બિપોરજોય આફટરઈફેક્ટ: વાવાઝોડાને કારણે આવેલા વરસાદે ગુજરાતને ધમરોળ્યું, આટલા તાલુકાઓમાં વરસ્યો વરસાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-16 09:44:27

ગુજરાતના દરિયાકાંઠાથી પસાર થઈ બિપોરજોય આગળ વધી રહ્યું છે. ગઈકાલ રાત્રે બિપોરજોય ટકરાયું હતું. બિપોરજોયને કારણે તેજ હવાઓ વહી હતી તેમજ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાની અસર થવાની શરૂ થઈ હતી ત્યારથી વરસાદને લઈ આગાહી કરવામાં આવી રહી હતી. અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો તે સિવાય અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસવાના સમાચાર પણ સામે આવ્યા હતા. ત્યારે વાવાઝોડાની અસરને કારણે અંદાજીત 171 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. મળતી માહિતી અનુસાર કચ્છના ગાંધીધામમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો.      


આટલા તાલુકાઓમાં વરસ્યો વરસાદ!

છેલ્લા ઘણા દિવસોથી વાવાઝોડાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી. પોરબંદર,કચ્છ, દ્વારકા સહિતના વિસ્તારો માટે વાવાઝોડાને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેજગતિથી વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતું જઈ રહ્યું હતું પરંતુ ગઈકાલે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાઈ ગયું હતું. જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું હતું તેમ તેમ પવનની ગતિ પણ સતત વધતી જઈ રહી હતી. અનેક જિલ્લાઓમાં વાવાઝોડાની અસરને કારણે ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો. મળતી માહિતી અનુસાર ગુજરાતના 171 તાલુકાઓમાં વરસાદ થયો હતો. કચ્છમાં સૌથી વધારે અસર વાવાઝોડાને કારણે થઈ છે.


આજે પણ વરસાદને લઈ કરાઈ છે આગાહી!

બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ ગુજરાતના દરિયાકાંઠે ગઈકાલે થઈ ગયું હતું. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા હતા. વાવાઝોડાને કારણે ભારે પવનની સાથે વરસાદે પણ ગુજરાતને ધમરોળ્યું હતું. બિપોરજોયને કારણે લગભગ 171 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. કચ્છના ગાંધીધામમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. તે સિવાય ભુજમાં પણ વરસાદને કારણે જનજીવન પર અસર પડી હતી. કચ્છના મુંદ્રામાં તેમજ અંજારમાં લગભગ પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તે જામનગર તેમજ ખંભાળિયામાં ચાર ઈંચ જેટલો વરસાદ થયો હતો. મહત્વનું છે કે વરસાદને લઈ આજે પણ આગાહી કરવામાં આવી છે. 


વાવાઝોડા બાદ વરસાદનું સંકટ!

ઉલ્લેખનિય છે કે બિપોરજોય તો પસાર થઈ ગયું પરંતુ દરિયાકાંઠા વિસ્તાર માટે આગામી કલાકો ભારે રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગાહી મુજબ મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. કચ્છ, પાટણ તેમજ બનાસકાંઠામાં આજે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડા બાદ વરસાદ તબાહી મચાવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.         




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.