હિમાચલ પ્રદેશઃ કોંગ્રેસે કહ્યું, "આવી રહ્યા છીએ", ભાજપે કહ્યું, "પણ વિપક્ષમાં"


  • Published By :
  • Published Date : 2022-11-09 16:28:37

હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસની પોસ્ટર વૉરના ફોટો સોશિયલ મીડિયામાં જોરદાર રીતે વાયરલ થઈ રહ્યા છે. કોંગ્રેસે પ્રચાર માટે પોસ્ટર લગાવ્યા હતા જેમાં ભાજપ પર નિશાનો સાધવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે, શપથનું સપનું તૂટશે. કારણ કે કોંગ્રેસ આવી રહી છે. હિમાચલ પ્રદેશની સુંદર બિલ્ડિંગ પર કોંગ્રેસે આ પોસ્ટર લગાવ્યું છે. જો કે ભાજપે તંજ કસતા બાજુમાં પોસ્ટર મૂકી દીધું હતું. કોંગ્રેસના પોસ્ટરનો જવાબ આપતા ભાજપે પોસ્ટર વૉર શરૂ કરી છે. 


ભાજપ કોંગ્રેસની પોસ્ટર વૉર

હિમાચલ પ્રદેશની ભારતીય જનતા પાર્ટીએ પોસ્ટર લગાવી લખ્યું હતું કે, "ફરી વિપક્ષમાં". એટલે કે હાલ ભાજપની હિમાચલ પ્રદેશમાં સરકાર છે અને વિપક્ષમાં કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસે પોસ્ટર લગાવ્યું હતું કે આવી રહી છે કોંગ્રેસ તો ભાજપે લખી દીધું વિપક્ષમાં. જો કે આ પોસ્ટર વૉર અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની 68 બેઠકો છે. હિમાચલમાં ફક્ત એક તબક્કામાં મતદાન થશે. 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.