૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.
રાજ્યસભા માટે આવનારા સમયમાં ગુજરાતમાં ૪ બેઠકો માટે ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચારેય બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. છોટાઉદેપુરથી મુકેશ રાઠવા , ગીરસોમનાથથી માનસિંહ પરમાર , રાજુ શુક્લા અને જાંખભાળિયાથી જીતેન્દ્ર કણજરીયાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 જૂન છે. વિધાનસભાના વર્તમાન સંખ્યાબળને જોતા ભાજપ આ ચારેય બેઠકો સરળતાથી જીતી શકે તેમ છે. જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પોતાના ઉમેદવારો મેદાનમાં નહીં ઉતારે, તો ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ વિજેતા બની શકે છે. આ ૪ બેઠકો માટે ૧૮ જૂનના રોજ મતદાન યોજાશે. આ પછી મતગણતરી પણ ૧૮ જૂને જ થશે .

ભારતીય જનતા પાર્ટીએ સૌકોઈને ચોંકાવી દીધા છે. આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓમાં આદિવાસી વિસ્તારમાં પોતાનો જનાધાર મજબૂત કરવા ભાજપે છોટાઉદેપુરથી મુકેશ રાઠવાને તક આપી છે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટીઓમાં આ આદિવાસી બેલ્ટમાં ભાજપને નુકશાન થયું છે. ખાસ કરીને નર્મદા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લામાં ભાજપને નુકશાન થયું છે. આ ઉપરાંત , માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કણજરીયાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચાર બેઠકો પર મહિલાને સ્થાન નથી આપ્યું. ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે. આ તમામ ઉમેદવારો એકસાથે આગામી સમયમાં ઉમેદવારીપત્રક ભરશે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું થશે કે , કોંગ્રેસ પાસે કોઈ જ બેઠક નઈ હોય. આ ઉપરાંત , કોંગ્રેસ પાસે માત્ર ૧૨ બેઠકો છે માટે પક્ષ કોઈ ઉમેદવાર ઉભો નઈ રાખે આ કારણે , આ ચારે ચાર બેઠકો બિનહરીફ જાહેર થાય તેવી પુરેપુરી સંભાવના છે.
જીતેન્દ્ર કણજરીયા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ (BJP) ના અગ્રણી નેતા અને કાર્યકર છે. તેઓ ખંભાળિયા અને કલ્યાણપુર વિસ્તારના વિવિધ સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં સક્રિય રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે. 2021માં કોરોનાના કારણે મેઘજીભાઈ કણઝારિયાનું અવસાન થયું હતું. માનસિંહ પરમાર ગીર સોમનાથના વતની અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના અગ્રણી નેતા છે, જેઓ હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે.






.jpg)








