Loksabha Electionને લઈ BJPએ આ આઠ નેતાઓને સોંપી જવાબદારી, જાણો કયા નેતાને ક્યાંની જવાબદારી સોંપાઈ?


  • Published By :
  • Published Date : 2024-01-03 11:48:02

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં જીત હાંસલ થાય તે માટે પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપે આઠ દિગ્ગજ નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે જેમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમિત ઠાકર, બાબુભાઈ જેબલીયા સહિતના નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી આપવામાં આવી છે. લોકસભામાં ગુજરાતની તમામ તમામે બેઠકો પર ભાજપનો કબજો થાય તે માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 

Bharatiya Janata Party (BJP) | History, Ideology, & Beliefs | Britannica

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ એક્ટિવ મોડમાં 

સી.આર.પાટીલે અનેક વખત પોતાના નિવેદનોમાં ભાજપ 26માંથી 26 બેઠકો જીતે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. ભાજપને લોકસભામાં સારા લીડથી જીત મળે તેવો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. થોડા મહિનાઓ બાદ ગમે ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત ભાજપ એક્ટિવ મોડમાં આવી ગયું છે. અલગ અલગ જિલ્લાઓની જવાબદારી પાર્ટીના દિગ્ગજ નેતાઓને સોંપવામાં આવી છે. 

Image

કોને ક્યાંની સોંપવામાં આવી જવાબદારી? 

પ્રદિપસિંહ જાડેજાને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. બનાસકાંઠા, કચ્છ, પાટણ જિલ્લાની જવાબદારી અમિત ઠાકરને સોંપવામાં આવી છે. બાબુભાઈ જેબલીયાને મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર તો કે.સી.પટેલને ગાંધીનગર તેમજ અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી છે. તે ઉપરાંત નરહરીભાઈ અમીનને આણંદ, ખેડા, પંચમહાલ,દાહોદની જવાબદારી સોંપાઈ છે. સુરત, નવસારી,બારડોલી તેમજ વલસાડની જવાબદારી જ્યોતિબેન પંડ્યાને સોંપવામાં આવી છે. ભૂપેન્દ્ર ચુડાસમાને જૂનાગઢ,અમરેલી, ભાવનગર તો આર.સી.ફળદુને જામનગર, પોરબંદર, રાજકોટની જવાબદારી સોંપવામાં આવી હતી.               



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.