આકાશમાંથી બિપોરજોય વાવાઝોડું આવું લાગે! વાવાઝોડાનો વીડિયો અવકાશયાત્રીએ શેર કર્યો જે થઈ ગયો વાયરલ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-15 09:34:42

15 જૂનના રોજ ગુજરાત પર બિપોરજોય નામનું વાવાઝોડું ટકારાઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ, દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે. વાવાઝોડાને પગલે તમામ અપડેટ આપવામાં આવી રહી છે. ત્યારે બિપોરજોય આકાશમાંથી કેવું દેખાય છે તેનો વીડિયો સામે આવ્યો છે. આકાશથી 400 કિમી દૂરથી વાવાઝોડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

      

વાદળોને કારણે ઢંકાઈ ગયો દરિયો!

અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાત તરફ સતત આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે અનેક દરિયાઓમાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તો કોઈક દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. વાવાઝોડા પર સતત કવરેજ આપવામાં આવી રહ્યો છે. ત્યારે વાવાઝોડું આકાશમાં કેવું લાગે છે તેનો વીડિયો સામે આવ્યો છે. વિકરાળ રૂપ ધારણ કરી વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વાદળોને કારણે દરિયો ઢંકાઈ જાય છે.

 તસવીરમાં જોઈ શકાય છે કે, ખૂબ મોટું ચક્રવાત છે. વાદળોના સમૂહ ચક્રવાતને ફરતે દેખાઈ રહ્યા છે. આ દૃશ્ય જોઈને જ વાવાઝોડાની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય તેમ છે. (Credit: @Astro_Alneyadi)

થોડા સમયની અંદર આકાશી દ્રશ્યોનો વીડિયો થયો વાયરલ!

મૂળ સાઉડી અરેબિયાના અવકાશયાત્રી સુલતાન અલ્નેદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી વીડિયો શેર કર્યો છે. એ વીડિયોમાં આકાશમાંથી વાવાઝોડું કેવું દેખાય છે તે દર્શાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું વિકરાળરૂપ લઈ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે વીડિયો શેર કરવામાં આવ્યો છે તે હજારો લોકો સુધી પહોંચી ગયો છે. અવકાશયાત્રી દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો માત્ર થોડા સમયમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. 

 બિપરજોય વાવાઝોડાની વાત કરીએ તો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડું આવતીકાલે એટલે કે 15મી જૂને જખૌ પાસે દરિયાકાંઠે અથડાશે. આ ઉપરાંત વાવાઝોડાને કારણે હવાની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાકની હશે તેવું જણાવ્યું હતું. (Credit: @Astro_Alneyadi)

તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા છે સજ્જ!

મહત્વનું છે કે વાવાઝોડું આજ સાંજ સુધી ગુજરાતમાં ટકરાઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત પર તોળાતા સંકટને ધ્યાનમાં રાખી તંત્ર પણ એક્ટિવ મોડમાં આવી ગયું છે. બચાવ કામગીરી કરવા ટીમોને સ્ટેન્ડબાય કરવામાં આવી છે. વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે વાવાઝોડાનો જે  વીડિયો સામે આવ્યો છે તે ડરાવી દે તેવો છે.       



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.