ગુજરાતમાં ચૂંટણી માટે ઉત્સુક આમ આદમી પાર્ટી પર ભાજપે કર્યો પ્રહાર, ફોટોને લઈ ભાજપે સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2022-11-04 12:48:10

ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરી છે. જ્યારથી ચૂંટણી પ્રચાર શરૂ થયો છે ત્યારથી ભાજપ અને આપ વચ્ચે શાબ્દિક પ્રહાર થતા રહે છે. ત્યારે ફરી એક વખત ભાજપના નેતા યજ્ઞેશ દવેએ આપ પર પ્રહાર કર્યા હતા. પ્રહાર કરતા તેમણે ટ્વિટ કર્યું કે ગુજરાતને ભોળવવા ગુજરાતી બોલનાર એ ભૂલી ગયા છે કે સરદાર પટેલ અને ગાંધીજી પણ ગુજરાતી હતા.

  

ઓફિસમાં લાગેલા ફોટાને લઈ ગરમાઈ રાજનીતિ 

ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અનેક વખત આરોપ-પ્રતિઆરોપ થતા રહે છે. ગુજરાતમાં આ વખતે અરવિંદ કેજરીવાલ પણ પ્રચાર કરી રહ્યા છે. આપનો પ્રચાર કરતી વખતે તેઓ અનેક વખત ગુજરાતીમાં બોલ્યા છે. અનેક વખત પ્રેસ કોન્ફરન્સ કરી તેઓ લોકો સામે આવતા હોય છે. આ વખતે ઓફિસમાં લાગેલા ફોટોને લઈ રાજનીતિ ગરમાઈ છે. કેજરીવાલની ઓફિસમાં આંબેડકર અને ભગત સિંહના ફોટો હોવાને કારણે યજ્ઞેશ દવેએ પ્રહાર કર્યો છે.

BJP tried to buy 10 AAP MLAs in Punjab for Rs 25 crore each: Arvind Kejriwal

ગાંધી-સરદારનું અપમાન કરનારને ગુજરાત માફ નહીં કરે - યજ્ઞેશ દવે 

ભાજપના યજ્ઞેશ દવેએ ટ્વિટ કરી લખ્યું કે ગુજરાતને ભોળવવા ગુજરાતી બોલનારએ ભૂલી ગયા છે કે સરદાર પટેલ અને ગાંધીજી પણ ગુજરાતી હતા અને એક મુખ્ય પ્રધાન તરીકે નીતિ નિયમો અનુસાર પણ તેમની પાછળ ગાંધીજી અને સરદાર પટેલની તસવીર હોવી જોઈએ તે ગાયબ છે. રેવડીને બધા ઓળખી ગયા છે ગાંધી સરદારનું અપમાન કરનારને ગુજરાત માફ નહીં કરે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.