ભાજપે રાજ્યસભાની 4 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-06-04 21:06:49

૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના  નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી. 

રાજ્યસભા માટે આવનારા સમયમાં ગુજરાતમાં ૪ બેઠકો માટે ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચારેય બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. છોટાઉદેપુરથી મુકેશ રાઠવા , ગીરસોમનાથથી માનસિંહ પરમાર , રાજુ શુક્લા અને જાંખભાળિયાથી જીતેન્દ્ર કણજરીયાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે.  ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 જૂન છે. વિધાનસભાના વર્તમાન સંખ્યાબળને જોતા ભાજપ આ ચારેય બેઠકો સરળતાથી જીતી શકે તેમ છે. જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પોતાના ઉમેદવારો મેદાનમાં નહીં ઉતારે, તો ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ વિજેતા બની શકે છે. આ ૪ બેઠકો માટે ૧૮ જૂનના રોજ મતદાન યોજાશે.  આ પછી મતગણતરી પણ ૧૮ જૂને જ થશે .

ભારતીય જનતા પાર્ટીએ સૌકોઈને ચોંકાવી દીધા છે. આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓમાં આદિવાસી વિસ્તારમાં પોતાનો જનાધાર મજબૂત કરવા ભાજપે છોટાઉદેપુરથી મુકેશ રાઠવાને તક આપી છે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટીઓમાં આ આદિવાસી બેલ્ટમાં ભાજપને નુકશાન થયું છે. ખાસ કરીને નર્મદા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લામાં ભાજપને નુકશાન થયું છે. આ ઉપરાંત , માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કણજરીયાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચાર બેઠકો પર મહિલાને સ્થાન નથી આપ્યું. ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે.  આ તમામ ઉમેદવારો એકસાથે આગામી સમયમાં ઉમેદવારીપત્રક ભરશે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું થશે કે , કોંગ્રેસ પાસે કોઈ જ બેઠક નઈ હોય. આ ઉપરાંત , કોંગ્રેસ પાસે માત્ર ૧૨ બેઠકો છે માટે પક્ષ કોઈ ઉમેદવાર ઉભો નઈ રાખે આ કારણે , આ ચારે ચાર બેઠકો બિનહરીફ જાહેર થાય તેવી પુરેપુરી સંભાવના છે. 

જીતેન્દ્ર કણજરીયા ગુજરાતના ⁠દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ (BJP) ના અગ્રણી નેતા અને કાર્યકર છે. તેઓ ખંભાળિયા અને કલ્યાણપુર વિસ્તારના વિવિધ સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં સક્રિય રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે. 2021માં કોરોનાના કારણે મેઘજીભાઈ કણઝારિયાનું અવસાન થયું હતું. માનસિંહ પરમાર ગીર સોમનાથના વતની અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના અગ્રણી નેતા છે, જેઓ હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.