વિરમગામ સીટને લઈ ભાજપમાં ડખો, વરૂણ પટેલે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2022-11-02 13:03:13

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટી નેતાઓ અને કાર્યકરો ટિકિટ માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. રાજયની વિરમગામ વિધાનસભાની સીટ પર સૌની નજર છે, કોંગ્રેસનો ગઢ મનાતી આ સીટ પર હાર્દિક પટેલે દાવેદારી નોંધાવી છે. જો કે હવે ભાજપના જ એક અન્ય નેતા વરૂણ પટેલે પણ આ બેઠક માટે ચૂંટણી લડવા તલપાપડ બન્યા છે. તે ઉપરાંત આ અન્ય દાવેદારો પણ છે.


વરૂણ પટેલે ટિકિટ માટે અમિત શાહ સાથે મુલાકાત કરી


વિરમગામ વિધાનસભા સીટ માટે ભાજપમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. વરુણ પટેલ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ મુલાકાતથી હાર્દિક પટેલ કેમ્પને આંચકો લાગ્યો છે, વરૂણ પટેલ પણ ભાજપના આશાસ્પદ યુવા નેતા છે અને પાટીદાર આંદોલન વખતે તે ભાજપનો પાટીદાર ચહેરો બનીને ઉભર્યા હતા. જો કે એટલું તો ચોક્કસ છે વરૂણ પટેલની અમિત શાહ સાથેની મુલાકાતથી રાજકારણ ગરમાયું છે.


વિરમગામની બેઠક માટે 15 ઉમેદવારો


વિરમગામ સીટ પર ભાજપના જે નેતાઓ દાવો કરી રહ્યા છે, તેમાં હાર્દિક પટેલ, વરૂણ પટેલ અને પૂર્વ ધારાસભ્ય તેજશ્રી બેન પટેલ સહિત કુલ 15 દાવેદારો છે. વિરમગામની બેઠક પરથી હાર્દિક પટેલ જ પ્રબળ દાવેદાર ગણાય છે, અત્રે ઉલ્લેખનિય છે કે  હાર્દિક  પટેલે પણ ટિકિટ માટે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. હવે જ્યારે  ત્યારે વરુણ પટેલની આ મુલાકાત બાદ શું હાર્દિક પટેલનું પત્તું કપાશે કે પછી પાર્ટી તેમને ટિકિટ આપશે તેના પર સૌની નજર રહેશે. આમ પણ વિરમગામ વિધાનસભા પર કોંગ્રેસનો કબજો છે, 2017માં ભાજપે પક્ષપલટું ઉમેદવાર તેજશ્રી બેનને મેદાનમાં ઉતાર્યા હતા જો કે  તેમનો કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ સામે કારમો પરાજય થયો હતો.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.