બિપોરજોય વાવાઝોડું બન્યું પ્રાણઘાતક! વાવાઝોડાને કારણે આટલા લોકોનું થયું નિધન, પહેલા પણ બની છે આવી ઘટના


  • Published By :
  • Published Date : 2023-06-16 10:35:28

ગુજરાત માટે બિપોરજોય વિનાશક સાબિત થયું છે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓથી વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તેજ હવા ફૂંકાવવાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા જ્યારે અનેક વીજ થાંભલાઓ જમીનદોસ્ત થયા હતા. વાવાઝોડાને કારણે અનેક અબોલા પશુઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો પરંતુ વાવાઝોડાને કારણે કોઈ માનવે જીવ ગુમાવ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા ન હતા. પરંતુ હવે બે લોકોના મોત થયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. ભાવનગરમાં પિતા અને પુત્રે પોતાનો જીવ ગુમાવ્યો છે. તે સિવાય સુરતથી પણ દિવાલ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે અને બે માસુમ બાળકો તેમાં દટાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.



એક જ પરિવારના બે સભ્યોના થયાં મોત!

વાવાઝોડા બાદ સર્જાયેલી તબાહીના દ્રશ્યો ધીમે ધીમે સામે આવી રહ્યા છે. વાવાઝોડાને કારણે વરસાદ વરસ્યો હતો જેને કારણે અનેક જનજીવન પ્રભાવિત થયું હતું. હજી સુધી સમાચાર એવા જ સામે આવી રહ્યા હતા કે માણસોના મોત નથી થયા. પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યા છે જે મુજબ બે લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર ભાવનગરમાં એક જ પરિવારના બે સભ્યોના મોત થયા છે. પિતા અને પુત્રનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. પોતાના પશુધનને બચાવવા માટે તેમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો. તે સિવાય સુરતથી પણ સમાચાર સામે આવી  રહ્યા છે કે ઉધનામાં દિવાલ તૂટી પડતાં 2 માસુમ બાળકો દટાયા હતા અને તેમને ઈજા પહોંચી છે.      


થોડા દિવસો પહેલા બાળકોએ ગુમાવ્યો હતો જીવ!

મહત્વનું છે કે વાવાઝોડું આવ્યું તેની પહેલા પણ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. થોડા દિવસો પહેલા કચ્છથી સમાચાર આવ્યા જેમાં દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત થયાં છે જ્યારે એક બાળકને ગંભીર ઈજા પહોંચી છે. બાળકો રમી રહ્યા હતા અને ભારે પવનને કારણે દિવાલ પડી ગઈ અને બાળકોના મોત થઈ ગયા. તે સિવાય પોરબંદરના ભાટિયા બજારમાં જૂનું મકાન ધરાશાયી થયું અને તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારે આજે પણ વાવાઝોડાને કારણે બે લોકોના મોત થયાં હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?