ચૂંટણી ટાણે જ ભાજપને ઝટકો, પૂર્વ સુરત શહેર ઉપપ્રમુખ PVS શર્માએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-08 20:49:04

વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકારણમાં પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોએ એકબીજાના નેતાઓ અને કાર્યકરોને આવકારવા માટે લાલજાજમ બિછાવી છે. વિધાનસભાની ટિકિટ ન મળતા નારાજ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. સુરતમાં ભાજપના અગ્રણી નેતા અને ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ PVS શર્માએ રાજીનામું આપતા ભાજપને જોરદાર ઝટકો લાગ્યો છે. પૂર્વ ઈન્કમટેક્સ અધિકારી PVS શર્માએ ભાજપમાંથી તમામ પદેથી રાજીનામુ આપી દીધું છે. નવેમ્બર 2020માં તેમના પર પડેલી ઈન્કમટેક્સની રેડ બાદ ફરિયાદ નોંધાતા ચર્ચામાં આવ્યા હતા. PVS શર્માના ઘરે ઈન્કમ ટેક્સના દરોડા પડ્યા ત્યારથી તેઓ પાર્ટીથી નારાજ હતા.


PVS શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાશે?


પીવીએસ શર્મા ભાજપથી છેલ્લા દોઢ બે વર્ષથી અળગા રહેતા હતા. PVS શર્માએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે પોતાનું રાજીનામું  આપી દીધું છે. તેમના રાજીનામાથી શહેર ભાજપનું રાજકારણ ગરમાયું છે. PVS શર્મા સીઆર પાટીલના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. તેઓ શહેર ભાજપના સંગઠનમાં અલગ અલગ હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. PVS શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. બે દિવસમાં જ તે આમ આદમી પાર્ટીની કંઠી પહેરીને ઉધના બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી પણ નોંધાવી શકે છે. PVS શર્મા પરપ્રાંતિય સમુદાય પર સારૂ પ્રભુત્વ ધરાવે છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.