ભાજપ અને આપ ધાર્મિક મુદ્દા પર આમને સામને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 20:44:01

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ધર્મની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસો અગાઉ દિલ્લીના મુખ્યમંત્રીના ધાર્મિક પોસ્ટર અનેક શહેરોમાં લાગ્યા હતા કેજરીવાલનો વિવાદ ઉભો કરનાર ભાજપ સામે આમ આદમી પાર્ટીએ મોરચો ખોલ્યો છે. 


ઈસુદાન ગઢવી ભાજપના નેતા પર કર્યા પ્રહાર 

ઈસુદાન ગઢવીએ વીડિયો જાહેર કરીને ભાજપ સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ભાજપના નેતાએ મા સરસ્વતી-દુર્ગા-લક્ષ્મી પર ટિપ્પણી કરી. મને સમજાતું નથી તે શા માટે મા જગદંબાઓનું અપમાન કરે છે. કોઈ ફિલ્મો બનાવીને અપમાન કરે છે, તો કોઈ ટિપ્પણીઓ કરીને અપમાન કરે છે. અમેં માગણી કરીએ છીએ કે આવા નેતાને ભાજપ તાત્કાલીક સસ્પેન્ડ કરે. જેપી નડ્ડા આમ તો બધી બાબતોમાં કુદી પડે છે તો પોતાની પાર્ટીના નેતા પર કેમ ચૂપ છે. તમારા એક ભાજપના વ્યક્તિના નિવેદનથી લાખો લોકોની લાગણી દુભાઈ છે. એક તરફ માતાના મંદિરેથી યાત્રાઓ કાઢો છો ને બીજી તરફ આવા બેફામ નિવેદનો આપો છે આવી ઢોલકી કેમ વગાડો છો. 


ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા પર યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા 

સમગ્ર બાબત પર ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે સાથે જ્યારે જમાવટે પ્રતિક્રિયા માગી ત્યારે યજ્ઞેશ દવેએ કંઈ પણ પ્રતિક્રિયા આપવાની મનાઈ કરી દીધી હતી. 


બંશીધર ભગત માતાજી વિશે શું બોલ્યા?

ઉત્તરાખંડના પૂર્વ કેબિનેટમંત્રી અને કાલાઢૂંગીના ધારાસભ્ય બંશીધર ભગતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ પર હિંદુ દેવીઓ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.