આકાશમાંથી બિપોરજોય વાવાઝોડું આવું લાગે! વાવાઝોડાનો વીડિયો અવકાશયાત્રીએ શેર કર્યો જે થઈ ગયો વાયરલ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-15 09:34:42

15 જૂનના રોજ ગુજરાત પર બિપોરજોય નામનું વાવાઝોડું ટકારાઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ, દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે. વાવાઝોડાને પગલે તમામ અપડેટ આપવામાં આવી રહી છે. ત્યારે બિપોરજોય આકાશમાંથી કેવું દેખાય છે તેનો વીડિયો સામે આવ્યો છે. આકાશથી 400 કિમી દૂરથી વાવાઝોડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

      

વાદળોને કારણે ઢંકાઈ ગયો દરિયો!

અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાત તરફ સતત આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે અનેક દરિયાઓમાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તો કોઈક દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. વાવાઝોડા પર સતત કવરેજ આપવામાં આવી રહ્યો છે. ત્યારે વાવાઝોડું આકાશમાં કેવું લાગે છે તેનો વીડિયો સામે આવ્યો છે. વિકરાળ રૂપ ધારણ કરી વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વાદળોને કારણે દરિયો ઢંકાઈ જાય છે.

 તસવીરમાં જોઈ શકાય છે કે, ખૂબ મોટું ચક્રવાત છે. વાદળોના સમૂહ ચક્રવાતને ફરતે દેખાઈ રહ્યા છે. આ દૃશ્ય જોઈને જ વાવાઝોડાની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય તેમ છે. (Credit: @Astro_Alneyadi)

થોડા સમયની અંદર આકાશી દ્રશ્યોનો વીડિયો થયો વાયરલ!

મૂળ સાઉડી અરેબિયાના અવકાશયાત્રી સુલતાન અલ્નેદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી વીડિયો શેર કર્યો છે. એ વીડિયોમાં આકાશમાંથી વાવાઝોડું કેવું દેખાય છે તે દર્શાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું વિકરાળરૂપ લઈ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે વીડિયો શેર કરવામાં આવ્યો છે તે હજારો લોકો સુધી પહોંચી ગયો છે. અવકાશયાત્રી દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો માત્ર થોડા સમયમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. 

 બિપરજોય વાવાઝોડાની વાત કરીએ તો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડું આવતીકાલે એટલે કે 15મી જૂને જખૌ પાસે દરિયાકાંઠે અથડાશે. આ ઉપરાંત વાવાઝોડાને કારણે હવાની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાકની હશે તેવું જણાવ્યું હતું. (Credit: @Astro_Alneyadi)

તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા છે સજ્જ!

મહત્વનું છે કે વાવાઝોડું આજ સાંજ સુધી ગુજરાતમાં ટકરાઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત પર તોળાતા સંકટને ધ્યાનમાં રાખી તંત્ર પણ એક્ટિવ મોડમાં આવી ગયું છે. બચાવ કામગીરી કરવા ટીમોને સ્ટેન્ડબાય કરવામાં આવી છે. વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે વાવાઝોડાનો જે  વીડિયો સામે આવ્યો છે તે ડરાવી દે તેવો છે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.