સાળંગપુર વિવાદ મામલે ભાજપના નેતાઓએ આપી પ્રતિક્રિયા, રાજ્યસભાના સાંસદ અને મંત્રીએ વિવાદને લઈ કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-09-02 18:25:44

સાળંગપુર વિવાદ શાંત થવાને બદલે દિવસેને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. મોટી પ્રતિમા નીચે આવેલા ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવ્યા છે. મામલો સામે આવતા ભક્તોમાં, સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મામલે સાહિત્યકારોની, ધર્મગુરૂઓની પ્રતિક્રિયા સામે આવી હતી પરંતુ આ મામલે રાજકીય પાર્ટીઓ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું ન હતું. પરંતુ આજે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત સરકારના મંત્રીએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. 

હું મારૂતિનંદનનો ભક્ત છું, તેમનું સન્માન જળવાવું જોઈએ - સાંસદ 

સાંસદ રામ મોકરિયાએ વિવાદ અંગે વાત કરતા કહ્યું કે હું મારૂતિનંદનનો ભગત છું, તેમનું સન્માન જાળવવું જોઇએ. કોઈ મંદિરનો પૂજારી હોય તો તેને પૂજારી તરીકે રહેવાય. તે એમ કહે કે હું ભગવાન છું તો એ ન ચાલે. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ વિવાદથી દૂર રહેવું જોઇએ. લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે તો આ ભીંતચિત્રો દૂર કરવાં જોઈએ એવું મારું માનવું છે. શંકરાચાર્યથી કોઇ મોટું નથી એની અપીલ સૌ લોકોએ માનવી જોઈએ. હિન્દુ સમાજમાં ભાગ પડે અને અન્ય લોકોને તેનો લાભ થાય એવું ન કરવું જોઇએ.


વિવાદ મામલે કુંવરજી બાવળીયાએ આપી પ્રતિક્રિયા   

તે સિવાય મંત્રી કુંવરજી બાવળીયાએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે જણાવ્યું કે સાંજ સુધીમાં સ્થાનિક લેવલે આ વિવાદનો અંત આવે તે પ્રકારના પ્રયાસ છે. જરૂર પડશે તો અમે ત્યાં જઈશું અને સાથે બેસીને વિવાદનો ઉકેલ લાવીશું. સંતો સાથે વાત નથી થઈ પરંતુ, સ્થાનિક આગેવાનો સાથે ટેલિફોનિક વાત થઈ છે. મહત્વનું છે કે આ નિવેદન મંત્રીના વ્યક્તિગત અભિપ્રાય છે. 


એક ભક્તે ભીંતચિત્ર પર કર્યો કાળો કલર 

આ વિવાદ સામે આવ્યા બાદ અનેક સ્વામીનારાયણ મંદિરોથી ચિત્રો સામે આવી રહ્યા છે જેમાં હનુમાનજીને દાસ દર્શાવવામાં આવ્યા હોય. એક બાદ એક મંદિરોથી આવા દશ્યો સામે આવ્યા છે. ભક્તોની લાગણી દુભાઈ રહી છે. આજે એક ભક્તે ભીંતચિત્રો પર કાળો પટ્ટો મારી દીધો હતો. જે ભક્તે આ વાત કહી છે તેમનું નામ છે હર્ષદ ગઢવી. તે બાદ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે.   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.