આકાશમાંથી બિપોરજોય વાવાઝોડું આવું લાગે! વાવાઝોડાનો વીડિયો અવકાશયાત્રીએ શેર કર્યો જે થઈ ગયો વાયરલ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-15 09:34:42

15 જૂનના રોજ ગુજરાત પર બિપોરજોય નામનું વાવાઝોડું ટકારાઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ, દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે. વાવાઝોડાને પગલે તમામ અપડેટ આપવામાં આવી રહી છે. ત્યારે બિપોરજોય આકાશમાંથી કેવું દેખાય છે તેનો વીડિયો સામે આવ્યો છે. આકાશથી 400 કિમી દૂરથી વાવાઝોડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

      

વાદળોને કારણે ઢંકાઈ ગયો દરિયો!

અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાત તરફ સતત આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે અનેક દરિયાઓમાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તો કોઈક દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. વાવાઝોડા પર સતત કવરેજ આપવામાં આવી રહ્યો છે. ત્યારે વાવાઝોડું આકાશમાં કેવું લાગે છે તેનો વીડિયો સામે આવ્યો છે. વિકરાળ રૂપ ધારણ કરી વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વાદળોને કારણે દરિયો ઢંકાઈ જાય છે.

 તસવીરમાં જોઈ શકાય છે કે, ખૂબ મોટું ચક્રવાત છે. વાદળોના સમૂહ ચક્રવાતને ફરતે દેખાઈ રહ્યા છે. આ દૃશ્ય જોઈને જ વાવાઝોડાની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય તેમ છે. (Credit: @Astro_Alneyadi)

થોડા સમયની અંદર આકાશી દ્રશ્યોનો વીડિયો થયો વાયરલ!

મૂળ સાઉડી અરેબિયાના અવકાશયાત્રી સુલતાન અલ્નેદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી વીડિયો શેર કર્યો છે. એ વીડિયોમાં આકાશમાંથી વાવાઝોડું કેવું દેખાય છે તે દર્શાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું વિકરાળરૂપ લઈ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે વીડિયો શેર કરવામાં આવ્યો છે તે હજારો લોકો સુધી પહોંચી ગયો છે. અવકાશયાત્રી દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો માત્ર થોડા સમયમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. 

 બિપરજોય વાવાઝોડાની વાત કરીએ તો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડું આવતીકાલે એટલે કે 15મી જૂને જખૌ પાસે દરિયાકાંઠે અથડાશે. આ ઉપરાંત વાવાઝોડાને કારણે હવાની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાકની હશે તેવું જણાવ્યું હતું. (Credit: @Astro_Alneyadi)

તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા છે સજ્જ!

મહત્વનું છે કે વાવાઝોડું આજ સાંજ સુધી ગુજરાતમાં ટકરાઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત પર તોળાતા સંકટને ધ્યાનમાં રાખી તંત્ર પણ એક્ટિવ મોડમાં આવી ગયું છે. બચાવ કામગીરી કરવા ટીમોને સ્ટેન્ડબાય કરવામાં આવી છે. વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે વાવાઝોડાનો જે  વીડિયો સામે આવ્યો છે તે ડરાવી દે તેવો છે.       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.