વિરમગામ સીટને લઈ ભાજપમાં ડખો, વરૂણ પટેલે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2022-11-02 13:03:13

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટી નેતાઓ અને કાર્યકરો ટિકિટ માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. રાજયની વિરમગામ વિધાનસભાની સીટ પર સૌની નજર છે, કોંગ્રેસનો ગઢ મનાતી આ સીટ પર હાર્દિક પટેલે દાવેદારી નોંધાવી છે. જો કે હવે ભાજપના જ એક અન્ય નેતા વરૂણ પટેલે પણ આ બેઠક માટે ચૂંટણી લડવા તલપાપડ બન્યા છે. તે ઉપરાંત આ અન્ય દાવેદારો પણ છે.


વરૂણ પટેલે ટિકિટ માટે અમિત શાહ સાથે મુલાકાત કરી


વિરમગામ વિધાનસભા સીટ માટે ભાજપમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. વરુણ પટેલ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ મુલાકાતથી હાર્દિક પટેલ કેમ્પને આંચકો લાગ્યો છે, વરૂણ પટેલ પણ ભાજપના આશાસ્પદ યુવા નેતા છે અને પાટીદાર આંદોલન વખતે તે ભાજપનો પાટીદાર ચહેરો બનીને ઉભર્યા હતા. જો કે એટલું તો ચોક્કસ છે વરૂણ પટેલની અમિત શાહ સાથેની મુલાકાતથી રાજકારણ ગરમાયું છે.


વિરમગામની બેઠક માટે 15 ઉમેદવારો


વિરમગામ સીટ પર ભાજપના જે નેતાઓ દાવો કરી રહ્યા છે, તેમાં હાર્દિક પટેલ, વરૂણ પટેલ અને પૂર્વ ધારાસભ્ય તેજશ્રી બેન પટેલ સહિત કુલ 15 દાવેદારો છે. વિરમગામની બેઠક પરથી હાર્દિક પટેલ જ પ્રબળ દાવેદાર ગણાય છે, અત્રે ઉલ્લેખનિય છે કે  હાર્દિક  પટેલે પણ ટિકિટ માટે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. હવે જ્યારે  ત્યારે વરુણ પટેલની આ મુલાકાત બાદ શું હાર્દિક પટેલનું પત્તું કપાશે કે પછી પાર્ટી તેમને ટિકિટ આપશે તેના પર સૌની નજર રહેશે. આમ પણ વિરમગામ વિધાનસભા પર કોંગ્રેસનો કબજો છે, 2017માં ભાજપે પક્ષપલટું ઉમેદવાર તેજશ્રી બેનને મેદાનમાં ઉતાર્યા હતા જો કે  તેમનો કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ સામે કારમો પરાજય થયો હતો.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.