હિમાચલ પ્રદેશઃ કોંગ્રેસે કહ્યું, "આવી રહ્યા છીએ", ભાજપે કહ્યું, "પણ વિપક્ષમાં"


  • Published By :
  • Published Date : 2022-11-09 16:28:37

હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસની પોસ્ટર વૉરના ફોટો સોશિયલ મીડિયામાં જોરદાર રીતે વાયરલ થઈ રહ્યા છે. કોંગ્રેસે પ્રચાર માટે પોસ્ટર લગાવ્યા હતા જેમાં ભાજપ પર નિશાનો સાધવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે, શપથનું સપનું તૂટશે. કારણ કે કોંગ્રેસ આવી રહી છે. હિમાચલ પ્રદેશની સુંદર બિલ્ડિંગ પર કોંગ્રેસે આ પોસ્ટર લગાવ્યું છે. જો કે ભાજપે તંજ કસતા બાજુમાં પોસ્ટર મૂકી દીધું હતું. કોંગ્રેસના પોસ્ટરનો જવાબ આપતા ભાજપે પોસ્ટર વૉર શરૂ કરી છે. 


ભાજપ કોંગ્રેસની પોસ્ટર વૉર

હિમાચલ પ્રદેશની ભારતીય જનતા પાર્ટીએ પોસ્ટર લગાવી લખ્યું હતું કે, "ફરી વિપક્ષમાં". એટલે કે હાલ ભાજપની હિમાચલ પ્રદેશમાં સરકાર છે અને વિપક્ષમાં કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસે પોસ્ટર લગાવ્યું હતું કે આવી રહી છે કોંગ્રેસ તો ભાજપે લખી દીધું વિપક્ષમાં. જો કે આ પોસ્ટર વૉર અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની 68 બેઠકો છે. હિમાચલમાં ફક્ત એક તબક્કામાં મતદાન થશે. 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.