Loksabha Electionને લઈ BJPએ આ આઠ નેતાઓને સોંપી જવાબદારી, જાણો કયા નેતાને ક્યાંની જવાબદારી સોંપાઈ?


  • Published By :
  • Published Date : 2024-01-03 11:48:02

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં જીત હાંસલ થાય તે માટે પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપે આઠ દિગ્ગજ નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે જેમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમિત ઠાકર, બાબુભાઈ જેબલીયા સહિતના નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી આપવામાં આવી છે. લોકસભામાં ગુજરાતની તમામ તમામે બેઠકો પર ભાજપનો કબજો થાય તે માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 

Bharatiya Janata Party (BJP) | History, Ideology, & Beliefs | Britannica

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ એક્ટિવ મોડમાં 

સી.આર.પાટીલે અનેક વખત પોતાના નિવેદનોમાં ભાજપ 26માંથી 26 બેઠકો જીતે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. ભાજપને લોકસભામાં સારા લીડથી જીત મળે તેવો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. થોડા મહિનાઓ બાદ ગમે ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત ભાજપ એક્ટિવ મોડમાં આવી ગયું છે. અલગ અલગ જિલ્લાઓની જવાબદારી પાર્ટીના દિગ્ગજ નેતાઓને સોંપવામાં આવી છે. 

Image

કોને ક્યાંની સોંપવામાં આવી જવાબદારી? 

પ્રદિપસિંહ જાડેજાને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. બનાસકાંઠા, કચ્છ, પાટણ જિલ્લાની જવાબદારી અમિત ઠાકરને સોંપવામાં આવી છે. બાબુભાઈ જેબલીયાને મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર તો કે.સી.પટેલને ગાંધીનગર તેમજ અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી છે. તે ઉપરાંત નરહરીભાઈ અમીનને આણંદ, ખેડા, પંચમહાલ,દાહોદની જવાબદારી સોંપાઈ છે. સુરત, નવસારી,બારડોલી તેમજ વલસાડની જવાબદારી જ્યોતિબેન પંડ્યાને સોંપવામાં આવી છે. ભૂપેન્દ્ર ચુડાસમાને જૂનાગઢ,અમરેલી, ભાવનગર તો આર.સી.ફળદુને જામનગર, પોરબંદર, રાજકોટની જવાબદારી સોંપવામાં આવી હતી.               



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.