હિમાચલ પ્રદેશઃ કોંગ્રેસે કહ્યું, "આવી રહ્યા છીએ", ભાજપે કહ્યું, "પણ વિપક્ષમાં"


  • Published By :
  • Published Date : 2022-11-09 16:28:37

હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસની પોસ્ટર વૉરના ફોટો સોશિયલ મીડિયામાં જોરદાર રીતે વાયરલ થઈ રહ્યા છે. કોંગ્રેસે પ્રચાર માટે પોસ્ટર લગાવ્યા હતા જેમાં ભાજપ પર નિશાનો સાધવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે, શપથનું સપનું તૂટશે. કારણ કે કોંગ્રેસ આવી રહી છે. હિમાચલ પ્રદેશની સુંદર બિલ્ડિંગ પર કોંગ્રેસે આ પોસ્ટર લગાવ્યું છે. જો કે ભાજપે તંજ કસતા બાજુમાં પોસ્ટર મૂકી દીધું હતું. કોંગ્રેસના પોસ્ટરનો જવાબ આપતા ભાજપે પોસ્ટર વૉર શરૂ કરી છે. 


ભાજપ કોંગ્રેસની પોસ્ટર વૉર

હિમાચલ પ્રદેશની ભારતીય જનતા પાર્ટીએ પોસ્ટર લગાવી લખ્યું હતું કે, "ફરી વિપક્ષમાં". એટલે કે હાલ ભાજપની હિમાચલ પ્રદેશમાં સરકાર છે અને વિપક્ષમાં કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસે પોસ્ટર લગાવ્યું હતું કે આવી રહી છે કોંગ્રેસ તો ભાજપે લખી દીધું વિપક્ષમાં. જો કે આ પોસ્ટર વૉર અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની 68 બેઠકો છે. હિમાચલમાં ફક્ત એક તબક્કામાં મતદાન થશે. 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.