ભાજપ અને આપ ધાર્મિક મુદ્દા પર આમને સામને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 20:44:01

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ધર્મની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસો અગાઉ દિલ્લીના મુખ્યમંત્રીના ધાર્મિક પોસ્ટર અનેક શહેરોમાં લાગ્યા હતા કેજરીવાલનો વિવાદ ઉભો કરનાર ભાજપ સામે આમ આદમી પાર્ટીએ મોરચો ખોલ્યો છે. 


ઈસુદાન ગઢવી ભાજપના નેતા પર કર્યા પ્રહાર 

ઈસુદાન ગઢવીએ વીડિયો જાહેર કરીને ભાજપ સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ભાજપના નેતાએ મા સરસ્વતી-દુર્ગા-લક્ષ્મી પર ટિપ્પણી કરી. મને સમજાતું નથી તે શા માટે મા જગદંબાઓનું અપમાન કરે છે. કોઈ ફિલ્મો બનાવીને અપમાન કરે છે, તો કોઈ ટિપ્પણીઓ કરીને અપમાન કરે છે. અમેં માગણી કરીએ છીએ કે આવા નેતાને ભાજપ તાત્કાલીક સસ્પેન્ડ કરે. જેપી નડ્ડા આમ તો બધી બાબતોમાં કુદી પડે છે તો પોતાની પાર્ટીના નેતા પર કેમ ચૂપ છે. તમારા એક ભાજપના વ્યક્તિના નિવેદનથી લાખો લોકોની લાગણી દુભાઈ છે. એક તરફ માતાના મંદિરેથી યાત્રાઓ કાઢો છો ને બીજી તરફ આવા બેફામ નિવેદનો આપો છે આવી ઢોલકી કેમ વગાડો છો. 


ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા પર યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા 

સમગ્ર બાબત પર ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે સાથે જ્યારે જમાવટે પ્રતિક્રિયા માગી ત્યારે યજ્ઞેશ દવેએ કંઈ પણ પ્રતિક્રિયા આપવાની મનાઈ કરી દીધી હતી. 


બંશીધર ભગત માતાજી વિશે શું બોલ્યા?

ઉત્તરાખંડના પૂર્વ કેબિનેટમંત્રી અને કાલાઢૂંગીના ધારાસભ્ય બંશીધર ભગતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ પર હિંદુ દેવીઓ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે