ભાજપે ઉમેદવારોના નામની કરી જાહેરાત, અમદાવાદ શહેરમાં માત્ર 3 ઉમેદવારોને જ કરાયા રિપિટ


  • Published By :
  • Published Date : 2022-11-10 14:53:38

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પોતાની પ્રથમ યાદીમાં 160 ઉમેદવોરાના નામ જાહેર કરાયા છે. ભાજપે આ વખતે નો રિપીટ થિયરી પર વધારે ફોક્સ કર્યું છે. જેને કારણે મેગાસીટી માટે ભાજપે આ થિયરી અપનાવી છે. જેને કારણે અનેક દિગ્ગજ નેતાઓના નામ કપાયા છે. જ્યારે અમદાવાદ માટે ભાજપે માત્ર 3 ઉમેદવારોને જ રિપીટ કર્યા છે. ભાજપે ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રિપીટ કર્યા છે,  અમરાઈવાડીથી હસમુખ પટેલ તેમજ દસ્કોઈથી બાબુ જમના પટેલને રિપિટ કરાયા છે.   

આ ત્રણ ઉમેદવારને કરાયા રિપિ

પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરતા પહેલા ભાજપે ઉમેદવારો માટે ઘણી બેઠકો કરી હતી. બુધવારે મળેલી બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચા કરવા આવી હતી જે બાદ આજે ભાજપે 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે.  ભાજપે અમુક ઉમેદવારોને જ રિપિટ કર્યા છે અને નવા ઉમેદવારોને તક આપી છે. અમદાવાદમાં મુખ્યમંત્રી, અમરાઈવાડીથી હસમુખ પટેલ,  ઉપરાંત બાબુ જમના પટેલને ફરી એક વખત ટિકિટ આપવામાં આવી છે.


આ વખતે કોને કોને અપાઈ છે ટિકિટ

2017થી ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલને જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે આ વખતે પણ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી છે. એલિસબ્રિજ પરથી 2017માં રાકેશ શાહને ટિકિટ અપાઈ હતી જ્યારે આ વખતે અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે. કૌશિક પટેલને નારણપુરાથી 2017માં ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે આ વખતે જીતેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી છે. નિકોલથી 2017માં જગદીશ પંચાલને ટિકિટ આપવામાં આવી હતી જ્યારે આ વખતે જગદીશ વિશ્વકર્માને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 

2017માં બલરામ થાવાણીને નરોડાથી ટિકિટ અપાઈ હતી જ્યારે આ વખતે ડોં. પાયલ કુકરાણીને ટિકિટ આપવામાં આવી છે. બાપુનગરથી આ વખતે દિનેશ કુશવાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે 2017માં જગરૂપસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી હતી. અમરાઈવાડીથી હસમુખ પટેલને રિપિટ કરવામાં આવ્યા છે. મણીનગરથી આ વખતે અમૂલ ભટ્ટને સુરેશ પટેલની જગ્યાએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 

નરેશ વ્યાસને આ વખતે દાણી લીમડાથી ટિકિટ આપવામાં આવી છે જ્યારે 2017માં ગિરિશ પરમારને ટિકિટ આપવામાં આવી હતી. સાબરમતીથી ડોં. હર્ષદ પટેલને ટિકિટ આપવામાં આવી છે. અસારવાથી દર્શનાબેન વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે 2017માં આ સીટ પ્રદિપ પરમારની હતી. ઠક્કરબાપા નગરમાં આ વખતે કંચન રાદડિયાને ટિકિટ આપવામાં આવી હતી જ્યારે 2017માં આ સીટ પર વલ્લભ કાકડીયાને ઉતારવામાં આવ્યા હતા, અમિત ઠાકોરને આ વખતે વેજલપુરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.      




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"