ભાજપના માણસાના ઉમેદવાર જયંતી પટેલ પાસે અધધધ 652 કરોડની સંપત્તિ


  • Published By :
  • Published Date : 2022-11-18 12:30:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારોની બોલબાલા છે. સામાન્ય માણસો માટે તો હવે ચૂંટણી લડવી તે હવે લોઢાના ચણા ચાવવા બરાબર બની ગયું છે. જેમ કે માણસા સીટ પર ભાજપના 64 વર્ષીય ઉમેદવાર જયંતી પટેલે તેમનું ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે તેમની સંપત્તી જાહેર કરી તે જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા.


જયંતી પટેલ પાસે કેટલી સંપત્તી?


ભાજપના ઉમેદવાર જે. એસ. પટેલ માત્ર 10 પાસ છે. જો કે તેમની જાહેર કરેલી સંપત્તી 652 કરોડ રૂપિયા છે જેમાં જંગમ મિલકત 141 કરોડ જ્યારે સ્થાવર મિલકત 511 કરોડ જેટલી છે. તૈ તેમની હરીફો કરતા સૌથી વધુ અમીર ઉમેદવાર છે. જયંતી પટેલ વ્યવસાયે ખેડૂત અને બિલ્ડર છે. જે. એસ. પટેલ માણસા સીટ પરના ત્રણેય રાજકીય પક્ષોમાં સૌથી મોટી ઉંમરના ઉમેદવાર છે. 


ગાંધીનગર જિલ્લાની 5 સીટ પર કુલ 125 ઉમેદવારો


ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા કુલ 125 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે આ વખતે ચૂંટણી જંગ જામશે. ​​​​​​​ત્રણ રાજકીય પક્ષો ઉપરાંત અન્ય રાજકીય પક્ષો અને અપક્ષોએ પણ પોતાની ઉમેદવારી કરી છે. જોકે 21 નવેમ્બરના રોજ ઉમેદવાર પરત ખેંચવાના દિવસે સાંજે કઈ બેઠક પર કેટલા ઉમેદવાર રહેશે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જે બાદ કઈ બેઠક પર કયા પક્ષના કેટલા મત તૂટે તેમ છે તે અંગેનું ગણેત રાજકીય પક્ષો દ્વારા શરૂ કરવામાં આવશે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.