રસ્તાઓની હાલત સુધરે તે માટે ભાજપના નેતાઓએ અવાર-નવાર કરવી જોઈએ ગુજરાતની મુલાકાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 11:46:00

ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા અનેક કેન્દ્રીય મંત્રી આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જઈ ભાજપ દ્વારા કરવામાં આવેલા કાર્યો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ જ કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ ભાવનગરના પ્રવાસે આવ્યા હતા. ત્યારે રસ્તાની સારી હાલત જોઈ તેમણે ટ્વિટ કર્યું હતું. જે બાદ ભાવનગરના યુવરાજે ટ્વિટ કરતા રાજકારણ ગરમાયું છે. યુવરાજે કહ્યું કે ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ રસ્તાનું સમારકામ થાય છે

કિરણ રિજ્જુએ કર્યા રસ્તાઓના વખાણ  

વરસાદને કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. દરેક રસ્તાની હાલત અતિ બિસ્માર થઈ ગઈ છે. રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે. જેને કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પરંતુ આ રસ્તાઓ પરથી જ્યારે કોઈ નેતા એમાં પણ ભાજપના નેતા પસાર થવાના હોય છે ત્યારે રાતો રાત રસ્તાનું સમારકામ કરી દેવામાં આવે છે. આ વાત બધા જાણે છે. ત્યારે હાલ ગુજરાતમાં ચૂંટણીને કારણે અનેક ભાજપના નેતાઓ આવી રહ્યા છે. ત્યારે ભાવનગરના પ્રવાસે કેન્દ્રીય કાયદા મંત્રી આવ્યા હતા. સારા રસ્તાના તેમણે વખાણ કર્યા હતા. તેમણે વિડીયો પણ પોસ્ટ કર્યો હતો.

 

ભાજપના નેતાઓ આવે છે ત્યારે જ સુધરે છે રસ્તાની હાલત- યુવરાજનો કટાક્ષ

કિરણ રિજ્જુના ટ્વિટ પર ભાવનગરના યુવરાજે ટિપ્પણી કરી છે. વળતો જવાબ આપતા તેમણે ટ્વિટ કરતા કહ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સુધરી રહ્યા છે તેમાં કોઈ શંકા નથી. જો, કે શહેરની અંદરના ઘણા રસ્તાઓ એકદમ ખરાબ હાલતમાં છે .અને મોટાભાગે રસ્તાઓનું સમારકામ ભાજપના મંત્રીઓ જ્યારે આવે છે ત્યારે જ કરવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે તેઓ બધા અવારનવાર અમારી મુલાકાત લે જેથી રસ્તાઓની દશા સુધરતી રહે.        




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .