સત્યેન્દ્ર જૈનનો વીડિયો વાયરલ કરી ભાજપે લગાવ્યા આરોપ, કહ્યું આ જેલમાં નહીં રિસોર્ટમાં હોય તેવું લાગે છે


  • Published By :
  • Published Date : 2022-11-23 10:02:01

મની લોંડરિંગ કેસમાં સજા ભોગવી રહેલ સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હજુ તો બોડી મસાજ કરવાતો વીડિયોનો વિવાદ શાંત નથી થયો ત્યારે જૈનનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ પોતાના સેલમાં સારૂ ભોજન લેતા નજરે પડે છે. ભાજપે આ વીડિયોને શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિને તેમને જમવાનું પીરસતો નજરે પડે છે.

 

જેલમાં નહી પરંતુ કોઈ રિસોર્ટમાં હોય તેવું લાગી રહ્યું છે - ભાજપ

સત્યેન્દ્ર જૈન હાલ તિહાડ જેલમાં પોતાની સજા ભોગવી રહ્યા છે. થોડા સમયથી તેમના એક બાદ એક વીડિયો સામે આવી રહ્યા છે. પહેલા બોડી મસાજ કરવાતો સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા ત્યારબાદ ફરી એક વખત જેલમાં સારૂ ભોજન કરી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ તેમને ભોજન પીરસતો નજરે પડે છે. ભાજપે આ વીડિયો શેર કરી આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. ભાજપે કહ્યું કે જેલમાં શાનદાર ખાવાનું પીરસવામાં આવી રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે એ જેલમાં નહી પરંતુ કોઈ રિસોર્ટમાં હોય. જેલના સૂત્રો પ્રમાણે જેલમાં રહી સત્યેન્દ્ર જૈનનું વજન વધી ગયું છે જ્યારે તેમના વકીલનું કહેવું છે કે તેમનું વજન ઘટી ગયું છે.

ભાજપે આપ પર કર્યા પ્રહાર

થોડા દિવસો પહેલા સત્યેન્દ્ર જૈનનો વીડિયો વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ તેમની બોડી મસાજ કરતો નજરે પડે છે. મસાજ કરનાર વ્યક્તિને લઈ આરોપ લગાવવા આવ્યો હતો કે મસાજ કરનાર વ્યક્તિ બળાત્કારનો આરોપી છે. ત્યારે આ વીડિયોને લઈને પણ ભાજપે ફરી એક વખત આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.