ગુજરાતની 26 લોકસભા સીટો જીતવા ભાજપે ઘડી રણનીતિ! લોકો સુધી પહોંચવા ભાજપ ચલાવશે મહાજનસંપર્ક અભિયાન! પ્રભારીઓની કરાઈ નિમણૂંક!


  • Published By :
  • Published Date : 2023-05-17 10:53:44

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આપણે ભલે એવું માનતા હોઈએ કે લોકસભાની ચૂંટણીને એક વર્ષનો સમય બાકી છે પરંતુ રાજકીય પાર્ટીઓ આ સમયને ઓછો ગણતા હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેવું લાગી રહ્યું છે. આંતરિક સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના 33 જિલ્લાઓ અને 8 મહાનગર પાલિકાઓમાં પ્રભારીઓની નિમણૂંક કરી છે. ઉલ્લેખનિય છે કે ચૂંટણીને લઈ નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવતી હોય છે.

મહાસંપર્ક અભિયાનની ભાજપ કરશે શરૂઆત!

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થાય તે માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કમળ ખીલે તે માટે રણનીતિ ઘડવામાં આવી રહી છે. સંગઠનમાં અનેક ફેરફાર કરી સંગઠનને મજબૂત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વધારે ધ્યાન આપવામાં આવશે. આ મામલે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી જેમાં જણાવામાં આવ્યું હતું કે ભાજપની મૂળશક્તિ લોકસંપર્કમાં છે, તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સતત લોકોની વચ્ચે રહે છે અને ચૂંટણી આવે એટલે ફરી જનતા સમક્ષ જાય છે. 30મેથી મહાસંપર્ક અભિયાન ભાજપ દ્વારા શરૂ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી.


41 પ્રભારીઓની કરાઈ નિમણૂંક!

26 બેઠકો પર જીત હાંસલ કરવા ભાજપે પોતાના સંગઠનમાં ફેરફાર કર્યા છે. ચૂંટણી પહેલા રાજ્યના 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાં પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપે 41 પ્રભારીઓની નિમણૂંક કરી છે. ગાંધીનગર શહેર ભાજપના પ્રભારી તરીકે નૌકાબેન પ્રજાપતિની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે જિલ્લાના પ્રભારી તરીકે અશોક ચૌધરીની નિમણૂંક કરવામાં આવી છે.  સુરત શહેરની જવાબદારી શિતલબેન સોનીને સોંપવામાં આવી છે જ્યારે ભાવનગર શહેરની જવાબદારી ચંદ્રશેખર દવેને સોંપવામાં આવી છે. અમદાવાદમાં ઝવેરીભાઈ ઠકરારની નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે ભાજપ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં કોઈ કચાસ રાખવા નથી માગતી.       



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?