ભાજપના માણસાના ઉમેદવાર જયંતી પટેલ પાસે અધધધ 652 કરોડની સંપત્તિ


  • Published By :
  • Published Date : 2022-11-18 12:30:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારોની બોલબાલા છે. સામાન્ય માણસો માટે તો હવે ચૂંટણી લડવી તે હવે લોઢાના ચણા ચાવવા બરાબર બની ગયું છે. જેમ કે માણસા સીટ પર ભાજપના 64 વર્ષીય ઉમેદવાર જયંતી પટેલે તેમનું ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે તેમની સંપત્તી જાહેર કરી તે જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા.


જયંતી પટેલ પાસે કેટલી સંપત્તી?


ભાજપના ઉમેદવાર જે. એસ. પટેલ માત્ર 10 પાસ છે. જો કે તેમની જાહેર કરેલી સંપત્તી 652 કરોડ રૂપિયા છે જેમાં જંગમ મિલકત 141 કરોડ જ્યારે સ્થાવર મિલકત 511 કરોડ જેટલી છે. તૈ તેમની હરીફો કરતા સૌથી વધુ અમીર ઉમેદવાર છે. જયંતી પટેલ વ્યવસાયે ખેડૂત અને બિલ્ડર છે. જે. એસ. પટેલ માણસા સીટ પરના ત્રણેય રાજકીય પક્ષોમાં સૌથી મોટી ઉંમરના ઉમેદવાર છે. 


ગાંધીનગર જિલ્લાની 5 સીટ પર કુલ 125 ઉમેદવારો


ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા કુલ 125 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે આ વખતે ચૂંટણી જંગ જામશે. ​​​​​​​ત્રણ રાજકીય પક્ષો ઉપરાંત અન્ય રાજકીય પક્ષો અને અપક્ષોએ પણ પોતાની ઉમેદવારી કરી છે. જોકે 21 નવેમ્બરના રોજ ઉમેદવાર પરત ખેંચવાના દિવસે સાંજે કઈ બેઠક પર કેટલા ઉમેદવાર રહેશે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જે બાદ કઈ બેઠક પર કયા પક્ષના કેટલા મત તૂટે તેમ છે તે અંગેનું ગણેત રાજકીય પક્ષો દ્વારા શરૂ કરવામાં આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.