દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર બીજેપીનો પ્રહાર,પોસ્ટર રિલીઝ કરીને 'લુટેરા' લખ્યું


  • Published By :
  • Published Date : 2022-11-13 09:16:17

દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયા પર ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રવિવારે વધુ એક પ્રહાર કરવામાં આવ્યો છે. બીજેપીના દિલ્હી યુનિટે તેમને 'લુટેરા' કહ્યા છે.

Manish Sisodia Biography- Early Life, Political Career, Activism, Reforms,,  And More

બીજેપીના દિલ્હી યુનિટે રવિવારે સવારે ટ્વિટર પર પોસ્ટર રિલીઝ કર્યું. ફિલ્મ અભિનેતા રણવીર સિંહની ફિલ્મ લૂંટેરાના પોસ્ટરમાં મનીષ સિસોદિયાના ચહેરા સાથે છેડછાડ કરવામાં આવી છે.


ભાજપે આબકારી નીતિમાં કથિત કૌભાંડના સંદર્ભમાં AAP નેતા પર આ પ્રહાર કર્યો છે. તેમાં 'મહાતગ સુકેશ પ્રોડક્શન' અને 'અરવિંદ કેજરીવાલ દ્વારા નિર્દેશિત' અને ત્યારબાદ 'લિકર સ્કેમ મોશન પિક્ચર્સ પ્રેઝન્ટ્સ' પણ લખવામાં આવ્યું છે.




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.