ચૂંટણી ટાણે જ ભાજપને ઝટકો, પૂર્વ સુરત શહેર ઉપપ્રમુખ PVS શર્માએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-08 20:49:04

વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકારણમાં પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોએ એકબીજાના નેતાઓ અને કાર્યકરોને આવકારવા માટે લાલજાજમ બિછાવી છે. વિધાનસભાની ટિકિટ ન મળતા નારાજ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. સુરતમાં ભાજપના અગ્રણી નેતા અને ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ PVS શર્માએ રાજીનામું આપતા ભાજપને જોરદાર ઝટકો લાગ્યો છે. પૂર્વ ઈન્કમટેક્સ અધિકારી PVS શર્માએ ભાજપમાંથી તમામ પદેથી રાજીનામુ આપી દીધું છે. નવેમ્બર 2020માં તેમના પર પડેલી ઈન્કમટેક્સની રેડ બાદ ફરિયાદ નોંધાતા ચર્ચામાં આવ્યા હતા. PVS શર્માના ઘરે ઈન્કમ ટેક્સના દરોડા પડ્યા ત્યારથી તેઓ પાર્ટીથી નારાજ હતા.


PVS શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાશે?


પીવીએસ શર્મા ભાજપથી છેલ્લા દોઢ બે વર્ષથી અળગા રહેતા હતા. PVS શર્માએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે પોતાનું રાજીનામું  આપી દીધું છે. તેમના રાજીનામાથી શહેર ભાજપનું રાજકારણ ગરમાયું છે. PVS શર્મા સીઆર પાટીલના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. તેઓ શહેર ભાજપના સંગઠનમાં અલગ અલગ હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. PVS શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. બે દિવસમાં જ તે આમ આદમી પાર્ટીની કંઠી પહેરીને ઉધના બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી પણ નોંધાવી શકે છે. PVS શર્મા પરપ્રાંતિય સમુદાય પર સારૂ પ્રભુત્વ ધરાવે છે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.