Loksabha Electionને લઈ BJPએ આ આઠ નેતાઓને સોંપી જવાબદારી, જાણો કયા નેતાને ક્યાંની જવાબદારી સોંપાઈ?


  • Published By :
  • Published Date : 2024-01-03 11:48:02

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં જીત હાંસલ થાય તે માટે પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપે આઠ દિગ્ગજ નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે જેમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમિત ઠાકર, બાબુભાઈ જેબલીયા સહિતના નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી આપવામાં આવી છે. લોકસભામાં ગુજરાતની તમામ તમામે બેઠકો પર ભાજપનો કબજો થાય તે માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 

Bharatiya Janata Party (BJP) | History, Ideology, & Beliefs | Britannica

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ એક્ટિવ મોડમાં 

સી.આર.પાટીલે અનેક વખત પોતાના નિવેદનોમાં ભાજપ 26માંથી 26 બેઠકો જીતે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. ભાજપને લોકસભામાં સારા લીડથી જીત મળે તેવો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. થોડા મહિનાઓ બાદ ગમે ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત ભાજપ એક્ટિવ મોડમાં આવી ગયું છે. અલગ અલગ જિલ્લાઓની જવાબદારી પાર્ટીના દિગ્ગજ નેતાઓને સોંપવામાં આવી છે. 

Image

કોને ક્યાંની સોંપવામાં આવી જવાબદારી? 

પ્રદિપસિંહ જાડેજાને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. બનાસકાંઠા, કચ્છ, પાટણ જિલ્લાની જવાબદારી અમિત ઠાકરને સોંપવામાં આવી છે. બાબુભાઈ જેબલીયાને મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર તો કે.સી.પટેલને ગાંધીનગર તેમજ અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી છે. તે ઉપરાંત નરહરીભાઈ અમીનને આણંદ, ખેડા, પંચમહાલ,દાહોદની જવાબદારી સોંપાઈ છે. સુરત, નવસારી,બારડોલી તેમજ વલસાડની જવાબદારી જ્યોતિબેન પંડ્યાને સોંપવામાં આવી છે. ભૂપેન્દ્ર ચુડાસમાને જૂનાગઢ,અમરેલી, ભાવનગર તો આર.સી.ફળદુને જામનગર, પોરબંદર, રાજકોટની જવાબદારી સોંપવામાં આવી હતી.               



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે