કોંગ્રેસયુક્ત ભાજપ: વિપક્ષ કોંગ્રેસના પક્ષપલટું નેતાઓને ભાજપે ટિકિટ આપી રાજી કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-10 13:52:26

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે તેના કેટલાક ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. હવે ભાજપે  તેના 160 ઉમેદવારોની યાદી જાહેરાત કરી છે. જો કે આ યાદીમાં કોંગ્રેસના પક્ષપલટુંઓની મહદઅંશે સાચવી લેવામાં આવ્યા છે. એક રીતે જોઈએ તો ભાજપના પાયાના કાર્યકરો માટે ભાજપમાં કોઇ સ્થાન જ નથી. પક્ષપલટુઓનો ભાજપમાં એટલો ભરાવો થયો છેકે, સી.આર.પાટીલે ભાજપનું કોંગ્રેસીકરણ કરી નાખ્યુ છે. પાટીલની જાણે એક જ નિતી છે, કોંગ્રેસમાંથી લાવોને, ભાજપ બચાવો. જે રીતે કોંગ્રેસના આયાતીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે તે જોતાં લાગી રહ્યુ છેકે, જો ભાજપમાં મંત્રી કે ધારાસભ્ય બનવું હોય તો વાયા કોંગ્રેસ રૂટ છે. 


 કોંગ્રેસના પક્ષપલટુંઓને ભાજપમાં સ્થાન



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.