મહિસાગર ભાજપમાં વિખવાદ સામે આવ્યો, પાર્ટીના જ સ્થાનિક નેતાઓ MLA કુબેર ડીંડોરથી નારાજ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 14:21:26


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓમાં અસંતોષ અને રોષ સામે આવી રહ્યો છે. ભાજપમાં તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. વર્તમાન ધારાસભ્યોની સામે સ્થાનિક મતદારોમાં તો ઠીક પણ ભાજપના કાર્યકરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર ભાજપમાં આંતરિક જૂથવાદ બહાર આવ્યો છે. જેમાં રાજ્યકક્ષાના મંત્રી અને સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડીંડોર સામે રોષ વ્યકત કરતો વીડિયો થયો વાયરલ થયો છે.


મહિસાગર ભાજપમાં આંતરિક વિખવાદ વધ્યો


ટિકિટ મુદ્દે ભાજપમાં જૂથવાદ સામે આવી રહ્યો છે. કડાણા અને સંતરામપુરના આગેવાનોમાં ધારાસભ્યો સામે નારાજગી જોવા મળી રહી છે. કડાણા તાલુકા પંચાયત ભાજપ પૂર્વ પ્રમુખ અને અન્ય સામાજિક આગેવાનો દ્વારા ધારાસભ્ય કુબેર ડીંડોર કુબેર ડીંડોરના વિરોધ કરવામાં આવ્યો હતો. એક વીડિયો હાલ સામે આવ્યો છે જેમા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન તેમજ કડાણાના ભાજપના કદાવર નેતા વાઘા કાળુ ડામોર વિરોધ કરતા જોવા મળ્યા હતા.


વાયરલ વીડિયોમાં શું વિરોધ જોવા મળ્યો?


સ્થાનિક અગ્રણીઓ અને ભાજપના નેતાઓ ધારાસભ્યનો વિરોધ કરતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે, તેઓ કહેતા જોવા મળી છે કે ધારાસભ્ય આપણા સમાજના હોવા છતાં સમાજના છોકરાઓ માટે કોઈ કામ નથી કર્યું. વિકાસ કર્યો આપણી સરકારે અને જશ લે છે રાજયકક્ષાના મંત્રી એવા સંતરામપુરના ધારાસભ્ય. વીડિયોમાં દેખાય છે કે, ધરણાં કાર્યક્રમમાં એકત્રિત થયેલા લોકો સમાજના લોકોને સોગંદ લેવાનું કહી રહ્યા છે કે બીજો કોઇપણ ઉમેદવાર ચાલશે પણ આ ધારાસભ્ય ના જોઇએ. તેમણે સમાજ માટે કોઈ કામ નથી કર્યું, ફક્ત સાયરન વાગતી ગાડીમાં ફરવું એ જ એમનું કામ છે. સાયરન વગાડતી ગાડીમાં આપણા લીધે ફરવા મળે છે. આપણે મત આપ્યા ત્યારે મંત્રી બન્યા. હવે સમાજની ફિકર નથી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.