દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર બીજેપીનો પ્રહાર,પોસ્ટર રિલીઝ કરીને 'લુટેરા' લખ્યું


  • Published By :
  • Published Date : 2022-11-13 09:16:17

દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયા પર ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રવિવારે વધુ એક પ્રહાર કરવામાં આવ્યો છે. બીજેપીના દિલ્હી યુનિટે તેમને 'લુટેરા' કહ્યા છે.

Manish Sisodia Biography- Early Life, Political Career, Activism, Reforms,,  And More

બીજેપીના દિલ્હી યુનિટે રવિવારે સવારે ટ્વિટર પર પોસ્ટર રિલીઝ કર્યું. ફિલ્મ અભિનેતા રણવીર સિંહની ફિલ્મ લૂંટેરાના પોસ્ટરમાં મનીષ સિસોદિયાના ચહેરા સાથે છેડછાડ કરવામાં આવી છે.


ભાજપે આબકારી નીતિમાં કથિત કૌભાંડના સંદર્ભમાં AAP નેતા પર આ પ્રહાર કર્યો છે. તેમાં 'મહાતગ સુકેશ પ્રોડક્શન' અને 'અરવિંદ કેજરીવાલ દ્વારા નિર્દેશિત' અને ત્યારબાદ 'લિકર સ્કેમ મોશન પિક્ચર્સ પ્રેઝન્ટ્સ' પણ લખવામાં આવ્યું છે.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.