બિપોરજોય આફટરઈફેક્ટ: વાવાઝોડાને કારણે આવેલા વરસાદે ગુજરાતને ધમરોળ્યું, આટલા તાલુકાઓમાં વરસ્યો વરસાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-16 09:44:27

ગુજરાતના દરિયાકાંઠાથી પસાર થઈ બિપોરજોય આગળ વધી રહ્યું છે. ગઈકાલ રાત્રે બિપોરજોય ટકરાયું હતું. બિપોરજોયને કારણે તેજ હવાઓ વહી હતી તેમજ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાની અસર થવાની શરૂ થઈ હતી ત્યારથી વરસાદને લઈ આગાહી કરવામાં આવી રહી હતી. અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો તે સિવાય અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસવાના સમાચાર પણ સામે આવ્યા હતા. ત્યારે વાવાઝોડાની અસરને કારણે અંદાજીત 171 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. મળતી માહિતી અનુસાર કચ્છના ગાંધીધામમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો.      


આટલા તાલુકાઓમાં વરસ્યો વરસાદ!

છેલ્લા ઘણા દિવસોથી વાવાઝોડાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી. પોરબંદર,કચ્છ, દ્વારકા સહિતના વિસ્તારો માટે વાવાઝોડાને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેજગતિથી વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતું જઈ રહ્યું હતું પરંતુ ગઈકાલે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાઈ ગયું હતું. જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું હતું તેમ તેમ પવનની ગતિ પણ સતત વધતી જઈ રહી હતી. અનેક જિલ્લાઓમાં વાવાઝોડાની અસરને કારણે ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો. મળતી માહિતી અનુસાર ગુજરાતના 171 તાલુકાઓમાં વરસાદ થયો હતો. કચ્છમાં સૌથી વધારે અસર વાવાઝોડાને કારણે થઈ છે.


આજે પણ વરસાદને લઈ કરાઈ છે આગાહી!

બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ ગુજરાતના દરિયાકાંઠે ગઈકાલે થઈ ગયું હતું. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા હતા. વાવાઝોડાને કારણે ભારે પવનની સાથે વરસાદે પણ ગુજરાતને ધમરોળ્યું હતું. બિપોરજોયને કારણે લગભગ 171 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. કચ્છના ગાંધીધામમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. તે સિવાય ભુજમાં પણ વરસાદને કારણે જનજીવન પર અસર પડી હતી. કચ્છના મુંદ્રામાં તેમજ અંજારમાં લગભગ પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તે જામનગર તેમજ ખંભાળિયામાં ચાર ઈંચ જેટલો વરસાદ થયો હતો. મહત્વનું છે કે વરસાદને લઈ આજે પણ આગાહી કરવામાં આવી છે. 


વાવાઝોડા બાદ વરસાદનું સંકટ!

ઉલ્લેખનિય છે કે બિપોરજોય તો પસાર થઈ ગયું પરંતુ દરિયાકાંઠા વિસ્તાર માટે આગામી કલાકો ભારે રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગાહી મુજબ મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. કચ્છ, પાટણ તેમજ બનાસકાંઠામાં આજે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડા બાદ વરસાદ તબાહી મચાવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.         




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.