રસ્તાઓની હાલત સુધરે તે માટે ભાજપના નેતાઓએ અવાર-નવાર કરવી જોઈએ ગુજરાતની મુલાકાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 11:46:00

ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા અનેક કેન્દ્રીય મંત્રી આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જઈ ભાજપ દ્વારા કરવામાં આવેલા કાર્યો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ જ કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ ભાવનગરના પ્રવાસે આવ્યા હતા. ત્યારે રસ્તાની સારી હાલત જોઈ તેમણે ટ્વિટ કર્યું હતું. જે બાદ ભાવનગરના યુવરાજે ટ્વિટ કરતા રાજકારણ ગરમાયું છે. યુવરાજે કહ્યું કે ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ રસ્તાનું સમારકામ થાય છે

કિરણ રિજ્જુએ કર્યા રસ્તાઓના વખાણ  

વરસાદને કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. દરેક રસ્તાની હાલત અતિ બિસ્માર થઈ ગઈ છે. રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે. જેને કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પરંતુ આ રસ્તાઓ પરથી જ્યારે કોઈ નેતા એમાં પણ ભાજપના નેતા પસાર થવાના હોય છે ત્યારે રાતો રાત રસ્તાનું સમારકામ કરી દેવામાં આવે છે. આ વાત બધા જાણે છે. ત્યારે હાલ ગુજરાતમાં ચૂંટણીને કારણે અનેક ભાજપના નેતાઓ આવી રહ્યા છે. ત્યારે ભાવનગરના પ્રવાસે કેન્દ્રીય કાયદા મંત્રી આવ્યા હતા. સારા રસ્તાના તેમણે વખાણ કર્યા હતા. તેમણે વિડીયો પણ પોસ્ટ કર્યો હતો.

 

ભાજપના નેતાઓ આવે છે ત્યારે જ સુધરે છે રસ્તાની હાલત- યુવરાજનો કટાક્ષ

કિરણ રિજ્જુના ટ્વિટ પર ભાવનગરના યુવરાજે ટિપ્પણી કરી છે. વળતો જવાબ આપતા તેમણે ટ્વિટ કરતા કહ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સુધરી રહ્યા છે તેમાં કોઈ શંકા નથી. જો, કે શહેરની અંદરના ઘણા રસ્તાઓ એકદમ ખરાબ હાલતમાં છે .અને મોટાભાગે રસ્તાઓનું સમારકામ ભાજપના મંત્રીઓ જ્યારે આવે છે ત્યારે જ કરવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે તેઓ બધા અવારનવાર અમારી મુલાકાત લે જેથી રસ્તાઓની દશા સુધરતી રહે.        




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.