રસ્તાઓની હાલત સુધરે તે માટે ભાજપના નેતાઓએ અવાર-નવાર કરવી જોઈએ ગુજરાતની મુલાકાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 11:46:00

ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા અનેક કેન્દ્રીય મંત્રી આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જઈ ભાજપ દ્વારા કરવામાં આવેલા કાર્યો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ જ કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ ભાવનગરના પ્રવાસે આવ્યા હતા. ત્યારે રસ્તાની સારી હાલત જોઈ તેમણે ટ્વિટ કર્યું હતું. જે બાદ ભાવનગરના યુવરાજે ટ્વિટ કરતા રાજકારણ ગરમાયું છે. યુવરાજે કહ્યું કે ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ રસ્તાનું સમારકામ થાય છે

કિરણ રિજ્જુએ કર્યા રસ્તાઓના વખાણ  

વરસાદને કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. દરેક રસ્તાની હાલત અતિ બિસ્માર થઈ ગઈ છે. રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે. જેને કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પરંતુ આ રસ્તાઓ પરથી જ્યારે કોઈ નેતા એમાં પણ ભાજપના નેતા પસાર થવાના હોય છે ત્યારે રાતો રાત રસ્તાનું સમારકામ કરી દેવામાં આવે છે. આ વાત બધા જાણે છે. ત્યારે હાલ ગુજરાતમાં ચૂંટણીને કારણે અનેક ભાજપના નેતાઓ આવી રહ્યા છે. ત્યારે ભાવનગરના પ્રવાસે કેન્દ્રીય કાયદા મંત્રી આવ્યા હતા. સારા રસ્તાના તેમણે વખાણ કર્યા હતા. તેમણે વિડીયો પણ પોસ્ટ કર્યો હતો.

 

ભાજપના નેતાઓ આવે છે ત્યારે જ સુધરે છે રસ્તાની હાલત- યુવરાજનો કટાક્ષ

કિરણ રિજ્જુના ટ્વિટ પર ભાવનગરના યુવરાજે ટિપ્પણી કરી છે. વળતો જવાબ આપતા તેમણે ટ્વિટ કરતા કહ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સુધરી રહ્યા છે તેમાં કોઈ શંકા નથી. જો, કે શહેરની અંદરના ઘણા રસ્તાઓ એકદમ ખરાબ હાલતમાં છે .અને મોટાભાગે રસ્તાઓનું સમારકામ ભાજપના મંત્રીઓ જ્યારે આવે છે ત્યારે જ કરવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે તેઓ બધા અવારનવાર અમારી મુલાકાત લે જેથી રસ્તાઓની દશા સુધરતી રહે.        




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે