RTIનો ઉપયોગ કરી ભાજપના નેતાએ આપ પર નિશાન સાધ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 10:55:09

ગુજરાતમાં ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ અન્ય પોલીટીક્લ પાર્ટી પર આક્ષેપ લગાવી પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહી છે. 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ચૂંટણી લડવાની છે. પોતાના મુદ્દાઓમાં આમ આદમી પાર્ટીએ શિક્ષણને વધારે પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે આપ પર નિશાન સાધતા યજ્ઞેશ દવેએ RTI કરી હતી. જેમાં તેમણે અરવિંદ કેજરીવાલ પર આક્ષેપ લગાડયા હતા.

Delhi: Both Mlas Of Aap Joined Bjp Can Turn - भाजपा में शामिल आप के दोनों  विधायक पलट सकते हैं पाला, ये है वजह - Amar Ujala Hindi News Live


ભાજપ અને આપ વચ્ચે ચાલતું ટ્વિટર યુદ્ધ

ભાજપ અને આપ વચ્ચે અનેક વખત ટ્વિટર યુદ્ધ ચાલતું રહે છે.  એક બીજા પર પ્રહાર કરવાનો એક પણ મોકો છોડવામાં નથી આવી રહ્યો. ત્યારે ફરી એક વાર ટ્વિટરના માધ્યમથી ભાજપે આપ પર પ્રહાર કર્યા છે. ભાજપના નેતા યજ્ઞેશ દવેએ ટ્વિટ કરી દિલ્હી મોડલને લઈ પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે 2015થી 2022 સુધીમાં રેવડીલાલે એક પણ શાળાની વિઝીટ નથી કરી. કોઈ પણ વિદ્યાર્થીઓ સાથે વાત નથી કરી કે કોઈ પણ શિક્ષક સાથે સંવાદ નથી કર્યા કોઈપણ શાળાને ગ્રાન્ટ પણ ફાળવી નથી અને ગુજરાતમાં આવી હળહળતું જુઠ્ઠું બોલે છે.


આમ આદમી પાર્ટીને ઘેરવાનો પ્રયત્ન 

ગુજરાતમાં અનેક વખત કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલે જનતાને વિવિધ વચનો આપ્યા છે. અને કયા મુદ્દાઓ પર ચૂંટણી લડવાના છે તે પણ જાહેર કર્યું છે. જેમાં શિક્ષણ પર વધારે ધ્યાન આપવાની વાત કરી છે. આપે ગુજરાત શિક્ષણને લઈ અનેક વખત ભાજપ પર પ્રહાર કર્યા છે. દિલ્હી મોડલ બતાવી ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભાજપે RTI કરી આમ આદમી પાર્ટીને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. આ અગાઉ પણ RTI કરી યજ્ઞેશ પટેલે આપ પર પ્રહાર કર્યો છે.     



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.