સત્યેન્દ્ર જૈનનો વીડિયો વાયરલ કરી ભાજપે લગાવ્યા આરોપ, કહ્યું આ જેલમાં નહીં રિસોર્ટમાં હોય તેવું લાગે છે


  • Published By :
  • Published Date : 2022-11-23 10:02:01

મની લોંડરિંગ કેસમાં સજા ભોગવી રહેલ સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હજુ તો બોડી મસાજ કરવાતો વીડિયોનો વિવાદ શાંત નથી થયો ત્યારે જૈનનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ પોતાના સેલમાં સારૂ ભોજન લેતા નજરે પડે છે. ભાજપે આ વીડિયોને શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિને તેમને જમવાનું પીરસતો નજરે પડે છે.

 

જેલમાં નહી પરંતુ કોઈ રિસોર્ટમાં હોય તેવું લાગી રહ્યું છે - ભાજપ

સત્યેન્દ્ર જૈન હાલ તિહાડ જેલમાં પોતાની સજા ભોગવી રહ્યા છે. થોડા સમયથી તેમના એક બાદ એક વીડિયો સામે આવી રહ્યા છે. પહેલા બોડી મસાજ કરવાતો સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા ત્યારબાદ ફરી એક વખત જેલમાં સારૂ ભોજન કરી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ તેમને ભોજન પીરસતો નજરે પડે છે. ભાજપે આ વીડિયો શેર કરી આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. ભાજપે કહ્યું કે જેલમાં શાનદાર ખાવાનું પીરસવામાં આવી રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે એ જેલમાં નહી પરંતુ કોઈ રિસોર્ટમાં હોય. જેલના સૂત્રો પ્રમાણે જેલમાં રહી સત્યેન્દ્ર જૈનનું વજન વધી ગયું છે જ્યારે તેમના વકીલનું કહેવું છે કે તેમનું વજન ઘટી ગયું છે.

ભાજપે આપ પર કર્યા પ્રહાર

થોડા દિવસો પહેલા સત્યેન્દ્ર જૈનનો વીડિયો વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ તેમની બોડી મસાજ કરતો નજરે પડે છે. મસાજ કરનાર વ્યક્તિને લઈ આરોપ લગાવવા આવ્યો હતો કે મસાજ કરનાર વ્યક્તિ બળાત્કારનો આરોપી છે. ત્યારે આ વીડિયોને લઈને પણ ભાજપે ફરી એક વખત આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.