ભાજપના ઉમેદવારો કિર્તીસિંહ વાઘેલા અને રાજુલ દેસાઈએ હાર માટે પાર્ટીના કાર્યકરોને જવાબદાર ઠરાવ્યા


  • Published By :
  • Published Date : 2022-12-11 20:07:46

ગુજરાત વિધાસભની ચૂંટણીનું પરિણામ તો જાહેર થઈ ગયું પણ હારેલા ઉમેદવારો હજુ પણ હારને પચાવી શક્યા નથી. હારેલા ઉમેદવારો તેમની હાર માટે પોતાની જ પાર્ટીના કાર્યકરો તથા સ્થાનિક નેતાઓને જવાબદાર ઠરાવી રહ્યા છે. જેમ કે ભાજપના હારેલા 26 ઉમેદવારો પૈકી બે ઉમેદવારોએ પોતાની હાર માટે ભાજપના જ સ્થાનિક નેતાઓને જવાબદાર ગણાવવાનું શરૂ કરી દીધું છે. 


ભાજપના બે ધારાસભ્યએ શું આરોપ લગાવ્યો?


કાંકરેજ બેઠકથી કૉંગ્રેસના ઉમેદવાર અમરત ઠાકોર સામે 5 હજારથી વધુ મતથી હારનાર ભાજપના કિર્તીસિંહ વાઘેલાએ હારનું ઠીકરૂ સ્થાનિક નેતાઓ પર ફોડ્યું હતું. તે જ પ્રકારે અન્ય એક ભાજપના ઉમેદવાર રાજુલબેન દેસાઈએ ભાજપના સ્થાનિક નેતાઓને હાર માટે જવાબદાર ઠરાવ્યા છે. પાટણ બેઠકથી કૉંગ્રેસના કિરીટ પટેલ સામે 17 હજાર કરતા વધુ મતે હારનાર ડૉ. રાજુલબેન દેસાઈએ પાટણમાં સભા યોજી હતી. સભામાં પોતાની હાર માટે ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓને આડકતરી રીતે ઈશારો કરતા તેમને જયચંદ જવાબદાર ગણાવ્યા હતા. રાજુલ બેને પોતાના ભાષણમાં પૃથ્વીરાજ ચોહાણનું ઉદાહરણ આપતા કહ્યું, "પૃથ્વીરાજ ચોહાણને હરાવનાર જયચંદ હતા ત્યારે મને હરાવવા પણ કેટલાક જયચંદ કામે લાગ્યા હતા". રાજુલબેન દેસાઈએ જાહેર સભામાં પક્ષના કાર્યકર્તાઓને પાર્ટી વિરૂદ્ધ ગણાવતા મામલો ગરમાયો હતો. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.