ભાજપે રાજકોટ જિલ્લા સંગઠનમાં કર્યા ફેરફાર, આ સ્થાનિક નેતાઓને મળી મોટી જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-06-20 19:07:18

લોકસભા ચૂંટણીને લઈ ભાજપના નેતાઓએ કમર કસી લીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબુત બનાવવા માટે સંગઠનનમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ સી.આર. પાટીલ દ્વારા રાજકોટ જિલ્લાના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લામાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. 


ચર્ચા-વિચારણા બાદ નિર્ણય


ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ,  સંગઠન મહામંત્રી રત્‍નાકર પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્‍ટ્ર જોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા,  રાજકોટ જિલ્લા પ્રભારી ધવલભાઈ દવે સાથે ચર્ચા વિચારણા કરી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા દ્વારા નીચે મુજબના ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના સંગઠન પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.


આ પદાધિકારીઓની નિમણૂક


ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના સંગઠનમાં વિવિધ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ખોડાભાઈ ખસિયા ઉપપ્રમુખ -વીંછીયા, જયેશભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ -ઉપલેટા, ગોવિંદભાઈ રાણપરિયા ઉપપ્રમુખ -જામ કંડોરણા, પ્રફુલભાઈ ટોળીયા ઉપપ્રમુખ-ગોંડલ, બિંદિયાબેન મકવાણા ઉપપ્રમુખ જેતપુર, રાજુભાઈ ધારૈયા ઉપપ્રમુખ રાજકોટ તાલુકા, રીનાબેન ભોજાણી ઉપપ્રમુખ ગોંડલ, રમાબેન મકવાણા ઉપપ્રમુખ જસદણનો સમાવેશ થાય છે. તે જ રીતે હરેશભાઈ હેરભા મહામંત્રી જસદણ, નરેંદ્રસિંહ એમ જાડેજા મહામંત્રી રાજકોટ તાલુકા, રવિભાઈ માકડીયા મહામંત્રી ઉપલેટા તરીકે તેમની નિમણૂક કરાઈ છે. જ્યારે વલ્લભભાઈ જાપડીયા મંત્રી વીંછીયા, મનોજભાઈ રાઠોડ મંત્રી રાજકોટ તાલુકા, રાજુભાઈ સાવલિયા મંત્રી કોટડા સાંગાણી, વલ્લભભાઈ શેખલિયા મંત્રી રાજકોટ, જસ્મીન પીપળીયા મંત્રી રાજકોટ તાલુકા, વીશાલભાઈ ફાંગલીયા મંત્રી લોધિકા, સીમાબેન જોષી મંત્રી રાજકોટ તાલુકા, વદંનાબેન સોની મંત્રી પડધરી, જ્યારે મનીષાબેન ગોવાણીને કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.