બિપોરજોય ઈફેક્ટ: સૌરાષ્ટ્ર અને કચ્છના 11 kvના 2550 ફીડર ઠપ, 4000થી વધુ વીજ પોલ ધરાશાયી


  • Published By :
  • Published Date : 2023-06-16 16:43:45

વિનાશક વાવાઝોડું બિપોરજોય ગુજરાતના સૌરાષ્ટ્ર  અને કચ્છના સમુદ્ર કાંઠે ટકરાઈને આગળ રાજસ્થાન તરફ વધી ગયું છે. જો કે આ ભીષણ ચક્રવાતના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના 11 kvના 2550 જેટલાં ફીડર ઠપ થઈ ગયા છે. આ ફીડરને નુકસાન થવાથી મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વીજસંકટ સર્જાયું છે. વાવાઝોડાંની અસરવાળા કચ્છ અને સૌરાષ્ટ્રના 11 જેટલા જિલ્લાઓમાં 11,00 ગામોમાં હજી પણ વીજ પુરવઠો ન હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે 200 ગામડાંમાં વીજ પુરવઠો ન હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં 4000થી વધુ વીજ પોલોને પણ નુકસાન થયું હોવાનું પણ ઉર્જા વિભાગે જણાવ્યું છે.


વીજ પુરવઠો સ્થાપિત કરવા PGVCLના પ્રયાસો શરૂ


વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ PGVCLની 1200થી વધુ ટીમો કામ કરી રહી છે. વીજ વિભાગ દ્વારા વીજ પુરવઠો રાબેતા મુજબ થાય તે રીતે અલગ અલગ ટીમો બનાવી હાલ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદના કારણે અનેક સ્થાનોએ પાણી ભરાયા છે. આ જ કારણે નુકસાન થયેલા ફીડરનું રિપેરીંગ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. જો કે તેમ છતાં PGVCLની ટીમો ભારે વરસાદ અને પવનની વચ્ચે પણ રીપેરીંગ કરી રહ્યા છે.


જામનગર જિલ્લાના ગામડાઓમાં વીજળી ગુલ


વાવાઝોડાથી સૌરાષ્ટ્રમાં PGVCLને સૌથી વધુ નુકસાન થયું છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વીજપોલ ધરાશાયી થયા છે. તેમાં પણ જામનગર જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જામનગર જિલ્લાના 530 ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ હોવાનું સામે આવ્યુ છે. હાલ PGVCLની ટીમો દ્વારા ફોલ્ડ થયેલા વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.