2023માં યોજાનારી ત્રિપુરા વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે શરૂ કર્યું અભિયાન


  • Published By :
  • Published Date : 2022-11-27 10:54:40

ત્રિપુરામાં આવતા વર્ષે એટલે કે 2023માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અંગે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લઈ ભાજપે હર ઘર અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચાડવામાં આવશે. 

त्रिपुरा बीजेपी 27 नवंबर से 60 विधानसभा क्षेत्रों में घर घर चलो अभियान शुरू करेगी

ભાજપ દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોચાડાશે 

2023માં ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. હજી ચૂંટણીને વાર છે પરંતુ ભાજપ દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરી દેવામાં આવ્યો છે. પ્રચાર અભિયાન અંતર્ગત હર ઘર અભિયાનની શરૂઆત આજથી કરવામાં આવી છે. મુખ્યમંત્રી મનીક સાહાની અધ્યક્ષતામાં આ અભિયાન ચલાવવામાં આવશે જેમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામો જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ અભિયાનમાં મંત્રીઓ. MP, MLA ડોર ટુ ડોર પ્રચાર કરશે અને વધુમાં વધુ લોકો જોડો જનસંપર્ક બનાવાનો પ્રયત્ન કરવામાં આવશે. 

ત્રિપુરામાં ભાજપની થશે જીત 

ત્રિપુરામાં 60 બેઠકો માટે મતદાન થવાનું છે. ભાજપનો દાવો છે કે આ તમામ બેઠકો પર ભાજપનો વિજય થવાનો છે. આ અભિયાન ચલાવી સરકાર લોકોને સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવાની છે.  




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.