ભાજપના પીઢ નેતાએ રામ મોકરિયા ઉપરાંત 5 લોકોના પણ 100 કરોડ ચાઉં કર્યા હોવાની ચર્ચા, ડેમેજ કન્ટ્રોલ માટે ભાજપના આગેવાનો કામે લાગ્યા


  • Published By :
  • Published Date : 2023-06-01 17:36:30

ભાજપના અગ્રણી નેતા અને રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાએ ગુજરાત ભાજપના એક ટોચના નેતા તેમના કરોડો રૂપિયા 10 વર્ષથી દબાવીને બેઠા છે તેવી સોશિયલ મીડિયા પોસ્ટ કરીને વિવાદનો મધપુડો છંછેડ્યો છે. રાજકીય વર્તુળોમાં આ નેતાને લઈ અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. જો કે રામ મોકરિયાએ આ નેતાને વડીલ ગણાવીને તેમનું નામ જાહેર કર્યું નથી. મીડિયા અહેવાલો મુજબ તો ભાજપના આ અગ્રણી નેતાએ મોકરિયા સહિત તેમના પાંચ મિત્રોના 100 કરોડ રૂપિયા દબાવ્યાનું પણ સામે આવ્યું છે. રસપ્રદ બાબતે એ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ નાણાંની ઉઘરાણી કરવામાં આવે છે ત્યારે આ આગેવાને દ્વારા તેમને ધાકધમકી આપીને ચુપ કરી દેવાતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. 


અનેક લોકોને કરોડોનો ચૂનો લગાવ્યો


ભાજપના જ આંતરિક વર્તુળોના જણાવ્યા પ્રમાણે આ વરિષ્ઠ ભાજપા નેતાએ માત્ર  રામભાઇ મોકરિયાને જ નહીં આવા અન્ય ચાર લોકો પણ છે જેમના કરોડો રૂપિયા આ સિનિયર આગેવાન ઓળવી ગયા છે. વડીલ નેતાની પોલ ખુલ્લી પડતા ભાજપના ભરોસા પર સવાલો થઈ રહ્યા છે આ જ કારણે પ્રદેશ ભાજપના આગેવાનો પણ આ મામલો સમેટાઇ તેવા પ્રયાસ કરી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ઉદ્યોગપતિને પણ આ મહાશયે કરોડો રૂપિયાનો ચુનો લગાવ્યો છે. આ ઉદ્યોગપતિએ નાણાંની ઉઘરાણી કરી તો તેમને ધમકાવવામાં આવ્યા હતા. આવા જ બીજા એક વ્યક્તિ છે જે રાજકોટમાં એક સારી સંસ્થા ચલાવે છે. સામાજિક કામોમાં હંમેશા વ્યસ્ત રહેતા આ આગેવાન સમાજ ઉપયોગી કામ માટે કોઇ પણના ડેલે જઇને સારા કામ માટે દાન ઉઘરાવી શકે છે. આ આગેવાનના પણ કરોડો રૂપિયા ફસાયા છે. એક તેલિયા રાજાના પણ  કરોડો રૂપિયા સલવાયા છે, તેઓ રૂપિયા પરત મેળવવા ગમે ત્યારે મેદાનમાં આવે તેવી આશંકા છે. એક સામાન્ય અનુમાન મુજબ ભાજપના આ સિનિયર નેતા તેમના અંગત મિત્રોની લગભગ 100 કરોડની રકમ ચાઉં કરી ગયા છે. 


પીઢ નેતાનું જમીનોમાં કરોડોનું રોકાણ અળે ગયું


ગુજરાતના રાજકારણમાં છવાયેલા આ પીઢ નેતા રાજ્યમાં ભાજપની સરકાર રચાયા બાદ મહત્ત્વના ખાતા ધરાવતા હતા. આ સત્તાનો ઉપયોગ તેમણે અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે, અમદાવાદમાં અન્ય સ્થળે, આ ઉપરાંત રાજકોટ, વડોદરા અને કચ્છમાં હજારો એકર જમીન ખરીદી હતી. પોતાની કમાણીની રકમમાંથી પોતાના નામે મિલકત ખરીદી શકાય તેમ નહીં હોવાથી નેતાએ પોતાના નિકટના લોકોના નામે હજારો એકર જમીન ખરીદ કરી હતી અને તે વિશ્વાસુ લોકોના નામે જમીનના દસ્તાવેજો કરાવ્યા હતા. હવે નિવૃત્તિના આરે પહોંચ્યા ત્યારે તે વિશ્વાસુ લોકોએ જ તેમને હાથતાળી આપીને છૂમંતર થઈ ગયા છે. અને તે જમીન કે તેના બદલામાં પૈસા આપવામાં હાથ ઉંચા કરી દેતા નેતા પોતાના લેણદારોને રકમ પરત કરી શકતા નથી.


પ્રશ્ન ઉકેલવાના  પ્રયાસો નિષ્ફળ રહ્યા


ભાજપના આ સિનિયર નેતા પર  લોકોની બાકી નિકળતી રકમ ચૂકવવા માટે દબાણ થઈ રહ્યું છે. જો કે કરોડોની રકમનું ચૂકવણુ બાકી હોવાથી વાત આગળ વધતી નથી. આ નેતા સાથે સારા સંબંધ ધરાવતી વ્યક્તિએ પણ પ્રશ્નનો ઉકેલ લાવવાનના પ્રયાસો કર્યા હતા. સાસણગીરની બાજુમાં ફાર્મહાઉસ અને એક હોટેલ ધરાવતી આ વ્યક્તિને પીઢ નેતા સાથે લાંબા સમયથી ગાઢ સંબંધો રહ્યા છે. આ વ્યક્તિએ લેણદારોને રકમ પરત અપાવવા પ્રયાસો કર્યા હતા, જો તેમના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.