ભાજપના માણસાના ઉમેદવાર જયંતી પટેલ પાસે અધધધ 652 કરોડની સંપત્તિ


  • Published By :
  • Published Date : 2022-11-18 12:30:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારોની બોલબાલા છે. સામાન્ય માણસો માટે તો હવે ચૂંટણી લડવી તે હવે લોઢાના ચણા ચાવવા બરાબર બની ગયું છે. જેમ કે માણસા સીટ પર ભાજપના 64 વર્ષીય ઉમેદવાર જયંતી પટેલે તેમનું ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે તેમની સંપત્તી જાહેર કરી તે જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા.


જયંતી પટેલ પાસે કેટલી સંપત્તી?


ભાજપના ઉમેદવાર જે. એસ. પટેલ માત્ર 10 પાસ છે. જો કે તેમની જાહેર કરેલી સંપત્તી 652 કરોડ રૂપિયા છે જેમાં જંગમ મિલકત 141 કરોડ જ્યારે સ્થાવર મિલકત 511 કરોડ જેટલી છે. તૈ તેમની હરીફો કરતા સૌથી વધુ અમીર ઉમેદવાર છે. જયંતી પટેલ વ્યવસાયે ખેડૂત અને બિલ્ડર છે. જે. એસ. પટેલ માણસા સીટ પરના ત્રણેય રાજકીય પક્ષોમાં સૌથી મોટી ઉંમરના ઉમેદવાર છે. 


ગાંધીનગર જિલ્લાની 5 સીટ પર કુલ 125 ઉમેદવારો


ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા કુલ 125 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે આ વખતે ચૂંટણી જંગ જામશે. ​​​​​​​ત્રણ રાજકીય પક્ષો ઉપરાંત અન્ય રાજકીય પક્ષો અને અપક્ષોએ પણ પોતાની ઉમેદવારી કરી છે. જોકે 21 નવેમ્બરના રોજ ઉમેદવાર પરત ખેંચવાના દિવસે સાંજે કઈ બેઠક પર કેટલા ઉમેદવાર રહેશે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જે બાદ કઈ બેઠક પર કયા પક્ષના કેટલા મત તૂટે તેમ છે તે અંગેનું ગણેત રાજકીય પક્ષો દ્વારા શરૂ કરવામાં આવશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.