સત્યેન્દ્ર જૈનનો વીડિયો વાયરલ કરી ભાજપે લગાવ્યા આરોપ, કહ્યું આ જેલમાં નહીં રિસોર્ટમાં હોય તેવું લાગે છે


  • Published By :
  • Published Date : 2022-11-23 10:02:01

મની લોંડરિંગ કેસમાં સજા ભોગવી રહેલ સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હજુ તો બોડી મસાજ કરવાતો વીડિયોનો વિવાદ શાંત નથી થયો ત્યારે જૈનનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ પોતાના સેલમાં સારૂ ભોજન લેતા નજરે પડે છે. ભાજપે આ વીડિયોને શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિને તેમને જમવાનું પીરસતો નજરે પડે છે.

 

જેલમાં નહી પરંતુ કોઈ રિસોર્ટમાં હોય તેવું લાગી રહ્યું છે - ભાજપ

સત્યેન્દ્ર જૈન હાલ તિહાડ જેલમાં પોતાની સજા ભોગવી રહ્યા છે. થોડા સમયથી તેમના એક બાદ એક વીડિયો સામે આવી રહ્યા છે. પહેલા બોડી મસાજ કરવાતો સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા ત્યારબાદ ફરી એક વખત જેલમાં સારૂ ભોજન કરી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ તેમને ભોજન પીરસતો નજરે પડે છે. ભાજપે આ વીડિયો શેર કરી આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. ભાજપે કહ્યું કે જેલમાં શાનદાર ખાવાનું પીરસવામાં આવી રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે એ જેલમાં નહી પરંતુ કોઈ રિસોર્ટમાં હોય. જેલના સૂત્રો પ્રમાણે જેલમાં રહી સત્યેન્દ્ર જૈનનું વજન વધી ગયું છે જ્યારે તેમના વકીલનું કહેવું છે કે તેમનું વજન ઘટી ગયું છે.

ભાજપે આપ પર કર્યા પ્રહાર

થોડા દિવસો પહેલા સત્યેન્દ્ર જૈનનો વીડિયો વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ તેમની બોડી મસાજ કરતો નજરે પડે છે. મસાજ કરનાર વ્યક્તિને લઈ આરોપ લગાવવા આવ્યો હતો કે મસાજ કરનાર વ્યક્તિ બળાત્કારનો આરોપી છે. ત્યારે આ વીડિયોને લઈને પણ ભાજપે ફરી એક વખત આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.