બિપોરજોય વાવાઝોડું બન્યું પ્રાણઘાતક! વાવાઝોડાને કારણે આટલા લોકોનું થયું નિધન, પહેલા પણ બની છે આવી ઘટના


  • Published By :
  • Published Date : 2023-06-16 10:35:28

ગુજરાત માટે બિપોરજોય વિનાશક સાબિત થયું છે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓથી વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તેજ હવા ફૂંકાવવાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા જ્યારે અનેક વીજ થાંભલાઓ જમીનદોસ્ત થયા હતા. વાવાઝોડાને કારણે અનેક અબોલા પશુઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો પરંતુ વાવાઝોડાને કારણે કોઈ માનવે જીવ ગુમાવ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા ન હતા. પરંતુ હવે બે લોકોના મોત થયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. ભાવનગરમાં પિતા અને પુત્રે પોતાનો જીવ ગુમાવ્યો છે. તે સિવાય સુરતથી પણ દિવાલ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે અને બે માસુમ બાળકો તેમાં દટાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.



એક જ પરિવારના બે સભ્યોના થયાં મોત!

વાવાઝોડા બાદ સર્જાયેલી તબાહીના દ્રશ્યો ધીમે ધીમે સામે આવી રહ્યા છે. વાવાઝોડાને કારણે વરસાદ વરસ્યો હતો જેને કારણે અનેક જનજીવન પ્રભાવિત થયું હતું. હજી સુધી સમાચાર એવા જ સામે આવી રહ્યા હતા કે માણસોના મોત નથી થયા. પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યા છે જે મુજબ બે લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર ભાવનગરમાં એક જ પરિવારના બે સભ્યોના મોત થયા છે. પિતા અને પુત્રનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. પોતાના પશુધનને બચાવવા માટે તેમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો. તે સિવાય સુરતથી પણ સમાચાર સામે આવી  રહ્યા છે કે ઉધનામાં દિવાલ તૂટી પડતાં 2 માસુમ બાળકો દટાયા હતા અને તેમને ઈજા પહોંચી છે.      


થોડા દિવસો પહેલા બાળકોએ ગુમાવ્યો હતો જીવ!

મહત્વનું છે કે વાવાઝોડું આવ્યું તેની પહેલા પણ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. થોડા દિવસો પહેલા કચ્છથી સમાચાર આવ્યા જેમાં દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત થયાં છે જ્યારે એક બાળકને ગંભીર ઈજા પહોંચી છે. બાળકો રમી રહ્યા હતા અને ભારે પવનને કારણે દિવાલ પડી ગઈ અને બાળકોના મોત થઈ ગયા. તે સિવાય પોરબંદરના ભાટિયા બજારમાં જૂનું મકાન ધરાશાયી થયું અને તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારે આજે પણ વાવાઝોડાને કારણે બે લોકોના મોત થયાં હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.