પક્ષપલટો કરનાર નેતાઓ પર ભાજપે ભરોસો રાખી જાહેર કર્યા છે ઉમેદવાર, આ વાત પર કોંગ્રેસે કર્યો કટાક્ષ


  • Published By :
  • Published Date : 2022-11-11 12:55:37

ચૂંટણીની જાહેરાત થયા બાદ કોંગ્રેસના અનેક નેતાઓએ પક્ષપલટો કરી લીધો છે. અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપે તેમને ટિકિટ આપી સંતુષ્ટ પણ કર્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ નેતાઓ પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસે કટાક્ષમાં લખ્યું કે જે પક્ષ એમના જ પક્ષના લોકોનો ના થયોએ પક્ષપલટુંઓનો શું થવાનો? માટે જ આ વખતે ભાજપને હરાવી તમામ પક્ષપલટું નેતાઓ અને ભાજપના ખરીદ વેચાણ સંઘને બંધ કરાવીએ, આવો કોંગ્રેસની સરકાર બનાવીએ.

 

ભાજપ અને પક્ષપલટા કરનાર નેતા પર કોંગ્રેસનો કટાક્ષ 

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારથી નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. જે પાર્ટીમાં અનેક વર્ષો સુધી કામ કર્યું હોય તે નેતાને પાર્ટી બદલ્યા બાદ પોતાનો પક્ષ ખરાબ લાગવા લાગે છે. ચૂંટણી પહેલા પક્ષપલટાની સિઝન ચાલતી હોય એવું લાગી રહ્યું છે. કોંગ્રેસમાંથી અનેક નેતાઓ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી ગયેલા અનેક નેતાઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. આ વાતને લઈ કોંગ્રેસે પક્ષપલટો કરનાર નેતાઓ પર અને ભાજપ પર કટાક્ષ કર્યો છે. 

ભાજપમાં જોડાયા લોકો જનતાનું શું ભલું કરવાના - કોંગ્રેસ

ટ્વિટ કરી કોંગ્રેસે લખ્યું કે જે પક્ષ એમના જ પક્ષના લોકોનો ના થયોએ પક્ષપલટુંઓનો શું થવાનો? અને જે લોકો જનતાને દગો આપીને ભાજપમાં જોડાયા એવા લોકો જનતાનું શું ભલું કરવાના? માટે જ આ વખતે ભાજપને હરાવી તમામ પક્ષપલટું નેતાઓ અને ભાજપના ખરીદ વેચાણ સંઘને બંધ કરાવીએ, આવો કોંગ્રેસની સરકાર બનાવીએ. ભાજપે 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં અનેક પક્ષપલટું નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. 


પક્ષપલટો કરનારને ભાજપે આપી છે ટિકિટ

ભાજપે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓમાંથી 13 પક્ષપલટો કરનારને ઉમેદવાર ઘોષિત કર્યા છે.જેમાં હાર્દિક પટેલ, કુવરજી બાવળીયા, રાઘવજી પટેલ, હર્ષદ રિબડીયા, ભગા બારડ, પૂર્ણેશ મોદી સહિત અનેક પક્ષપલટું કરનાર નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે આ વાતને ભાજપ પર કટાક્ષ કરતા મતદારોને જાગૃત કરવાની કોશિષ કરી છે.     




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .