દિલ્હી મોડલ પર ભાજપના આપને સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 16:27:04

ગુજરાત વિધાનસભા જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આક્ષેપ-પ્રતિઆક્ષેપો વધી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની રાજનીતિ કરિયર શરૂ કરવા તત્પર બની છે. જેને લઈ અનેક વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે વારંવાર આવી રહ્યા છે. ભાજપ અને આપ વચ્ચે આરોપ-પ્રતિઆરોપ લગાવાઈ રહ્યા છે. ત્યારે યજ્ઞેશ દવેએ ફરી એક વખત RTI કરી આપ પર પ્રહાર કર્યા છે.

યજ્ઞેશ દવેએ RTI કરી મેળવી જાણકારી

ભાજપના સ્ટેટ મીડિયા કન્વિયર યજ્ઞેશ દવેએ અનેક વખત RTI કરી આપ સરકાર પર પ્રશ્ન ઉઠાવ્યા છે. આ વખતે તેમણે ટ્વિટ કરી આક્ષેપ કર્યા છે. આ પહેલા યજ્ઞેશ દવેએ RTI કરી દિલ્હીમાં નોકરી વિશે તેમજ આયુષ્માન ભારત યોજના લાગૂ ન કરવા વિશે માહિતી મેળવી અરવિંદ કેજરીવાલ સરકાર પર પ્રહાર કર્યા છે.


સરકારની કામગીરી વિશે સામાન્ય લોકોને જાણકારી મળે તે માટે RTIની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ રાજકીય પાર્ટીઓ પોતાના ફાયદા માટે આનો ઉપયોગ કરશે તેતો કોઈએ વિચાર્યું પણ નહીં હોય. 

   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.