દિલ્હી મોડલ પર ભાજપના આપને સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 16:27:04

ગુજરાત વિધાનસભા જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આક્ષેપ-પ્રતિઆક્ષેપો વધી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની રાજનીતિ કરિયર શરૂ કરવા તત્પર બની છે. જેને લઈ અનેક વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે વારંવાર આવી રહ્યા છે. ભાજપ અને આપ વચ્ચે આરોપ-પ્રતિઆરોપ લગાવાઈ રહ્યા છે. ત્યારે યજ્ઞેશ દવેએ ફરી એક વખત RTI કરી આપ પર પ્રહાર કર્યા છે.

યજ્ઞેશ દવેએ RTI કરી મેળવી જાણકારી

ભાજપના સ્ટેટ મીડિયા કન્વિયર યજ્ઞેશ દવેએ અનેક વખત RTI કરી આપ સરકાર પર પ્રશ્ન ઉઠાવ્યા છે. આ વખતે તેમણે ટ્વિટ કરી આક્ષેપ કર્યા છે. આ પહેલા યજ્ઞેશ દવેએ RTI કરી દિલ્હીમાં નોકરી વિશે તેમજ આયુષ્માન ભારત યોજના લાગૂ ન કરવા વિશે માહિતી મેળવી અરવિંદ કેજરીવાલ સરકાર પર પ્રહાર કર્યા છે.


સરકારની કામગીરી વિશે સામાન્ય લોકોને જાણકારી મળે તે માટે RTIની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ રાજકીય પાર્ટીઓ પોતાના ફાયદા માટે આનો ઉપયોગ કરશે તેતો કોઈએ વિચાર્યું પણ નહીં હોય. 

   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .