RTIનો ઉપયોગ કરી ભાજપના નેતાએ આપ પર નિશાન સાધ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 10:55:09

ગુજરાતમાં ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ અન્ય પોલીટીક્લ પાર્ટી પર આક્ષેપ લગાવી પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહી છે. 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ચૂંટણી લડવાની છે. પોતાના મુદ્દાઓમાં આમ આદમી પાર્ટીએ શિક્ષણને વધારે પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે આપ પર નિશાન સાધતા યજ્ઞેશ દવેએ RTI કરી હતી. જેમાં તેમણે અરવિંદ કેજરીવાલ પર આક્ષેપ લગાડયા હતા.

Delhi: Both Mlas Of Aap Joined Bjp Can Turn - भाजपा में शामिल आप के दोनों  विधायक पलट सकते हैं पाला, ये है वजह - Amar Ujala Hindi News Live


ભાજપ અને આપ વચ્ચે ચાલતું ટ્વિટર યુદ્ધ

ભાજપ અને આપ વચ્ચે અનેક વખત ટ્વિટર યુદ્ધ ચાલતું રહે છે.  એક બીજા પર પ્રહાર કરવાનો એક પણ મોકો છોડવામાં નથી આવી રહ્યો. ત્યારે ફરી એક વાર ટ્વિટરના માધ્યમથી ભાજપે આપ પર પ્રહાર કર્યા છે. ભાજપના નેતા યજ્ઞેશ દવેએ ટ્વિટ કરી દિલ્હી મોડલને લઈ પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે 2015થી 2022 સુધીમાં રેવડીલાલે એક પણ શાળાની વિઝીટ નથી કરી. કોઈ પણ વિદ્યાર્થીઓ સાથે વાત નથી કરી કે કોઈ પણ શિક્ષક સાથે સંવાદ નથી કર્યા કોઈપણ શાળાને ગ્રાન્ટ પણ ફાળવી નથી અને ગુજરાતમાં આવી હળહળતું જુઠ્ઠું બોલે છે.


આમ આદમી પાર્ટીને ઘેરવાનો પ્રયત્ન 

ગુજરાતમાં અનેક વખત કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલે જનતાને વિવિધ વચનો આપ્યા છે. અને કયા મુદ્દાઓ પર ચૂંટણી લડવાના છે તે પણ જાહેર કર્યું છે. જેમાં શિક્ષણ પર વધારે ધ્યાન આપવાની વાત કરી છે. આપે ગુજરાત શિક્ષણને લઈ અનેક વખત ભાજપ પર પ્રહાર કર્યા છે. દિલ્હી મોડલ બતાવી ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભાજપે RTI કરી આમ આદમી પાર્ટીને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. આ અગાઉ પણ RTI કરી યજ્ઞેશ પટેલે આપ પર પ્રહાર કર્યો છે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.