ગુજરાતમાં ચૂંટણી માટે ઉત્સુક આમ આદમી પાર્ટી પર ભાજપે કર્યો પ્રહાર, ફોટોને લઈ ભાજપે સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2022-11-04 12:48:10

ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરી છે. જ્યારથી ચૂંટણી પ્રચાર શરૂ થયો છે ત્યારથી ભાજપ અને આપ વચ્ચે શાબ્દિક પ્રહાર થતા રહે છે. ત્યારે ફરી એક વખત ભાજપના નેતા યજ્ઞેશ દવેએ આપ પર પ્રહાર કર્યા હતા. પ્રહાર કરતા તેમણે ટ્વિટ કર્યું કે ગુજરાતને ભોળવવા ગુજરાતી બોલનાર એ ભૂલી ગયા છે કે સરદાર પટેલ અને ગાંધીજી પણ ગુજરાતી હતા.

  

ઓફિસમાં લાગેલા ફોટાને લઈ ગરમાઈ રાજનીતિ 

ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અનેક વખત આરોપ-પ્રતિઆરોપ થતા રહે છે. ગુજરાતમાં આ વખતે અરવિંદ કેજરીવાલ પણ પ્રચાર કરી રહ્યા છે. આપનો પ્રચાર કરતી વખતે તેઓ અનેક વખત ગુજરાતીમાં બોલ્યા છે. અનેક વખત પ્રેસ કોન્ફરન્સ કરી તેઓ લોકો સામે આવતા હોય છે. આ વખતે ઓફિસમાં લાગેલા ફોટોને લઈ રાજનીતિ ગરમાઈ છે. કેજરીવાલની ઓફિસમાં આંબેડકર અને ભગત સિંહના ફોટો હોવાને કારણે યજ્ઞેશ દવેએ પ્રહાર કર્યો છે.

BJP tried to buy 10 AAP MLAs in Punjab for Rs 25 crore each: Arvind Kejriwal

ગાંધી-સરદારનું અપમાન કરનારને ગુજરાત માફ નહીં કરે - યજ્ઞેશ દવે 

ભાજપના યજ્ઞેશ દવેએ ટ્વિટ કરી લખ્યું કે ગુજરાતને ભોળવવા ગુજરાતી બોલનારએ ભૂલી ગયા છે કે સરદાર પટેલ અને ગાંધીજી પણ ગુજરાતી હતા અને એક મુખ્ય પ્રધાન તરીકે નીતિ નિયમો અનુસાર પણ તેમની પાછળ ગાંધીજી અને સરદાર પટેલની તસવીર હોવી જોઈએ તે ગાયબ છે. રેવડીને બધા ઓળખી ગયા છે ગાંધી સરદારનું અપમાન કરનારને ગુજરાત માફ નહીં કરે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.