2023માં યોજાનારી ત્રિપુરા વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે શરૂ કર્યું અભિયાન


  • Published By :
  • Published Date : 2022-11-27 10:54:40

ત્રિપુરામાં આવતા વર્ષે એટલે કે 2023માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અંગે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લઈ ભાજપે હર ઘર અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચાડવામાં આવશે. 

त्रिपुरा बीजेपी 27 नवंबर से 60 विधानसभा क्षेत्रों में घर घर चलो अभियान शुरू करेगी

ભાજપ દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોચાડાશે 

2023માં ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. હજી ચૂંટણીને વાર છે પરંતુ ભાજપ દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરી દેવામાં આવ્યો છે. પ્રચાર અભિયાન અંતર્ગત હર ઘર અભિયાનની શરૂઆત આજથી કરવામાં આવી છે. મુખ્યમંત્રી મનીક સાહાની અધ્યક્ષતામાં આ અભિયાન ચલાવવામાં આવશે જેમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામો જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ અભિયાનમાં મંત્રીઓ. MP, MLA ડોર ટુ ડોર પ્રચાર કરશે અને વધુમાં વધુ લોકો જોડો જનસંપર્ક બનાવાનો પ્રયત્ન કરવામાં આવશે. 

ત્રિપુરામાં ભાજપની થશે જીત 

ત્રિપુરામાં 60 બેઠકો માટે મતદાન થવાનું છે. ભાજપનો દાવો છે કે આ તમામ બેઠકો પર ભાજપનો વિજય થવાનો છે. આ અભિયાન ચલાવી સરકાર લોકોને સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવાની છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.