વિરમગામ સીટને લઈ ભાજપમાં ડખો, વરૂણ પટેલે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2022-11-02 13:03:13

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટી નેતાઓ અને કાર્યકરો ટિકિટ માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. રાજયની વિરમગામ વિધાનસભાની સીટ પર સૌની નજર છે, કોંગ્રેસનો ગઢ મનાતી આ સીટ પર હાર્દિક પટેલે દાવેદારી નોંધાવી છે. જો કે હવે ભાજપના જ એક અન્ય નેતા વરૂણ પટેલે પણ આ બેઠક માટે ચૂંટણી લડવા તલપાપડ બન્યા છે. તે ઉપરાંત આ અન્ય દાવેદારો પણ છે.


વરૂણ પટેલે ટિકિટ માટે અમિત શાહ સાથે મુલાકાત કરી


વિરમગામ વિધાનસભા સીટ માટે ભાજપમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. વરુણ પટેલ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ મુલાકાતથી હાર્દિક પટેલ કેમ્પને આંચકો લાગ્યો છે, વરૂણ પટેલ પણ ભાજપના આશાસ્પદ યુવા નેતા છે અને પાટીદાર આંદોલન વખતે તે ભાજપનો પાટીદાર ચહેરો બનીને ઉભર્યા હતા. જો કે એટલું તો ચોક્કસ છે વરૂણ પટેલની અમિત શાહ સાથેની મુલાકાતથી રાજકારણ ગરમાયું છે.


વિરમગામની બેઠક માટે 15 ઉમેદવારો


વિરમગામ સીટ પર ભાજપના જે નેતાઓ દાવો કરી રહ્યા છે, તેમાં હાર્દિક પટેલ, વરૂણ પટેલ અને પૂર્વ ધારાસભ્ય તેજશ્રી બેન પટેલ સહિત કુલ 15 દાવેદારો છે. વિરમગામની બેઠક પરથી હાર્દિક પટેલ જ પ્રબળ દાવેદાર ગણાય છે, અત્રે ઉલ્લેખનિય છે કે  હાર્દિક  પટેલે પણ ટિકિટ માટે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. હવે જ્યારે  ત્યારે વરુણ પટેલની આ મુલાકાત બાદ શું હાર્દિક પટેલનું પત્તું કપાશે કે પછી પાર્ટી તેમને ટિકિટ આપશે તેના પર સૌની નજર રહેશે. આમ પણ વિરમગામ વિધાનસભા પર કોંગ્રેસનો કબજો છે, 2017માં ભાજપે પક્ષપલટું ઉમેદવાર તેજશ્રી બેનને મેદાનમાં ઉતાર્યા હતા જો કે  તેમનો કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ સામે કારમો પરાજય થયો હતો.  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"