બિપોરજોય વાવાઝોડું બન્યું પ્રાણઘાતક! વાવાઝોડાને કારણે આટલા લોકોનું થયું નિધન, પહેલા પણ બની છે આવી ઘટના


  • Published By :
  • Published Date : 2023-06-16 10:35:28

ગુજરાત માટે બિપોરજોય વિનાશક સાબિત થયું છે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓથી વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તેજ હવા ફૂંકાવવાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા જ્યારે અનેક વીજ થાંભલાઓ જમીનદોસ્ત થયા હતા. વાવાઝોડાને કારણે અનેક અબોલા પશુઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો પરંતુ વાવાઝોડાને કારણે કોઈ માનવે જીવ ગુમાવ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા ન હતા. પરંતુ હવે બે લોકોના મોત થયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. ભાવનગરમાં પિતા અને પુત્રે પોતાનો જીવ ગુમાવ્યો છે. તે સિવાય સુરતથી પણ દિવાલ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે અને બે માસુમ બાળકો તેમાં દટાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.



એક જ પરિવારના બે સભ્યોના થયાં મોત!

વાવાઝોડા બાદ સર્જાયેલી તબાહીના દ્રશ્યો ધીમે ધીમે સામે આવી રહ્યા છે. વાવાઝોડાને કારણે વરસાદ વરસ્યો હતો જેને કારણે અનેક જનજીવન પ્રભાવિત થયું હતું. હજી સુધી સમાચાર એવા જ સામે આવી રહ્યા હતા કે માણસોના મોત નથી થયા. પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યા છે જે મુજબ બે લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર ભાવનગરમાં એક જ પરિવારના બે સભ્યોના મોત થયા છે. પિતા અને પુત્રનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. પોતાના પશુધનને બચાવવા માટે તેમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો. તે સિવાય સુરતથી પણ સમાચાર સામે આવી  રહ્યા છે કે ઉધનામાં દિવાલ તૂટી પડતાં 2 માસુમ બાળકો દટાયા હતા અને તેમને ઈજા પહોંચી છે.      


થોડા દિવસો પહેલા બાળકોએ ગુમાવ્યો હતો જીવ!

મહત્વનું છે કે વાવાઝોડું આવ્યું તેની પહેલા પણ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. થોડા દિવસો પહેલા કચ્છથી સમાચાર આવ્યા જેમાં દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત થયાં છે જ્યારે એક બાળકને ગંભીર ઈજા પહોંચી છે. બાળકો રમી રહ્યા હતા અને ભારે પવનને કારણે દિવાલ પડી ગઈ અને બાળકોના મોત થઈ ગયા. તે સિવાય પોરબંદરના ભાટિયા બજારમાં જૂનું મકાન ધરાશાયી થયું અને તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારે આજે પણ વાવાઝોડાને કારણે બે લોકોના મોત થયાં હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.