દિલ્હીમાં ભાજપના નેતાનો સીન થઈ ગયો, આપવાળાએ જીદ્દ કરી કે આવ્યા છો તો સ્કૂલ જોઈને જાવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 19:29:15

આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની રાજકીય લડાઈ હવે સ્કૂલ સુધી પહોંચી ગઈ છે. બંને પાર્ટીઓના નેતાઓ વચ્ચે સતત તૂ-તૂ મેં-મેં થઈ રહી છે. આજે ભાજપના નેતા ગૌરવ ભાટીયા અને સૌરભ ભારદ્વાજ વચ્ચે બબાલ થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટીના 500 સ્કૂલ બનાવવાના દાવાની તપાસ કરવા માટે ગૌરવ ભાટીયા સવારે 11 વાગ્યે કૌટિલ્ય વિદ્યાલય પહોંચ્યા હતા. જો કે અહીં પહેલાથી જ હાજર સૌરભ ભારદ્વાજ સાથે તેમનું વાકયુધ્ધ થઈ ગયું.  


સૌરભ અને ગૌરવ વચ્ચે વાકયુધ્ધ


કૌટિલ્ય સ્કૂલ જોવા આવેલા ગૌરવ ભાટીયાને સૌરભ ભારદ્વાજે વારંવાર આગ્રહ કરવા છતાં તેમણે સ્કૂલમાં આવવાનું ટાળ્યું હતું. સૌરભ ભારદ્વાજે આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ સૌશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. ગૌરવ ભાટીયાએ આરોપ લગાવ્યો કે તેમને સ્કૂલનું લિસ્ટ આપવાનું હતું પણ તેમણે તે આપ્યું નહીં.


ગૌરવે સૌરભને  ફેંક્યો હતો પડકાર


ગઈકાલે એક ટીવી ચેનલ પર ચર્ચા દરમિયાન ગૌરવ ભાટિયાએ સૌરભ ભારદ્વાજને પડકાર ફેંક્યો હતો કે આવતીકાલે તે 11 વાગે સૌરભ જ્યાં કહે ત્યાં પહોંચી જઈશ અને 500 શાળાઓનું નિરીક્ષણ કરીશ. ત્યાર બાદ અમે અહીં સંપૂર્ણ રિપોર્ટ આપીશું. સૌરભે કહ્યું કે કાલે તમે આવી જોઓ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.