Gujaratમાં BJP-Congressના દિગ્ગજ નેતાઓ કરશે ચૂંટણી પ્રચાર, જાણો PM Modi સહિત કોંગ્રેસના નેતાઓ ક્યાં ગજવશે રેલી?


  • Published By :
  • Published Date : 2024-04-25 12:59:30

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. 26 બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને કયા કયા ઉમેદવારો વચ્ચે જંગ થવાનો છે તે ખબર પડી ગઈ છે.. ત્યારે પોતાના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવવાના છે.... ભાજપનો પ્રચાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ ગુજરાત આવવાના છે તો કોંગ્રેસનો પ્રચાર કરવા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી આવવાના છે... તે સિવાય અનેક દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે પાર્ટીઓ મેદાનમાં ઉતારવાની છે... 

પીએમ મોદી આવશે ગુજરાત 

દેશભરમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. અનેક મુદ્દાઓને લઈ રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણી લડવામાં આવી રહી છે.. ગુજરાતમાં પણ પ્રચારનો ધમધમાટ શરૂ થવાનો છે. ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર સભાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. PM મોદી તેમનો પ્રચાર પહેલી મેથી કરવાના છે. પહેલી મે એટલે કે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી શરુ કરશે. મહત્વનું છે કે પીએમ મોદી માત્ર બે દિવસ ગુજરાતમાં પ્રચાર કરવાના છે..   



ક્યારે ક્યાં પીએમ મોદી કરશે જનસભા? 

પીએમ મોદીના કાર્યક્રમની વાત કરીએ તો પહેલી મેના રોજ બપોરે સાડા ત્રણ વાગે ડીસામાં જાહેરસભા કરશે. તે બાદ સાંજે 3.15 વાગે હિંમતનગરમાં જાહેર સભાને સંબોધશે. ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે એટલે પહેલી મેના રોજ PM મોદી ૬ લોકસભાઓ બનાસકાંઠા, પાટણ , સાબરકાંઠા , મેહસાણા , અમદાવાદ પૂર્વને કવર કરશે. તો બીજી મેના રોજ PM મોદી સવારે ૧૧ વાગ્યે આણંદમાં જનસભાને સંબોધશે. આ જાહેરસભા અંતર્ગત આણંદ અને ખેડા લોકસભા કવર થશે તે બાદ બપોરે ૧ વાગ્યે વઢવાણ તે પછી સવા ત્રણ વાગ્યે જૂનાગઢ અને સાંજે ૫ વાગે જામનગર દક્ષિણમાં જાહેર સભા PM મોદી દ્વારા કરવામાં આવશે. આનાથી સમગ્ર સૌરાષ્ટ્ર કવર થયી જશે. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાના નિવેદનથી રોષે ભરાયેલો છે . 


કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાતમાં ગજવશે સભા..

હવે વાત કરીએ કોંગ્રેસ પાર્ટીની તો કોંગ્રેસ પાર્ટીએ પણ ગુજરાત માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કરવા માટે ૨૭ એપ્રીલે  પ્રિયંકા ગાંધીની વલસાડના ધરમપુર ખાતે જાહેરસભા આયોજિત છે. ૨૯ એપ્રિલએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાટણ ખાતે ચુંટણી સભાને સંબોધન કરશે. કોંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ, અશોક ગહેલોત અને તેલંગાણાનાં વર્તમાન મુખ્યમંત્રી   રેવંતા રેડીની પણ ગુજરાતના અલગ અલગ ભાગમાં  જાહેર સભા આયોજિત કરવાના છે. તે સિવાય કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવશે..  ત્યારે આ ચૂંટણી પરિણામની શું અસર હશે તે ચાર જુને જ ખબર પડશે..  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.