દિલ્હીમાં ભાજપના નેતાનો સીન થઈ ગયો, આપવાળાએ જીદ્દ કરી કે આવ્યા છો તો સ્કૂલ જોઈને જાવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 19:29:15

આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની રાજકીય લડાઈ હવે સ્કૂલ સુધી પહોંચી ગઈ છે. બંને પાર્ટીઓના નેતાઓ વચ્ચે સતત તૂ-તૂ મેં-મેં થઈ રહી છે. આજે ભાજપના નેતા ગૌરવ ભાટીયા અને સૌરભ ભારદ્વાજ વચ્ચે બબાલ થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટીના 500 સ્કૂલ બનાવવાના દાવાની તપાસ કરવા માટે ગૌરવ ભાટીયા સવારે 11 વાગ્યે કૌટિલ્ય વિદ્યાલય પહોંચ્યા હતા. જો કે અહીં પહેલાથી જ હાજર સૌરભ ભારદ્વાજ સાથે તેમનું વાકયુધ્ધ થઈ ગયું.  


સૌરભ અને ગૌરવ વચ્ચે વાકયુધ્ધ


કૌટિલ્ય સ્કૂલ જોવા આવેલા ગૌરવ ભાટીયાને સૌરભ ભારદ્વાજે વારંવાર આગ્રહ કરવા છતાં તેમણે સ્કૂલમાં આવવાનું ટાળ્યું હતું. સૌરભ ભારદ્વાજે આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ સૌશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. ગૌરવ ભાટીયાએ આરોપ લગાવ્યો કે તેમને સ્કૂલનું લિસ્ટ આપવાનું હતું પણ તેમણે તે આપ્યું નહીં.


ગૌરવે સૌરભને  ફેંક્યો હતો પડકાર


ગઈકાલે એક ટીવી ચેનલ પર ચર્ચા દરમિયાન ગૌરવ ભાટિયાએ સૌરભ ભારદ્વાજને પડકાર ફેંક્યો હતો કે આવતીકાલે તે 11 વાગે સૌરભ જ્યાં કહે ત્યાં પહોંચી જઈશ અને 500 શાળાઓનું નિરીક્ષણ કરીશ. ત્યાર બાદ અમે અહીં સંપૂર્ણ રિપોર્ટ આપીશું. સૌરભે કહ્યું કે કાલે તમે આવી જોઓ.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.