2023માં યોજાનારી ત્રિપુરા વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે શરૂ કર્યું અભિયાન


  • Published By :
  • Published Date : 2022-11-27 10:54:40

ત્રિપુરામાં આવતા વર્ષે એટલે કે 2023માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અંગે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લઈ ભાજપે હર ઘર અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચાડવામાં આવશે. 

त्रिपुरा बीजेपी 27 नवंबर से 60 विधानसभा क्षेत्रों में घर घर चलो अभियान शुरू करेगी

ભાજપ દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોચાડાશે 

2023માં ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. હજી ચૂંટણીને વાર છે પરંતુ ભાજપ દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરી દેવામાં આવ્યો છે. પ્રચાર અભિયાન અંતર્ગત હર ઘર અભિયાનની શરૂઆત આજથી કરવામાં આવી છે. મુખ્યમંત્રી મનીક સાહાની અધ્યક્ષતામાં આ અભિયાન ચલાવવામાં આવશે જેમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામો જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ અભિયાનમાં મંત્રીઓ. MP, MLA ડોર ટુ ડોર પ્રચાર કરશે અને વધુમાં વધુ લોકો જોડો જનસંપર્ક બનાવાનો પ્રયત્ન કરવામાં આવશે. 

ત્રિપુરામાં ભાજપની થશે જીત 

ત્રિપુરામાં 60 બેઠકો માટે મતદાન થવાનું છે. ભાજપનો દાવો છે કે આ તમામ બેઠકો પર ભાજપનો વિજય થવાનો છે. આ અભિયાન ચલાવી સરકાર લોકોને સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવાની છે.  




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.