આ વખતની ચૂંટણીમાં નવી ફેશન ચાલશે, આતંકવાદી જૂનૂ થયું, 'અર્બન નક્સલ' આવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-04 15:51:54

અરવિંદ કેજરીવાલ 'અર્બન નક્સલી' - દેવુસિંહ ચૌહાણ

વડોદરામાં આવેલા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અર્બન નક્સલવાદીઓનું ટોળું છે, મેધા પાટકરની સાથે એ હતા અને નર્મદા યોજના અટકાવવા માટે ફંડ પણ ત્યાંથી આવતું હતું, પણ ગુજરાતીઓ હોંશિયાર હોય છે અને આવા લોકોને ઓળખી લે છે.


કચ્છમાં સી.એમએ મેધા પાટકરને અર્બન નક્સલી કહ્યા

પીએમ કચ્છની મુલાકાતે હતા ત્યારે સી.એમ ભૂપેન્દ્ર પટેલે સ્ટેજ પરથી નર્મદા વિશે બોલતા કહ્યું હતું કે મેધા પાટકરે આ કામને રોકાવ્યું અને એવા અર્બન નક્સલી જ આવા કામને આડે આવે છે, એ પછી ભાજપ સમર્પીત ઓપી ઈન્ડીયાએ પણ મેધા પાટકરને આમ આદમી પાર્ટી ગુજરાતનો સીએમ ફેસ બનાવશે એવી વાત કરી હતી, જો કે આમ આદમી પાર્ટીએ આના પર કોઈ પ્રતિક્રીયા નહોતી આપી.


ચૂંટણી આવી, હવે આવું બધુ ચાલતું રહેશે

અત્યાર સુધી ઠગ, મહાઠગ સુધી વાતો પહોંચી હતી, ગોપાલ ઈટાલીયા ગૃહમંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહેવા સુધી રાજનીતિ લઈ ગયા, હવે એમાં એક પગલું આગળ ભરતા દેવુસિંહ ચૌહાણે કેજરીવાલને અર્બન નક્સલી અને ટુંકમાં ગુજરાત વિરોધી કહેવાની કોશિશ કરી છે, હજું તો ચૂંટણીને સમય છે...આગે આગે દેખો હોતા હૈ ક્યાં!



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .