વિરમગામ સીટને લઈ ભાજપમાં ડખો, વરૂણ પટેલે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2022-11-02 13:03:13

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટી નેતાઓ અને કાર્યકરો ટિકિટ માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. રાજયની વિરમગામ વિધાનસભાની સીટ પર સૌની નજર છે, કોંગ્રેસનો ગઢ મનાતી આ સીટ પર હાર્દિક પટેલે દાવેદારી નોંધાવી છે. જો કે હવે ભાજપના જ એક અન્ય નેતા વરૂણ પટેલે પણ આ બેઠક માટે ચૂંટણી લડવા તલપાપડ બન્યા છે. તે ઉપરાંત આ અન્ય દાવેદારો પણ છે.


વરૂણ પટેલે ટિકિટ માટે અમિત શાહ સાથે મુલાકાત કરી


વિરમગામ વિધાનસભા સીટ માટે ભાજપમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. વરુણ પટેલ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ મુલાકાતથી હાર્દિક પટેલ કેમ્પને આંચકો લાગ્યો છે, વરૂણ પટેલ પણ ભાજપના આશાસ્પદ યુવા નેતા છે અને પાટીદાર આંદોલન વખતે તે ભાજપનો પાટીદાર ચહેરો બનીને ઉભર્યા હતા. જો કે એટલું તો ચોક્કસ છે વરૂણ પટેલની અમિત શાહ સાથેની મુલાકાતથી રાજકારણ ગરમાયું છે.


વિરમગામની બેઠક માટે 15 ઉમેદવારો


વિરમગામ સીટ પર ભાજપના જે નેતાઓ દાવો કરી રહ્યા છે, તેમાં હાર્દિક પટેલ, વરૂણ પટેલ અને પૂર્વ ધારાસભ્ય તેજશ્રી બેન પટેલ સહિત કુલ 15 દાવેદારો છે. વિરમગામની બેઠક પરથી હાર્દિક પટેલ જ પ્રબળ દાવેદાર ગણાય છે, અત્રે ઉલ્લેખનિય છે કે  હાર્દિક  પટેલે પણ ટિકિટ માટે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. હવે જ્યારે  ત્યારે વરુણ પટેલની આ મુલાકાત બાદ શું હાર્દિક પટેલનું પત્તું કપાશે કે પછી પાર્ટી તેમને ટિકિટ આપશે તેના પર સૌની નજર રહેશે. આમ પણ વિરમગામ વિધાનસભા પર કોંગ્રેસનો કબજો છે, 2017માં ભાજપે પક્ષપલટું ઉમેદવાર તેજશ્રી બેનને મેદાનમાં ઉતાર્યા હતા જો કે  તેમનો કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ સામે કારમો પરાજય થયો હતો.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.