Gujaratમાં BJP-Congressના દિગ્ગજ નેતાઓ કરશે ચૂંટણી પ્રચાર, જાણો PM Modi સહિત કોંગ્રેસના નેતાઓ ક્યાં ગજવશે રેલી?


  • Published By :
  • Published Date : 2024-04-25 12:59:30

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. 26 બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને કયા કયા ઉમેદવારો વચ્ચે જંગ થવાનો છે તે ખબર પડી ગઈ છે.. ત્યારે પોતાના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવવાના છે.... ભાજપનો પ્રચાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ ગુજરાત આવવાના છે તો કોંગ્રેસનો પ્રચાર કરવા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી આવવાના છે... તે સિવાય અનેક દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે પાર્ટીઓ મેદાનમાં ઉતારવાની છે... 

પીએમ મોદી આવશે ગુજરાત 

દેશભરમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. અનેક મુદ્દાઓને લઈ રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણી લડવામાં આવી રહી છે.. ગુજરાતમાં પણ પ્રચારનો ધમધમાટ શરૂ થવાનો છે. ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર સભાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. PM મોદી તેમનો પ્રચાર પહેલી મેથી કરવાના છે. પહેલી મે એટલે કે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી શરુ કરશે. મહત્વનું છે કે પીએમ મોદી માત્ર બે દિવસ ગુજરાતમાં પ્રચાર કરવાના છે..   



ક્યારે ક્યાં પીએમ મોદી કરશે જનસભા? 

પીએમ મોદીના કાર્યક્રમની વાત કરીએ તો પહેલી મેના રોજ બપોરે સાડા ત્રણ વાગે ડીસામાં જાહેરસભા કરશે. તે બાદ સાંજે 3.15 વાગે હિંમતનગરમાં જાહેર સભાને સંબોધશે. ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે એટલે પહેલી મેના રોજ PM મોદી ૬ લોકસભાઓ બનાસકાંઠા, પાટણ , સાબરકાંઠા , મેહસાણા , અમદાવાદ પૂર્વને કવર કરશે. તો બીજી મેના રોજ PM મોદી સવારે ૧૧ વાગ્યે આણંદમાં જનસભાને સંબોધશે. આ જાહેરસભા અંતર્ગત આણંદ અને ખેડા લોકસભા કવર થશે તે બાદ બપોરે ૧ વાગ્યે વઢવાણ તે પછી સવા ત્રણ વાગ્યે જૂનાગઢ અને સાંજે ૫ વાગે જામનગર દક્ષિણમાં જાહેર સભા PM મોદી દ્વારા કરવામાં આવશે. આનાથી સમગ્ર સૌરાષ્ટ્ર કવર થયી જશે. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાના નિવેદનથી રોષે ભરાયેલો છે . 


કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાતમાં ગજવશે સભા..

હવે વાત કરીએ કોંગ્રેસ પાર્ટીની તો કોંગ્રેસ પાર્ટીએ પણ ગુજરાત માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કરવા માટે ૨૭ એપ્રીલે  પ્રિયંકા ગાંધીની વલસાડના ધરમપુર ખાતે જાહેરસભા આયોજિત છે. ૨૯ એપ્રિલએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાટણ ખાતે ચુંટણી સભાને સંબોધન કરશે. કોંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ, અશોક ગહેલોત અને તેલંગાણાનાં વર્તમાન મુખ્યમંત્રી   રેવંતા રેડીની પણ ગુજરાતના અલગ અલગ ભાગમાં  જાહેર સભા આયોજિત કરવાના છે. તે સિવાય કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવશે..  ત્યારે આ ચૂંટણી પરિણામની શું અસર હશે તે ચાર જુને જ ખબર પડશે..  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.