સત્યેન્દ્ર જૈનનો વીડિયો વાયરલ કરી ભાજપે લગાવ્યા આરોપ, કહ્યું આ જેલમાં નહીં રિસોર્ટમાં હોય તેવું લાગે છે


  • Published By :
  • Published Date : 2022-11-23 10:02:01

મની લોંડરિંગ કેસમાં સજા ભોગવી રહેલ સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હજુ તો બોડી મસાજ કરવાતો વીડિયોનો વિવાદ શાંત નથી થયો ત્યારે જૈનનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ પોતાના સેલમાં સારૂ ભોજન લેતા નજરે પડે છે. ભાજપે આ વીડિયોને શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિને તેમને જમવાનું પીરસતો નજરે પડે છે.

 

જેલમાં નહી પરંતુ કોઈ રિસોર્ટમાં હોય તેવું લાગી રહ્યું છે - ભાજપ

સત્યેન્દ્ર જૈન હાલ તિહાડ જેલમાં પોતાની સજા ભોગવી રહ્યા છે. થોડા સમયથી તેમના એક બાદ એક વીડિયો સામે આવી રહ્યા છે. પહેલા બોડી મસાજ કરવાતો સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા ત્યારબાદ ફરી એક વખત જેલમાં સારૂ ભોજન કરી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ તેમને ભોજન પીરસતો નજરે પડે છે. ભાજપે આ વીડિયો શેર કરી આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. ભાજપે કહ્યું કે જેલમાં શાનદાર ખાવાનું પીરસવામાં આવી રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે એ જેલમાં નહી પરંતુ કોઈ રિસોર્ટમાં હોય. જેલના સૂત્રો પ્રમાણે જેલમાં રહી સત્યેન્દ્ર જૈનનું વજન વધી ગયું છે જ્યારે તેમના વકીલનું કહેવું છે કે તેમનું વજન ઘટી ગયું છે.

ભાજપે આપ પર કર્યા પ્રહાર

થોડા દિવસો પહેલા સત્યેન્દ્ર જૈનનો વીડિયો વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ તેમની બોડી મસાજ કરતો નજરે પડે છે. મસાજ કરનાર વ્યક્તિને લઈ આરોપ લગાવવા આવ્યો હતો કે મસાજ કરનાર વ્યક્તિ બળાત્કારનો આરોપી છે. ત્યારે આ વીડિયોને લઈને પણ ભાજપે ફરી એક વખત આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.