પક્ષપલટો કરનાર નેતાઓ પર ભાજપે ભરોસો રાખી જાહેર કર્યા છે ઉમેદવાર, આ વાત પર કોંગ્રેસે કર્યો કટાક્ષ


  • Published By :
  • Published Date : 2022-11-11 12:55:37

ચૂંટણીની જાહેરાત થયા બાદ કોંગ્રેસના અનેક નેતાઓએ પક્ષપલટો કરી લીધો છે. અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપે તેમને ટિકિટ આપી સંતુષ્ટ પણ કર્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ નેતાઓ પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસે કટાક્ષમાં લખ્યું કે જે પક્ષ એમના જ પક્ષના લોકોનો ના થયોએ પક્ષપલટુંઓનો શું થવાનો? માટે જ આ વખતે ભાજપને હરાવી તમામ પક્ષપલટું નેતાઓ અને ભાજપના ખરીદ વેચાણ સંઘને બંધ કરાવીએ, આવો કોંગ્રેસની સરકાર બનાવીએ.

 

ભાજપ અને પક્ષપલટા કરનાર નેતા પર કોંગ્રેસનો કટાક્ષ 

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારથી નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. જે પાર્ટીમાં અનેક વર્ષો સુધી કામ કર્યું હોય તે નેતાને પાર્ટી બદલ્યા બાદ પોતાનો પક્ષ ખરાબ લાગવા લાગે છે. ચૂંટણી પહેલા પક્ષપલટાની સિઝન ચાલતી હોય એવું લાગી રહ્યું છે. કોંગ્રેસમાંથી અનેક નેતાઓ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી ગયેલા અનેક નેતાઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. આ વાતને લઈ કોંગ્રેસે પક્ષપલટો કરનાર નેતાઓ પર અને ભાજપ પર કટાક્ષ કર્યો છે. 

ભાજપમાં જોડાયા લોકો જનતાનું શું ભલું કરવાના - કોંગ્રેસ

ટ્વિટ કરી કોંગ્રેસે લખ્યું કે જે પક્ષ એમના જ પક્ષના લોકોનો ના થયોએ પક્ષપલટુંઓનો શું થવાનો? અને જે લોકો જનતાને દગો આપીને ભાજપમાં જોડાયા એવા લોકો જનતાનું શું ભલું કરવાના? માટે જ આ વખતે ભાજપને હરાવી તમામ પક્ષપલટું નેતાઓ અને ભાજપના ખરીદ વેચાણ સંઘને બંધ કરાવીએ, આવો કોંગ્રેસની સરકાર બનાવીએ. ભાજપે 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં અનેક પક્ષપલટું નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. 


પક્ષપલટો કરનારને ભાજપે આપી છે ટિકિટ

ભાજપે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓમાંથી 13 પક્ષપલટો કરનારને ઉમેદવાર ઘોષિત કર્યા છે.જેમાં હાર્દિક પટેલ, કુવરજી બાવળીયા, રાઘવજી પટેલ, હર્ષદ રિબડીયા, ભગા બારડ, પૂર્ણેશ મોદી સહિત અનેક પક્ષપલટું કરનાર નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે આ વાતને ભાજપ પર કટાક્ષ કરતા મતદારોને જાગૃત કરવાની કોશિષ કરી છે.     




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.