Gujaratમાં BJP-Congressના દિગ્ગજ નેતાઓ કરશે ચૂંટણી પ્રચાર, જાણો PM Modi સહિત કોંગ્રેસના નેતાઓ ક્યાં ગજવશે રેલી?


  • Published By :
  • Published Date : 2024-04-25 12:59:30

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. 26 બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને કયા કયા ઉમેદવારો વચ્ચે જંગ થવાનો છે તે ખબર પડી ગઈ છે.. ત્યારે પોતાના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવવાના છે.... ભાજપનો પ્રચાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ ગુજરાત આવવાના છે તો કોંગ્રેસનો પ્રચાર કરવા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી આવવાના છે... તે સિવાય અનેક દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે પાર્ટીઓ મેદાનમાં ઉતારવાની છે... 

પીએમ મોદી આવશે ગુજરાત 

દેશભરમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. અનેક મુદ્દાઓને લઈ રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણી લડવામાં આવી રહી છે.. ગુજરાતમાં પણ પ્રચારનો ધમધમાટ શરૂ થવાનો છે. ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર સભાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. PM મોદી તેમનો પ્રચાર પહેલી મેથી કરવાના છે. પહેલી મે એટલે કે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી શરુ કરશે. મહત્વનું છે કે પીએમ મોદી માત્ર બે દિવસ ગુજરાતમાં પ્રચાર કરવાના છે..   



ક્યારે ક્યાં પીએમ મોદી કરશે જનસભા? 

પીએમ મોદીના કાર્યક્રમની વાત કરીએ તો પહેલી મેના રોજ બપોરે સાડા ત્રણ વાગે ડીસામાં જાહેરસભા કરશે. તે બાદ સાંજે 3.15 વાગે હિંમતનગરમાં જાહેર સભાને સંબોધશે. ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે એટલે પહેલી મેના રોજ PM મોદી ૬ લોકસભાઓ બનાસકાંઠા, પાટણ , સાબરકાંઠા , મેહસાણા , અમદાવાદ પૂર્વને કવર કરશે. તો બીજી મેના રોજ PM મોદી સવારે ૧૧ વાગ્યે આણંદમાં જનસભાને સંબોધશે. આ જાહેરસભા અંતર્ગત આણંદ અને ખેડા લોકસભા કવર થશે તે બાદ બપોરે ૧ વાગ્યે વઢવાણ તે પછી સવા ત્રણ વાગ્યે જૂનાગઢ અને સાંજે ૫ વાગે જામનગર દક્ષિણમાં જાહેર સભા PM મોદી દ્વારા કરવામાં આવશે. આનાથી સમગ્ર સૌરાષ્ટ્ર કવર થયી જશે. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાના નિવેદનથી રોષે ભરાયેલો છે . 


કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાતમાં ગજવશે સભા..

હવે વાત કરીએ કોંગ્રેસ પાર્ટીની તો કોંગ્રેસ પાર્ટીએ પણ ગુજરાત માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કરવા માટે ૨૭ એપ્રીલે  પ્રિયંકા ગાંધીની વલસાડના ધરમપુર ખાતે જાહેરસભા આયોજિત છે. ૨૯ એપ્રિલએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાટણ ખાતે ચુંટણી સભાને સંબોધન કરશે. કોંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ, અશોક ગહેલોત અને તેલંગાણાનાં વર્તમાન મુખ્યમંત્રી   રેવંતા રેડીની પણ ગુજરાતના અલગ અલગ ભાગમાં  જાહેર સભા આયોજિત કરવાના છે. તે સિવાય કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવશે..  ત્યારે આ ચૂંટણી પરિણામની શું અસર હશે તે ચાર જુને જ ખબર પડશે..  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે