ભાજપ અને આપ ધાર્મિક મુદ્દા પર આમને સામને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 20:44:01

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ધર્મની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસો અગાઉ દિલ્લીના મુખ્યમંત્રીના ધાર્મિક પોસ્ટર અનેક શહેરોમાં લાગ્યા હતા કેજરીવાલનો વિવાદ ઉભો કરનાર ભાજપ સામે આમ આદમી પાર્ટીએ મોરચો ખોલ્યો છે. 


ઈસુદાન ગઢવી ભાજપના નેતા પર કર્યા પ્રહાર 

ઈસુદાન ગઢવીએ વીડિયો જાહેર કરીને ભાજપ સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ભાજપના નેતાએ મા સરસ્વતી-દુર્ગા-લક્ષ્મી પર ટિપ્પણી કરી. મને સમજાતું નથી તે શા માટે મા જગદંબાઓનું અપમાન કરે છે. કોઈ ફિલ્મો બનાવીને અપમાન કરે છે, તો કોઈ ટિપ્પણીઓ કરીને અપમાન કરે છે. અમેં માગણી કરીએ છીએ કે આવા નેતાને ભાજપ તાત્કાલીક સસ્પેન્ડ કરે. જેપી નડ્ડા આમ તો બધી બાબતોમાં કુદી પડે છે તો પોતાની પાર્ટીના નેતા પર કેમ ચૂપ છે. તમારા એક ભાજપના વ્યક્તિના નિવેદનથી લાખો લોકોની લાગણી દુભાઈ છે. એક તરફ માતાના મંદિરેથી યાત્રાઓ કાઢો છો ને બીજી તરફ આવા બેફામ નિવેદનો આપો છે આવી ઢોલકી કેમ વગાડો છો. 


ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા પર યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા 

સમગ્ર બાબત પર ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે સાથે જ્યારે જમાવટે પ્રતિક્રિયા માગી ત્યારે યજ્ઞેશ દવેએ કંઈ પણ પ્રતિક્રિયા આપવાની મનાઈ કરી દીધી હતી. 


બંશીધર ભગત માતાજી વિશે શું બોલ્યા?

ઉત્તરાખંડના પૂર્વ કેબિનેટમંત્રી અને કાલાઢૂંગીના ધારાસભ્ય બંશીધર ભગતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ પર હિંદુ દેવીઓ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .