બિપોરજોય ઈફેક્ટ: સૌરાષ્ટ્ર અને કચ્છના 11 kvના 2550 ફીડર ઠપ, 4000થી વધુ વીજ પોલ ધરાશાયી


  • Published By :
  • Published Date : 2023-06-16 16:43:45

વિનાશક વાવાઝોડું બિપોરજોય ગુજરાતના સૌરાષ્ટ્ર  અને કચ્છના સમુદ્ર કાંઠે ટકરાઈને આગળ રાજસ્થાન તરફ વધી ગયું છે. જો કે આ ભીષણ ચક્રવાતના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના 11 kvના 2550 જેટલાં ફીડર ઠપ થઈ ગયા છે. આ ફીડરને નુકસાન થવાથી મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વીજસંકટ સર્જાયું છે. વાવાઝોડાંની અસરવાળા કચ્છ અને સૌરાષ્ટ્રના 11 જેટલા જિલ્લાઓમાં 11,00 ગામોમાં હજી પણ વીજ પુરવઠો ન હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે 200 ગામડાંમાં વીજ પુરવઠો ન હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં 4000થી વધુ વીજ પોલોને પણ નુકસાન થયું હોવાનું પણ ઉર્જા વિભાગે જણાવ્યું છે.


વીજ પુરવઠો સ્થાપિત કરવા PGVCLના પ્રયાસો શરૂ


વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ PGVCLની 1200થી વધુ ટીમો કામ કરી રહી છે. વીજ વિભાગ દ્વારા વીજ પુરવઠો રાબેતા મુજબ થાય તે રીતે અલગ અલગ ટીમો બનાવી હાલ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદના કારણે અનેક સ્થાનોએ પાણી ભરાયા છે. આ જ કારણે નુકસાન થયેલા ફીડરનું રિપેરીંગ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. જો કે તેમ છતાં PGVCLની ટીમો ભારે વરસાદ અને પવનની વચ્ચે પણ રીપેરીંગ કરી રહ્યા છે.


જામનગર જિલ્લાના ગામડાઓમાં વીજળી ગુલ


વાવાઝોડાથી સૌરાષ્ટ્રમાં PGVCLને સૌથી વધુ નુકસાન થયું છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વીજપોલ ધરાશાયી થયા છે. તેમાં પણ જામનગર જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જામનગર જિલ્લાના 530 ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ હોવાનું સામે આવ્યુ છે. હાલ PGVCLની ટીમો દ્વારા ફોલ્ડ થયેલા વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.