ભાજપના પીઢ નેતાએ રામ મોકરિયા ઉપરાંત 5 લોકોના પણ 100 કરોડ ચાઉં કર્યા હોવાની ચર્ચા, ડેમેજ કન્ટ્રોલ માટે ભાજપના આગેવાનો કામે લાગ્યા


  • Published By :
  • Published Date : 2023-06-01 17:36:30

ભાજપના અગ્રણી નેતા અને રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાએ ગુજરાત ભાજપના એક ટોચના નેતા તેમના કરોડો રૂપિયા 10 વર્ષથી દબાવીને બેઠા છે તેવી સોશિયલ મીડિયા પોસ્ટ કરીને વિવાદનો મધપુડો છંછેડ્યો છે. રાજકીય વર્તુળોમાં આ નેતાને લઈ અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. જો કે રામ મોકરિયાએ આ નેતાને વડીલ ગણાવીને તેમનું નામ જાહેર કર્યું નથી. મીડિયા અહેવાલો મુજબ તો ભાજપના આ અગ્રણી નેતાએ મોકરિયા સહિત તેમના પાંચ મિત્રોના 100 કરોડ રૂપિયા દબાવ્યાનું પણ સામે આવ્યું છે. રસપ્રદ બાબતે એ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ નાણાંની ઉઘરાણી કરવામાં આવે છે ત્યારે આ આગેવાને દ્વારા તેમને ધાકધમકી આપીને ચુપ કરી દેવાતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. 


અનેક લોકોને કરોડોનો ચૂનો લગાવ્યો


ભાજપના જ આંતરિક વર્તુળોના જણાવ્યા પ્રમાણે આ વરિષ્ઠ ભાજપા નેતાએ માત્ર  રામભાઇ મોકરિયાને જ નહીં આવા અન્ય ચાર લોકો પણ છે જેમના કરોડો રૂપિયા આ સિનિયર આગેવાન ઓળવી ગયા છે. વડીલ નેતાની પોલ ખુલ્લી પડતા ભાજપના ભરોસા પર સવાલો થઈ રહ્યા છે આ જ કારણે પ્રદેશ ભાજપના આગેવાનો પણ આ મામલો સમેટાઇ તેવા પ્રયાસ કરી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ઉદ્યોગપતિને પણ આ મહાશયે કરોડો રૂપિયાનો ચુનો લગાવ્યો છે. આ ઉદ્યોગપતિએ નાણાંની ઉઘરાણી કરી તો તેમને ધમકાવવામાં આવ્યા હતા. આવા જ બીજા એક વ્યક્તિ છે જે રાજકોટમાં એક સારી સંસ્થા ચલાવે છે. સામાજિક કામોમાં હંમેશા વ્યસ્ત રહેતા આ આગેવાન સમાજ ઉપયોગી કામ માટે કોઇ પણના ડેલે જઇને સારા કામ માટે દાન ઉઘરાવી શકે છે. આ આગેવાનના પણ કરોડો રૂપિયા ફસાયા છે. એક તેલિયા રાજાના પણ  કરોડો રૂપિયા સલવાયા છે, તેઓ રૂપિયા પરત મેળવવા ગમે ત્યારે મેદાનમાં આવે તેવી આશંકા છે. એક સામાન્ય અનુમાન મુજબ ભાજપના આ સિનિયર નેતા તેમના અંગત મિત્રોની લગભગ 100 કરોડની રકમ ચાઉં કરી ગયા છે. 


પીઢ નેતાનું જમીનોમાં કરોડોનું રોકાણ અળે ગયું


ગુજરાતના રાજકારણમાં છવાયેલા આ પીઢ નેતા રાજ્યમાં ભાજપની સરકાર રચાયા બાદ મહત્ત્વના ખાતા ધરાવતા હતા. આ સત્તાનો ઉપયોગ તેમણે અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે, અમદાવાદમાં અન્ય સ્થળે, આ ઉપરાંત રાજકોટ, વડોદરા અને કચ્છમાં હજારો એકર જમીન ખરીદી હતી. પોતાની કમાણીની રકમમાંથી પોતાના નામે મિલકત ખરીદી શકાય તેમ નહીં હોવાથી નેતાએ પોતાના નિકટના લોકોના નામે હજારો એકર જમીન ખરીદ કરી હતી અને તે વિશ્વાસુ લોકોના નામે જમીનના દસ્તાવેજો કરાવ્યા હતા. હવે નિવૃત્તિના આરે પહોંચ્યા ત્યારે તે વિશ્વાસુ લોકોએ જ તેમને હાથતાળી આપીને છૂમંતર થઈ ગયા છે. અને તે જમીન કે તેના બદલામાં પૈસા આપવામાં હાથ ઉંચા કરી દેતા નેતા પોતાના લેણદારોને રકમ પરત કરી શકતા નથી.


પ્રશ્ન ઉકેલવાના  પ્રયાસો નિષ્ફળ રહ્યા


ભાજપના આ સિનિયર નેતા પર  લોકોની બાકી નિકળતી રકમ ચૂકવવા માટે દબાણ થઈ રહ્યું છે. જો કે કરોડોની રકમનું ચૂકવણુ બાકી હોવાથી વાત આગળ વધતી નથી. આ નેતા સાથે સારા સંબંધ ધરાવતી વ્યક્તિએ પણ પ્રશ્નનો ઉકેલ લાવવાનના પ્રયાસો કર્યા હતા. સાસણગીરની બાજુમાં ફાર્મહાઉસ અને એક હોટેલ ધરાવતી આ વ્યક્તિને પીઢ નેતા સાથે લાંબા સમયથી ગાઢ સંબંધો રહ્યા છે. આ વ્યક્તિએ લેણદારોને રકમ પરત અપાવવા પ્રયાસો કર્યા હતા, જો તેમના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે