ગુજરાતમાં ચૂંટણી માટે ઉત્સુક આમ આદમી પાર્ટી પર ભાજપે કર્યો પ્રહાર, ફોટોને લઈ ભાજપે સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2022-11-04 12:48:10

ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરી છે. જ્યારથી ચૂંટણી પ્રચાર શરૂ થયો છે ત્યારથી ભાજપ અને આપ વચ્ચે શાબ્દિક પ્રહાર થતા રહે છે. ત્યારે ફરી એક વખત ભાજપના નેતા યજ્ઞેશ દવેએ આપ પર પ્રહાર કર્યા હતા. પ્રહાર કરતા તેમણે ટ્વિટ કર્યું કે ગુજરાતને ભોળવવા ગુજરાતી બોલનાર એ ભૂલી ગયા છે કે સરદાર પટેલ અને ગાંધીજી પણ ગુજરાતી હતા.

  

ઓફિસમાં લાગેલા ફોટાને લઈ ગરમાઈ રાજનીતિ 

ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અનેક વખત આરોપ-પ્રતિઆરોપ થતા રહે છે. ગુજરાતમાં આ વખતે અરવિંદ કેજરીવાલ પણ પ્રચાર કરી રહ્યા છે. આપનો પ્રચાર કરતી વખતે તેઓ અનેક વખત ગુજરાતીમાં બોલ્યા છે. અનેક વખત પ્રેસ કોન્ફરન્સ કરી તેઓ લોકો સામે આવતા હોય છે. આ વખતે ઓફિસમાં લાગેલા ફોટોને લઈ રાજનીતિ ગરમાઈ છે. કેજરીવાલની ઓફિસમાં આંબેડકર અને ભગત સિંહના ફોટો હોવાને કારણે યજ્ઞેશ દવેએ પ્રહાર કર્યો છે.

BJP tried to buy 10 AAP MLAs in Punjab for Rs 25 crore each: Arvind Kejriwal

ગાંધી-સરદારનું અપમાન કરનારને ગુજરાત માફ નહીં કરે - યજ્ઞેશ દવે 

ભાજપના યજ્ઞેશ દવેએ ટ્વિટ કરી લખ્યું કે ગુજરાતને ભોળવવા ગુજરાતી બોલનારએ ભૂલી ગયા છે કે સરદાર પટેલ અને ગાંધીજી પણ ગુજરાતી હતા અને એક મુખ્ય પ્રધાન તરીકે નીતિ નિયમો અનુસાર પણ તેમની પાછળ ગાંધીજી અને સરદાર પટેલની તસવીર હોવી જોઈએ તે ગાયબ છે. રેવડીને બધા ઓળખી ગયા છે ગાંધી સરદારનું અપમાન કરનારને ગુજરાત માફ નહીં કરે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.