2023માં યોજાનારી ત્રિપુરા વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે શરૂ કર્યું અભિયાન


  • Published By :
  • Published Date : 2022-11-27 10:54:40

ત્રિપુરામાં આવતા વર્ષે એટલે કે 2023માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અંગે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લઈ ભાજપે હર ઘર અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચાડવામાં આવશે. 

त्रिपुरा बीजेपी 27 नवंबर से 60 विधानसभा क्षेत्रों में घर घर चलो अभियान शुरू करेगी

ભાજપ દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોચાડાશે 

2023માં ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. હજી ચૂંટણીને વાર છે પરંતુ ભાજપ દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરી દેવામાં આવ્યો છે. પ્રચાર અભિયાન અંતર્ગત હર ઘર અભિયાનની શરૂઆત આજથી કરવામાં આવી છે. મુખ્યમંત્રી મનીક સાહાની અધ્યક્ષતામાં આ અભિયાન ચલાવવામાં આવશે જેમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામો જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ અભિયાનમાં મંત્રીઓ. MP, MLA ડોર ટુ ડોર પ્રચાર કરશે અને વધુમાં વધુ લોકો જોડો જનસંપર્ક બનાવાનો પ્રયત્ન કરવામાં આવશે. 

ત્રિપુરામાં ભાજપની થશે જીત 

ત્રિપુરામાં 60 બેઠકો માટે મતદાન થવાનું છે. ભાજપનો દાવો છે કે આ તમામ બેઠકો પર ભાજપનો વિજય થવાનો છે. આ અભિયાન ચલાવી સરકાર લોકોને સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવાની છે.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે