આ વખતની ચૂંટણીમાં નવી ફેશન ચાલશે, આતંકવાદી જૂનૂ થયું, 'અર્બન નક્સલ' આવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-04 15:51:54

અરવિંદ કેજરીવાલ 'અર્બન નક્સલી' - દેવુસિંહ ચૌહાણ

વડોદરામાં આવેલા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અર્બન નક્સલવાદીઓનું ટોળું છે, મેધા પાટકરની સાથે એ હતા અને નર્મદા યોજના અટકાવવા માટે ફંડ પણ ત્યાંથી આવતું હતું, પણ ગુજરાતીઓ હોંશિયાર હોય છે અને આવા લોકોને ઓળખી લે છે.


કચ્છમાં સી.એમએ મેધા પાટકરને અર્બન નક્સલી કહ્યા

પીએમ કચ્છની મુલાકાતે હતા ત્યારે સી.એમ ભૂપેન્દ્ર પટેલે સ્ટેજ પરથી નર્મદા વિશે બોલતા કહ્યું હતું કે મેધા પાટકરે આ કામને રોકાવ્યું અને એવા અર્બન નક્સલી જ આવા કામને આડે આવે છે, એ પછી ભાજપ સમર્પીત ઓપી ઈન્ડીયાએ પણ મેધા પાટકરને આમ આદમી પાર્ટી ગુજરાતનો સીએમ ફેસ બનાવશે એવી વાત કરી હતી, જો કે આમ આદમી પાર્ટીએ આના પર કોઈ પ્રતિક્રીયા નહોતી આપી.


ચૂંટણી આવી, હવે આવું બધુ ચાલતું રહેશે

અત્યાર સુધી ઠગ, મહાઠગ સુધી વાતો પહોંચી હતી, ગોપાલ ઈટાલીયા ગૃહમંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહેવા સુધી રાજનીતિ લઈ ગયા, હવે એમાં એક પગલું આગળ ભરતા દેવુસિંહ ચૌહાણે કેજરીવાલને અર્બન નક્સલી અને ટુંકમાં ગુજરાત વિરોધી કહેવાની કોશિશ કરી છે, હજું તો ચૂંટણીને સમય છે...આગે આગે દેખો હોતા હૈ ક્યાં!



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.