સાળંગપુર વિવાદ મામલે ભાજપના નેતાઓએ આપી પ્રતિક્રિયા, રાજ્યસભાના સાંસદ અને મંત્રીએ વિવાદને લઈ કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-09-02 18:25:44

સાળંગપુર વિવાદ શાંત થવાને બદલે દિવસેને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. મોટી પ્રતિમા નીચે આવેલા ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવ્યા છે. મામલો સામે આવતા ભક્તોમાં, સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મામલે સાહિત્યકારોની, ધર્મગુરૂઓની પ્રતિક્રિયા સામે આવી હતી પરંતુ આ મામલે રાજકીય પાર્ટીઓ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું ન હતું. પરંતુ આજે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત સરકારના મંત્રીએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. 

હું મારૂતિનંદનનો ભક્ત છું, તેમનું સન્માન જળવાવું જોઈએ - સાંસદ 

સાંસદ રામ મોકરિયાએ વિવાદ અંગે વાત કરતા કહ્યું કે હું મારૂતિનંદનનો ભગત છું, તેમનું સન્માન જાળવવું જોઇએ. કોઈ મંદિરનો પૂજારી હોય તો તેને પૂજારી તરીકે રહેવાય. તે એમ કહે કે હું ભગવાન છું તો એ ન ચાલે. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ વિવાદથી દૂર રહેવું જોઇએ. લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે તો આ ભીંતચિત્રો દૂર કરવાં જોઈએ એવું મારું માનવું છે. શંકરાચાર્યથી કોઇ મોટું નથી એની અપીલ સૌ લોકોએ માનવી જોઈએ. હિન્દુ સમાજમાં ભાગ પડે અને અન્ય લોકોને તેનો લાભ થાય એવું ન કરવું જોઇએ.


વિવાદ મામલે કુંવરજી બાવળીયાએ આપી પ્રતિક્રિયા   

તે સિવાય મંત્રી કુંવરજી બાવળીયાએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે જણાવ્યું કે સાંજ સુધીમાં સ્થાનિક લેવલે આ વિવાદનો અંત આવે તે પ્રકારના પ્રયાસ છે. જરૂર પડશે તો અમે ત્યાં જઈશું અને સાથે બેસીને વિવાદનો ઉકેલ લાવીશું. સંતો સાથે વાત નથી થઈ પરંતુ, સ્થાનિક આગેવાનો સાથે ટેલિફોનિક વાત થઈ છે. મહત્વનું છે કે આ નિવેદન મંત્રીના વ્યક્તિગત અભિપ્રાય છે. 


એક ભક્તે ભીંતચિત્ર પર કર્યો કાળો કલર 

આ વિવાદ સામે આવ્યા બાદ અનેક સ્વામીનારાયણ મંદિરોથી ચિત્રો સામે આવી રહ્યા છે જેમાં હનુમાનજીને દાસ દર્શાવવામાં આવ્યા હોય. એક બાદ એક મંદિરોથી આવા દશ્યો સામે આવ્યા છે. ભક્તોની લાગણી દુભાઈ રહી છે. આજે એક ભક્તે ભીંતચિત્રો પર કાળો પટ્ટો મારી દીધો હતો. જે ભક્તે આ વાત કહી છે તેમનું નામ છે હર્ષદ ગઢવી. તે બાદ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.