દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર બીજેપીનો પ્રહાર,પોસ્ટર રિલીઝ કરીને 'લુટેરા' લખ્યું


  • Published By :
  • Published Date : 2022-11-13 09:16:17

દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયા પર ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રવિવારે વધુ એક પ્રહાર કરવામાં આવ્યો છે. બીજેપીના દિલ્હી યુનિટે તેમને 'લુટેરા' કહ્યા છે.

Manish Sisodia Biography- Early Life, Political Career, Activism, Reforms,,  And More

બીજેપીના દિલ્હી યુનિટે રવિવારે સવારે ટ્વિટર પર પોસ્ટર રિલીઝ કર્યું. ફિલ્મ અભિનેતા રણવીર સિંહની ફિલ્મ લૂંટેરાના પોસ્ટરમાં મનીષ સિસોદિયાના ચહેરા સાથે છેડછાડ કરવામાં આવી છે.


ભાજપે આબકારી નીતિમાં કથિત કૌભાંડના સંદર્ભમાં AAP નેતા પર આ પ્રહાર કર્યો છે. તેમાં 'મહાતગ સુકેશ પ્રોડક્શન' અને 'અરવિંદ કેજરીવાલ દ્વારા નિર્દેશિત' અને ત્યારબાદ 'લિકર સ્કેમ મોશન પિક્ચર્સ પ્રેઝન્ટ્સ' પણ લખવામાં આવ્યું છે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.