મહિસાગર ભાજપમાં વિખવાદ સામે આવ્યો, પાર્ટીના જ સ્થાનિક નેતાઓ MLA કુબેર ડીંડોરથી નારાજ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 14:21:26


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓમાં અસંતોષ અને રોષ સામે આવી રહ્યો છે. ભાજપમાં તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. વર્તમાન ધારાસભ્યોની સામે સ્થાનિક મતદારોમાં તો ઠીક પણ ભાજપના કાર્યકરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર ભાજપમાં આંતરિક જૂથવાદ બહાર આવ્યો છે. જેમાં રાજ્યકક્ષાના મંત્રી અને સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડીંડોર સામે રોષ વ્યકત કરતો વીડિયો થયો વાયરલ થયો છે.


મહિસાગર ભાજપમાં આંતરિક વિખવાદ વધ્યો


ટિકિટ મુદ્દે ભાજપમાં જૂથવાદ સામે આવી રહ્યો છે. કડાણા અને સંતરામપુરના આગેવાનોમાં ધારાસભ્યો સામે નારાજગી જોવા મળી રહી છે. કડાણા તાલુકા પંચાયત ભાજપ પૂર્વ પ્રમુખ અને અન્ય સામાજિક આગેવાનો દ્વારા ધારાસભ્ય કુબેર ડીંડોર કુબેર ડીંડોરના વિરોધ કરવામાં આવ્યો હતો. એક વીડિયો હાલ સામે આવ્યો છે જેમા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન તેમજ કડાણાના ભાજપના કદાવર નેતા વાઘા કાળુ ડામોર વિરોધ કરતા જોવા મળ્યા હતા.


વાયરલ વીડિયોમાં શું વિરોધ જોવા મળ્યો?


સ્થાનિક અગ્રણીઓ અને ભાજપના નેતાઓ ધારાસભ્યનો વિરોધ કરતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે, તેઓ કહેતા જોવા મળી છે કે ધારાસભ્ય આપણા સમાજના હોવા છતાં સમાજના છોકરાઓ માટે કોઈ કામ નથી કર્યું. વિકાસ કર્યો આપણી સરકારે અને જશ લે છે રાજયકક્ષાના મંત્રી એવા સંતરામપુરના ધારાસભ્ય. વીડિયોમાં દેખાય છે કે, ધરણાં કાર્યક્રમમાં એકત્રિત થયેલા લોકો સમાજના લોકોને સોગંદ લેવાનું કહી રહ્યા છે કે બીજો કોઇપણ ઉમેદવાર ચાલશે પણ આ ધારાસભ્ય ના જોઇએ. તેમણે સમાજ માટે કોઈ કામ નથી કર્યું, ફક્ત સાયરન વાગતી ગાડીમાં ફરવું એ જ એમનું કામ છે. સાયરન વગાડતી ગાડીમાં આપણા લીધે ફરવા મળે છે. આપણે મત આપ્યા ત્યારે મંત્રી બન્યા. હવે સમાજની ફિકર નથી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.