મહિસાગર ભાજપમાં વિખવાદ સામે આવ્યો, પાર્ટીના જ સ્થાનિક નેતાઓ MLA કુબેર ડીંડોરથી નારાજ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 14:21:26


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓમાં અસંતોષ અને રોષ સામે આવી રહ્યો છે. ભાજપમાં તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. વર્તમાન ધારાસભ્યોની સામે સ્થાનિક મતદારોમાં તો ઠીક પણ ભાજપના કાર્યકરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર ભાજપમાં આંતરિક જૂથવાદ બહાર આવ્યો છે. જેમાં રાજ્યકક્ષાના મંત્રી અને સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડીંડોર સામે રોષ વ્યકત કરતો વીડિયો થયો વાયરલ થયો છે.


મહિસાગર ભાજપમાં આંતરિક વિખવાદ વધ્યો


ટિકિટ મુદ્દે ભાજપમાં જૂથવાદ સામે આવી રહ્યો છે. કડાણા અને સંતરામપુરના આગેવાનોમાં ધારાસભ્યો સામે નારાજગી જોવા મળી રહી છે. કડાણા તાલુકા પંચાયત ભાજપ પૂર્વ પ્રમુખ અને અન્ય સામાજિક આગેવાનો દ્વારા ધારાસભ્ય કુબેર ડીંડોર કુબેર ડીંડોરના વિરોધ કરવામાં આવ્યો હતો. એક વીડિયો હાલ સામે આવ્યો છે જેમા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન તેમજ કડાણાના ભાજપના કદાવર નેતા વાઘા કાળુ ડામોર વિરોધ કરતા જોવા મળ્યા હતા.


વાયરલ વીડિયોમાં શું વિરોધ જોવા મળ્યો?


સ્થાનિક અગ્રણીઓ અને ભાજપના નેતાઓ ધારાસભ્યનો વિરોધ કરતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે, તેઓ કહેતા જોવા મળી છે કે ધારાસભ્ય આપણા સમાજના હોવા છતાં સમાજના છોકરાઓ માટે કોઈ કામ નથી કર્યું. વિકાસ કર્યો આપણી સરકારે અને જશ લે છે રાજયકક્ષાના મંત્રી એવા સંતરામપુરના ધારાસભ્ય. વીડિયોમાં દેખાય છે કે, ધરણાં કાર્યક્રમમાં એકત્રિત થયેલા લોકો સમાજના લોકોને સોગંદ લેવાનું કહી રહ્યા છે કે બીજો કોઇપણ ઉમેદવાર ચાલશે પણ આ ધારાસભ્ય ના જોઇએ. તેમણે સમાજ માટે કોઈ કામ નથી કર્યું, ફક્ત સાયરન વાગતી ગાડીમાં ફરવું એ જ એમનું કામ છે. સાયરન વગાડતી ગાડીમાં આપણા લીધે ફરવા મળે છે. આપણે મત આપ્યા ત્યારે મંત્રી બન્યા. હવે સમાજની ફિકર નથી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.