું. બિપોરજોયને કારણે તેજ હવાઓ વહી હતી તેમજ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાની અસર થવાની શરૂ થઈ હતી ત્યારથી વરસાદને લઈ આગાહી કરવામાં આવી રહી હતી. અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો તે સિવાય અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસવાના સમાચાર પણ સામે આવ્યા હતા. ત્યારે વાવાઝોડાની અસરને કારણે અંદાજીત 171 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. મળતી માહિતી અનુસાર કચ્છના ગાંધીધામમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો.      


આટલા તાલુકાઓમાં વરસ્યો વરસાદ!

છેલ્લા ઘણા દિવસોથી વાવાઝોડાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી. પોરબંદર,કચ્છ, દ્વારકા સહિતના વિસ્તારો માટે વાવાઝોડાને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેજગતિથી વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતું જઈ રહ્યું હતું પરંતુ ગઈકાલે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાઈ ગયું હતું. જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું હતું તેમ તેમ પવનની ગતિ પણ સતત વધતી જઈ રહી હતી. અનેક જિલ્લાઓમાં વાવાઝોડાની અસરને કારણે ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો. મળતી માહિતી અનુસાર ગુજરાતના 171 તાલુકાઓમાં વરસાદ થયો હતો. કચ્છમાં સૌથી વધારે અસર વાવાઝોડાને કારણે થઈ છે.


આજે પણ વરસાદને લઈ કરાઈ છે આગાહી!

બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ ગુજરાતના દરિયાકાંઠે ગઈકાલે થઈ ગયું હતું. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા હતા. વાવાઝોડાને કારણે ભારે પવનની સાથે વરસાદે પણ ગુજરાતને ધમરોળ્યું હતું. બિપોરજોયને કારણે લગભગ 171 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. કચ્છના ગાંધીધામમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. તે સિવાય ભુજમાં પણ વરસાદને કારણે જનજીવન પર અસર પડી હતી. કચ્છના મુંદ્રામાં તેમજ અંજારમાં લગભગ પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તે જામનગર તેમજ ખંભાળિયામાં ચાર ઈંચ જેટલો વરસાદ થયો હતો. મહત્વનું છે કે વરસાદને લઈ આજે પણ આગાહી કરવામાં આવી છે. 


વાવાઝોડા બાદ વરસાદનું સંકટ!

ઉલ્લેખનિય છે કે બિપોરજોય તો પસાર થઈ ગયું પરંતુ દરિયાકાંઠા વિસ્તાર માટે આગામી કલાકો ભારે રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગાહી મુજબ મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. કચ્છ, પાટણ તેમજ બનાસકાંઠામાં આજે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડા બાદ વરસાદ તબાહી મચાવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.         




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.