ગુજરાતની 26 લોકસભા સીટો જીતવા ભાજપે ઘડી રણનીતિ! લોકો સુધી પહોંચવા ભાજપ ચલાવશે મહાજનસંપર્ક અભિયાન! પ્રભારીઓની કરાઈ નિમણૂંક!


  • Published By :
  • Published Date : 2023-05-17 10:53:44

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આપણે ભલે એવું માનતા હોઈએ કે લોકસભાની ચૂંટણીને એક વર્ષનો સમય બાકી છે પરંતુ રાજકીય પાર્ટીઓ આ સમયને ઓછો ગણતા હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેવું લાગી રહ્યું છે. આંતરિક સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના 33 જિલ્લાઓ અને 8 મહાનગર પાલિકાઓમાં પ્રભારીઓની નિમણૂંક કરી છે. ઉલ્લેખનિય છે કે ચૂંટણીને લઈ નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવતી હોય છે.

મહાસંપર્ક અભિયાનની ભાજપ કરશે શરૂઆત!

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થાય તે માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કમળ ખીલે તે માટે રણનીતિ ઘડવામાં આવી રહી છે. સંગઠનમાં અનેક ફેરફાર કરી સંગઠનને મજબૂત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વધારે ધ્યાન આપવામાં આવશે. આ મામલે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી જેમાં જણાવામાં આવ્યું હતું કે ભાજપની મૂળશક્તિ લોકસંપર્કમાં છે, તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સતત લોકોની વચ્ચે રહે છે અને ચૂંટણી આવે એટલે ફરી જનતા સમક્ષ જાય છે. 30મેથી મહાસંપર્ક અભિયાન ભાજપ દ્વારા શરૂ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી.


41 પ્રભારીઓની કરાઈ નિમણૂંક!

26 બેઠકો પર જીત હાંસલ કરવા ભાજપે પોતાના સંગઠનમાં ફેરફાર કર્યા છે. ચૂંટણી પહેલા રાજ્યના 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાં પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપે 41 પ્રભારીઓની નિમણૂંક કરી છે. ગાંધીનગર શહેર ભાજપના પ્રભારી તરીકે નૌકાબેન પ્રજાપતિની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે જિલ્લાના પ્રભારી તરીકે અશોક ચૌધરીની નિમણૂંક કરવામાં આવી છે.  સુરત શહેરની જવાબદારી શિતલબેન સોનીને સોંપવામાં આવી છે જ્યારે ભાવનગર શહેરની જવાબદારી ચંદ્રશેખર દવેને સોંપવામાં આવી છે. અમદાવાદમાં ઝવેરીભાઈ ઠકરારની નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે ભાજપ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં કોઈ કચાસ રાખવા નથી માગતી.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.