દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર બીજેપીનો પ્રહાર,પોસ્ટર રિલીઝ કરીને 'લુટેરા' લખ્યું


  • Published By :
  • Published Date : 2022-11-13 09:16:17

દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયા પર ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રવિવારે વધુ એક પ્રહાર કરવામાં આવ્યો છે. બીજેપીના દિલ્હી યુનિટે તેમને 'લુટેરા' કહ્યા છે.

Manish Sisodia Biography- Early Life, Political Career, Activism, Reforms,,  And More

બીજેપીના દિલ્હી યુનિટે રવિવારે સવારે ટ્વિટર પર પોસ્ટર રિલીઝ કર્યું. ફિલ્મ અભિનેતા રણવીર સિંહની ફિલ્મ લૂંટેરાના પોસ્ટરમાં મનીષ સિસોદિયાના ચહેરા સાથે છેડછાડ કરવામાં આવી છે.


ભાજપે આબકારી નીતિમાં કથિત કૌભાંડના સંદર્ભમાં AAP નેતા પર આ પ્રહાર કર્યો છે. તેમાં 'મહાતગ સુકેશ પ્રોડક્શન' અને 'અરવિંદ કેજરીવાલ દ્વારા નિર્દેશિત' અને ત્યારબાદ 'લિકર સ્કેમ મોશન પિક્ચર્સ પ્રેઝન્ટ્સ' પણ લખવામાં આવ્યું છે.




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.