દિલ્હીમાં ભાજપના નેતાનો સીન થઈ ગયો, આપવાળાએ જીદ્દ કરી કે આવ્યા છો તો સ્કૂલ જોઈને જાવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 19:29:15

આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની રાજકીય લડાઈ હવે સ્કૂલ સુધી પહોંચી ગઈ છે. બંને પાર્ટીઓના નેતાઓ વચ્ચે સતત તૂ-તૂ મેં-મેં થઈ રહી છે. આજે ભાજપના નેતા ગૌરવ ભાટીયા અને સૌરભ ભારદ્વાજ વચ્ચે બબાલ થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટીના 500 સ્કૂલ બનાવવાના દાવાની તપાસ કરવા માટે ગૌરવ ભાટીયા સવારે 11 વાગ્યે કૌટિલ્ય વિદ્યાલય પહોંચ્યા હતા. જો કે અહીં પહેલાથી જ હાજર સૌરભ ભારદ્વાજ સાથે તેમનું વાકયુધ્ધ થઈ ગયું.  


સૌરભ અને ગૌરવ વચ્ચે વાકયુધ્ધ


કૌટિલ્ય સ્કૂલ જોવા આવેલા ગૌરવ ભાટીયાને સૌરભ ભારદ્વાજે વારંવાર આગ્રહ કરવા છતાં તેમણે સ્કૂલમાં આવવાનું ટાળ્યું હતું. સૌરભ ભારદ્વાજે આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ સૌશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. ગૌરવ ભાટીયાએ આરોપ લગાવ્યો કે તેમને સ્કૂલનું લિસ્ટ આપવાનું હતું પણ તેમણે તે આપ્યું નહીં.


ગૌરવે સૌરભને  ફેંક્યો હતો પડકાર


ગઈકાલે એક ટીવી ચેનલ પર ચર્ચા દરમિયાન ગૌરવ ભાટિયાએ સૌરભ ભારદ્વાજને પડકાર ફેંક્યો હતો કે આવતીકાલે તે 11 વાગે સૌરભ જ્યાં કહે ત્યાં પહોંચી જઈશ અને 500 શાળાઓનું નિરીક્ષણ કરીશ. ત્યાર બાદ અમે અહીં સંપૂર્ણ રિપોર્ટ આપીશું. સૌરભે કહ્યું કે કાલે તમે આવી જોઓ.



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.