દિલ્હી મોડલ પર ભાજપના આપને સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 16:27:04

ગુજરાત વિધાનસભા જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આક્ષેપ-પ્રતિઆક્ષેપો વધી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની રાજનીતિ કરિયર શરૂ કરવા તત્પર બની છે. જેને લઈ અનેક વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે વારંવાર આવી રહ્યા છે. ભાજપ અને આપ વચ્ચે આરોપ-પ્રતિઆરોપ લગાવાઈ રહ્યા છે. ત્યારે યજ્ઞેશ દવેએ ફરી એક વખત RTI કરી આપ પર પ્રહાર કર્યા છે.

યજ્ઞેશ દવેએ RTI કરી મેળવી જાણકારી

ભાજપના સ્ટેટ મીડિયા કન્વિયર યજ્ઞેશ દવેએ અનેક વખત RTI કરી આપ સરકાર પર પ્રશ્ન ઉઠાવ્યા છે. આ વખતે તેમણે ટ્વિટ કરી આક્ષેપ કર્યા છે. આ પહેલા યજ્ઞેશ દવેએ RTI કરી દિલ્હીમાં નોકરી વિશે તેમજ આયુષ્માન ભારત યોજના લાગૂ ન કરવા વિશે માહિતી મેળવી અરવિંદ કેજરીવાલ સરકાર પર પ્રહાર કર્યા છે.


સરકારની કામગીરી વિશે સામાન્ય લોકોને જાણકારી મળે તે માટે RTIની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ રાજકીય પાર્ટીઓ પોતાના ફાયદા માટે આનો ઉપયોગ કરશે તેતો કોઈએ વિચાર્યું પણ નહીં હોય. 

   



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"